Kim Jong Un : ઉત્તર કોરિયાના લોકો ભૂખમરાથી પીડાઈ રહ્યા છે ત્યારે સરમુખત્યાર કિમ જોંગે ફરમાન જાહેર કરી કહ્યું કે 2025 સુધી ઓછું ખાવું
સૂત્રોએ જણાવ્યું કે ઉત્તર કોરિયાની સરકાર (North Korea Government) તેની કોવિડ-19 (Covid-19) રણનીતિ દ્વારા ખોરાકની અછતને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.
ઉત્તર કોરિયાએ (North Korea)તેના નાગરિકોને ચેતવણી આપી છે અને તેમને ઓછું ખાવાની સલાહ આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી દેશ 2025માં ચીન (China) સાથેની તેની સરહદ ફરીથી ખોલશે નહીં ત્યાં સુધી લોકો ઓછું ભોજન લેશે. એક મીડિયાના રિપોર્ટ અનુસાર, ભોજનની અછત પહેલાથી જ ઉત્તર કોરિયાના લોકોને અસર કરી રહી છે.
પરંતુ અધિકારીઓ દ્વારા નાગરિકોને ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી પોતાની જાતને સંભાળવા માટે કહેવામાં આવ્યું છે. જો કે, લોકોનું કહેવું છે કે આગામી શિયાળામાં ખોરાકના અભાવે સ્થિતિ વધુ વણસી શકે છે. ત્રણ વર્ષમાં ખરાબથી વધુ ખરાબ થઈ શકે છે.
ઉત્તર કોરિયાએ જાન્યુઆરી 2020માં કોરોના મહામારી સામે સાવચેતી તરીકે ચીન સાથેની તેની સરહદ બંધ કરી દીધી હતી. પરંતુ આ પગલાએ ઉત્તર કોરિયાની અર્થવ્યવસ્થાની કમર તોડી નાખી. રોજબરોજની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. આ પાછળનું કારણએ છે કે ઓછા પુરવઠાને કારણે માંગમાં ઝડપથી વધારો થયો. નામ ન આપવાની શરતે સરકારના નવા માર્ગદર્શન વિશે વાત કરતા સિનુજુના રહેવાસીએ કહ્યું કે લોકોને ચેતવણી આપવામાં આવી છે કે 2025 પહેલા ચીન સાથેની સરહદ ફરી ખોલવાની શક્યતા ઓછી છે.
મુશ્કેલીઓ વચ્ચે ઓછો ખોરાક ખાવાનું ફરમાન જાહેર
રહેવાસીએ જણાવ્યું હતું કે હાલમાં ખાદ્યપદાર્થોની સ્થિતિ સ્પષ્ટપણે કટોકટીમાં છે અને લોકો અછતથી પીડાય છે. અધિકારીઓ તેમને કહી રહ્યા છે કે તેઓને 2025 સુધીમાં ઓછા ખોરાકનું સંરક્ષણ અને વપરાશ કરવાની જરૂર છે, જેથી લોકો નિરાશા સિવાય કંઈ કરી શકે નહીં. ઉત્તર કોરિયાના લોકો હાલની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
પરંતુ આ પછી પણ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન આ વર્ષે આત્મનિર્ભરતાના વિચારને આગળ વધારી રહ્યા છે. આ સંદેશને જુલાઈમાં વધુ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું જ્યારે તત્કાલીન કેન્દ્રીય સમિતિએ લોકોને ખોરાકની અછત હોય ત્યારે પોતાનો પાક ઉગાડવાનો નિર્દેશ આપ્યો હતો.
ઉત્તર કોરિયા ખાદ્ય કટોકટી માટે પ્રતિબંધોને જવાબદાર ગણાવે છે જો કે, સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનનો અંદાજ છે કે ઉત્તર કોરિયામાં આ વર્ષે લગભગ 8,60,000 ટન ખોરાકની અછત છે. સિનુજુના રહેવાસીએ કહ્યું કે લોકોમાં અનિચ્છા વધી રહી છે. રહેવાસીએ કહ્યું, તેઓ કહે છે કે અમને 2025 સુધી ભોગવવાનું કહેવું એ ભૂખે મરવાનું કહેવા જેવું છે.
સૂત્રોએ જણાવ્યું કે ઉત્તર કોરિયાની સરકાર તેની કોવિડ-19 વ્યૂહરચના દ્વારા ખોરાકની અછતને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. સરકારે દેશમાં ખાદ્યપદાર્થોની અછત નિયંત્રણો, કુદરતી આફતો અને વૈશ્વિક કોરોનાવાયરસ રોગચાળા જવાબદાર ઠેરવ્યા છે.
આ પણ વાંચો : Aryan Khan Bail: શું આર્યન ખાન આજની રાત પણ જેલમાં વિતાવશે ? જાણો જામીન મળ્યા બાદ શું છે છૂટવાની પ્રક્રિયા