“અમે લોકશાહીના રક્ષણ માટે પ્રતિબદ્ધ છીએ” બાયડેને 9/11ના આતંકી હુમલાની 21મી વર્ષગાંઠ પર કહ્યું

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને 9/11 હુમલાની 21મી વરસી પર રવિવારે પેન્ટાગોનમાં એક સમારોહને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન બાયડેને અમેરિકાના લોકતંત્રની રક્ષા કરવાનું વચન આપ્યું હતું.

અમે લોકશાહીના રક્ષણ માટે પ્રતિબદ્ધ છીએ બાયડેને 9/11ના આતંકી હુમલાની 21મી વર્ષગાંઠ પર કહ્યું
9/11ના આતંકી હુમલાની 21મી વર્ષગાંઠ પર બાયડેનનું સંબોધનImage Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2022 | 10:07 PM

યુએસ (US) પ્રમુખ જો બાયડેને (Joe Biden)રવિવારે પેન્ટાગોનમાં 9/11ના આતંકી હુમલાની (Terrorist attacks)21મી વરસી પર એક સમારોહને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન બાયડેને અમેરિકાના લોકતંત્રની રક્ષા કરવાનું વચન આપ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા લોકતંત્રની રક્ષા કરવી આપણી જવાબદારી છે. તેમણે કહ્યું કે લોકશાહી તે છે જે સ્વતંત્રતાના અધિકારની ખાતરી આપે છે.

જો બાયડેને પોતાના સંબોધનમાં કહ્યું, ‘લોકશાહીનું રક્ષણ કરવાની અમારી જવાબદારી છે. લોકશાહી એ સ્વતંત્રતાના અધિકારની બાંયધરી આપે છે, જેને તે આતંકવાદીઓએ 9/11ના દિવસે સળગતી આગમાં ફેંકી દીધી હતી. અમે અમારી લોકશાહીની રક્ષા માટે પ્રતિબદ્ધ છીએ.” અમેરિકી બાયડેને વધુમાં કહ્યું, ‘9/11ના આતંકવાદી હુમલામાં જે નષ્ટ થયું હતું તેને અમે રિપેર કર્યું છે. જે પ્રકારની ધમકી આપવામાં આવી હતી તેના માટે અમે પ્રતિજ્ઞા લીધી હતી. આ હુમલાથી અમારી અદમ્ય ભાવના ક્યારેય ડગમગી નથી.

9/11ના આતંકી હુમલાની 21મી વરસી

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

તમને જણાવી દઈએ કે આજે એટલે કે રવિવારે અમેરિકામાં 9/11 આતંકી હુમલાની 21મી વરસી મનાવવામાં આવી હતી. પ્રમુખ જો બાયડેને પેન્ટાગોન ખાતે પુષ્પાંજલિ અર્પણ કરીને હુમલામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી હતી. 9/11ના હુમલાની 21મી વર્ષગાંઠ એવા સમયે આવી રહી છે. જ્યારે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોની સંપૂર્ણ પાછી પાનીને એક વર્ષ થઈ ગયું છે. 11 સપ્ટેમ્બર, 2001 ના રોજ થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં, યુએસ અને તેના સહયોગીઓના દળોએ અફઘાનિસ્તાનમાં લાંબી કાર્યવાહી હાથ ધરી હતી. હુમલાની વરસી નિમિત્તે લોકો વિવિધ સ્થળોએ એકઠા થયા હતા અને તેમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ હુમલામાં લગભગ 3000 લોકો માર્યા ગયા હતા

તમને જણાવી દઈએ કે 21 વર્ષ પહેલા 11 સપ્ટેમ્બર 2001ના રોજ અલ કાયદાના આતંકવાદીઓએ ન્યૂયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર, પેન્ટાગોન અને પેન્સિલવેનિયા પર શ્રેણીબદ્ધ હુમલા કર્યા હતા. આ હુમલામાં લગભગ 3000 લોકો માર્યા ગયા હતા. ઈસ્લામિક ઉગ્રવાદી સંગઠન અલ-કાયદાએ ચાર વિમાનોથી આ સ્થળો પર હુમલો કર્યો હતો. પ્રથમ અને બીજા વિમાનો ઈમારતની ઉત્તરી અને દક્ષિણ બાજુએ અથડાયા હતા, જ્યારે ત્રીજા જેટે વોશિંગ્ટન ડીસીની બહાર પેન્ટાગોન પર હુમલો કર્યો હતો. તે જ સમયે, ચોથું વિમાન પેન્સિલવેનિયામાં નીચે પડ્યું. 9/11ના આતંકવાદી હુમલામાં લગભગ 3000 લોકો માર્યા ગયા હતા. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">