AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈઝરાયેલે કૃષિ ક્ષેત્રે આ રાજ્યની કરી પ્રશંસા, ભવિષ્યમાં ઈઝરાયલ ભારતના વિવિધ રાજ્યોમાં અનેક પ્રોજેક્ટ સ્થાપશે

કૃષિ મંત્રીએ કહ્યું કે ઈઝરાયેલે સૂકી જમીનના બગીચા માટે વધુ સારી ટેકનોલોજી વિકસાવી છે. તેથી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ઇઝરાયેલ વધુને વધુ અધિકારીઓને નવી ટેકનોલોજી સાથે તાલીમ આપશે.

ઈઝરાયેલે કૃષિ ક્ષેત્રે આ રાજ્યની કરી પ્રશંસા, ભવિષ્યમાં ઈઝરાયલ ભારતના વિવિધ રાજ્યોમાં અનેક પ્રોજેક્ટ સ્થાપશે
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 3:19 PM
Share

ભારત (India)માં ઈઝરાઈલ (Israel)ના રાજદૂત નાઓર ગિલોનએ સોમવારે હરિયાણા (Haryana)ના મુખ્યમંત્રી મનોહર લાલ (CM Manohar Lal Khattar) સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેઓએ કૃષિ (Agriculture) ક્ષેત્રમાં હરિયાણા સાથે પોતાના હાલના રોકાણ કરારો ઉપરાંત સંશોધન, શિક્ષણ, આરોગ્ય સેવાઓ, એરોનોટિક્સ ક્ષેત્રોમાં વધુ મજબૂત અને સહકારની શક્યતાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

મીટિંગ દરમિયાન નાઓર ગિલોને રાજ્યમાં વિવિધ સ્થળોએ કૃષિ સંબંધિત ચાર શ્રેષ્ઠતા કેન્દ્રો સફળતાપૂર્વક ચલાવવા બદલ હરિયાણાની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ભવિષ્યમાં પણ ઈઝરાયલ ભારતના વિવિધ રાજ્યોમાં આવા ઘણા પ્રોજેક્ટ સ્થાપશે અને તેમાંથી મોટાભાગના પ્રોજેક્ટ હરિયાણામાં હશે.

નાઓર ગિલોને કહ્યું કે ભારતમાં ઈઝરાયેલ (Israel) દ્વારા કરવામાં આવેલા કુલ રોકાણમાંથી લગભગ 50 ટકા હરિયાણામાં રોકાણ કરવામાં આવ્યું છે. હવે ઈઝરાયેલનું લક્ષ્ય હરિયાણામાં કૃષિ સિવાયના અન્ય ક્ષેત્રોમાં રોકાણની વધુ તકો શોધવાનું છે. તેમણે કહ્યું કે હવે અમે હરિયાણામાં સેન્ટર ઑફ એક્સલન્સ પછી વિલેજ ઑફ એક્સલન્સની કલ્પના તરફ આગળ વધી રહ્યા છીએ.

આ ક્ષેત્રમાં પણ રોકાણ કરશે ઈઝરાયેલ

ઈઝરાયેલના રાજદૂતે હરિયાણા અને ઈઝરાયેલ વચ્ચે વિકાસ માટેના વિવિધ ક્ષેત્રોને ઓળખવા અંગે મુખ્યમંત્રી સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે ટેલિમેડિસિન ક્ષેત્રે ઈઝરાયેલ ખૂબ જ મજબૂત છે, તેથી હરિયાણા સરકાર સાથે આ ક્ષેત્રમાં રોકાણની શક્યતાઓ પર વિચાર કરી શકાય છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ઘણી બધી જમીન ખારા પાણીની છે, તેથી રાજ્યમાં મત્સ્યોદ્યોગ વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે શક્યતાઓ શોધી શકાય છે.

સૂક્ષ્મ સિંચાઈમાં સહયોગની જરૂર

સીએમએ કહ્યું કે સૂક્ષ્મ સિંચાઈ (Micro Irrigation) પણ રોકાણનું બીજું ક્ષેત્ર હોઈ શકે છે. હરિયાણાએ પણ જળ વ્યવસ્થાપનને ગંભીર વિષય તરીકે લેતા સામુદાયિક સ્તરે સૂક્ષ્મ સિંચાઈ, જળ ફાર્મ તળાવો, ગામ તળાવો અને નહેરોને લગતા પ્રોજેક્ટ્સ વિકસાવીને એક અલગ કાર્યક્રમ શરૂ કર્યો છે. તેથી, ઈઝરાયેલ આ ક્ષેત્રમાં તકનીકી સહયોગ પણ આપી શકે છે.

હરિયાણા ફિશરીઝ એક્સેલન્સ સેન્ટર સ્થાપવા માંગે છે

અગાઉ રાજ્યના કૃષિ પ્રધાન જે.પી. દલાલે કહ્યું હતું કે હરિયાણા એક જમીનથી ઘેરાયેલું રાજ્ય છે, પરંતુ તેણે આંતરદેશીય મત્સ્યઉદ્યોગનો વિકાસ કર્યો છે. 2000થી વધુ માછલીના તળાવોની સ્થાપના કરી અને હરિયાણાને ઝીંગાનું સૌથી મોટું ઉત્પાદક બનાવશે તેવી અપેક્ષા છે. તેથી, ઈઝરાયેલના સહયોગથી રાજ્યમાં ફિશરીઝ માટે સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવાની શક્યતાઓ તપાસવી જોઈએ.

કૃષિ મંત્રીએ કહ્યું કે ઈઝરાયેલે સૂકી જમીનના બગીચા માટે વધુ સારી ટેકનોલોજી વિકસાવી છે. તેથી, અમે ઈઝરાયેલને ગિગ્નો, ભિવાનીમાં શ્રેષ્ઠ સૂકી જમીન બાગાયત કેન્દ્ર વિકસાવવાની અપેક્ષા રાખીએ છીએ. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ઈઝરાયેલ વધુને વધુ અધિકારીઓને નવી ટેકનોલોજી સાથે તાલીમ આપશે. હોર્ટિકલ્ચર યુનિવર્સિટી ઈઝરાયેલ સાથે બીજ ઉત્પાદન કાર્યક્રમની શક્યતાઓને પણ ઓળખ કરશે.

આ પણ વાંચો: ખેડૂતોના પાકને ભારે નુકસાન કરતા જંગલી સુવરને મારવાની અપીલને કેન્દ્ર સરકારે ફગાવી

આ પણ વાંચો: મશરૂમના કચરામાંથી તૈયાર કરી શકાશે ઓર્ગેનિક ખાતર, નેશનલ મશરૂમ રિસર્ચ સેન્ટરનો દાવો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">