AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મશરૂમના કચરામાંથી તૈયાર કરી શકાશે ઓર્ગેનિક ખાતર, નેશનલ મશરૂમ રિસર્ચ સેન્ટરનો દાવો

નેશનલ મશરૂમ રિસર્ચ સેન્ટર સોલનના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મશરૂમના કચરામાં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તે જમીનને ફળદ્રુપ બનાવે છે. ખેડૂતો મશરૂમના કચરાનું રિસાઈકલ કર્યા પછી તેનો ઉપયોગ કરી શકે છે. આનો ઉપયોગ અળસિયું ખાતર બનાવવામાં પણ કરી શકાય છે.

મશરૂમના કચરામાંથી તૈયાર કરી શકાશે ઓર્ગેનિક ખાતર, નેશનલ મશરૂમ રિસર્ચ સેન્ટરનો દાવો
Mushroom (File Pic)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 7:42 PM
Share

હવે મશરૂમ (Mushroom)ના કચરાથી ખેતી અને બાગાયતના કામમાં ફાયદો થશે. મશરૂમનો પાક લઈ લીધા પછી ખુલ્લામાં ફેંકવામાં આવતા કચરામાંથી ખેડૂતો જૈવિક ખાતર (Organic manure)તૈયાર કરી શકે છે. નેશનલ મશરૂમ રિસર્ચ સેન્ટર (National Mushroom Research Center)સોલનના નિષ્ણાતોએ મશરૂમના કચરા (Mushroom waste)ને ખેતી અને બાગાયત માટે શ્રેષ્ઠ ગણાવ્યું છે. સોલન જિલ્લા સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં ખેડૂતો (Farmers)એ કચરામાંથી ખાતર તૈયાર કરીને ખેતરોમાં નાખવાનું શરૂ કર્યું છે.

નેશનલ મશરૂમ રિસર્ચ સેન્ટર સોલનના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મશરૂમના કચરામાં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તે જમીનને ફળદ્રુપ બનાવે છે. ખેડૂતો મશરૂમના કચરાનું રિસાઈકલ કર્યા પછી તેનો ઉપયોગ કરી શકે છે. આનો ઉપયોગ અળસિયું ખાતર બનાવવામાં પણ કરી શકાય છે.

ડીએમઆરના નિષ્ણાતોના મતે મશરૂમના કચરામાંથી નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તે જમીનને ફળદ્રુપ બનાવે છે. ખેડૂતો અને માળીઓ મશરૂમના કચરાનું રિસાઈકલ કર્યા પછી તેનો ઉપયોગ કરી શકે છે. આનો ઉપયોગ અળસિયું ખાતર બનાવવામાં પણ કરી શકાય છે. આ માટે સ્વચ્છ જગ્યાએ ખાડો ખોદ્યા પછી મશરૂમનો કચરો 8થી 16 મહિના સુધી સારી રીતે સડી જાય પછી તૈયાર કરેલ ખાતરનો ઉપયોગ કરી શકાય છે.

કાચા કચરા દ્વારા જમીનને નુકસાન

જાગૃતિના અભાવને કારણે ઘણી વખત ખેડૂતો કાચા મશરૂમનો કચરો ખેતરમાં ફેંકી દે છે. જેના કારણે જમીનને નુકસાન થાય છે. ખુલ્લામાં મશરૂમનો કચરો છોડવાથી અનેક પ્રકારની પર્યાવરણીય સમસ્યાઓ થાય છે. આનાથી ભૂગર્ભ જળ પણ દૂષિત થાય છે. ઘણા હાનિકારક ક્ષાર જમીનની નીચે પાણીમાં ભળી જાય છે. તેમાં કાર્બન અને નાઈટ્રોજનની વધુ માત્રાને કારણે બીજા ઘણા બેક્ટેરિયાનો ઉપદ્રવ થાય છે.

દર વર્ષે પાંચ લાખ મેટ્રિક ટન કચરો પેદા થાય છે

ભારતમાં દર વર્ષે લગભગ પાંચ લાખ મેટ્રિક ટન મશરૂમ કચરો ઉત્પન્ન થાય છે. તેમાં 1.9 ટકા નાઈટ્રોજન, 0.4 ફોસ્ફરસ અને 2.4 ટકા પોટેશિયમ હોય છે. તે જમીનમાં પોષક તત્વોની ઉણપને દૂર કરે છે અને ફળદ્રુપ ક્ષમતામાં અનેકગણો વધારો કરે છે. મશરૂમનો કચરો પાંચ ટકાના દરે ખેતરોમાં નાખવાથી પોટેશિયમ અને ફોસ્ફરસની ઉણપ દૂર થશે. જો તેને 25 ટકાના દરે ખેતરોમાં ભેળવવામાં આવે તો નાઈટ્રોજનની ઉણપ પણ દૂર થાય છે.

આ પણ વાંચો: બ્રિટનના ખેડૂતોએ ગાયના છાણમાંથી બનાવી બેટરી, આખું વર્ષ જગમગાવી શકે છે 3 ઘર

આ પણ વાંચો: Success Story: સર્વશ્રેષ્ઠ બટાકા ખેડૂતના એવોર્ડથી સન્માનિત આ ખેડૂતની સફળતાનો છે એક જ મૂળમંત્ર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">