ઈરાકમાં ઈસ્લામિક સ્ટેટના બંદૂકધારીઓએ આર્મી બેરેક પર હુમલો કર્યો, 11 સૈનિકો માર્યા ગયા

ઈરાકમાં ફરી એકવાર આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટનો આતંક જોવા મળ્યો છે. અહીં ISISએ આર્મી બેરેક પર હુમલો કર્યો છે.

ઈરાકમાં ઈસ્લામિક સ્ટેટના બંદૂકધારીઓએ આર્મી બેરેક પર હુમલો કર્યો, 11 સૈનિકો માર્યા ગયા
Islamic state gunmen kill 11 Iraqi soldiers during attack on army barrack
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 3:55 PM

ઈરાકના ઉત્તરી બગદાદમાં (Norther Baghadad) સ્થિત આર્મી બેરેક પર ઈસ્લામિક સ્ટેટના (Islamic State) બંદૂકધારીઓએ (ISIS Attack on Soldiers) હુમલો કર્યો છે. જેમાં 11 જવાનો શહીદ થયા હતા. ઈરાકના સુરક્ષા અધિકારીઓએ આ જાણકારી આપી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હુમલો અલ-અઝીમ જિલ્લામાં થયો હતો, જે દિયાલા પ્રાંતમાં બાકુબાની ઉત્તરે આવેલા ખુલ્લા વિસ્તાર છે. હુમલા વિશે તાત્કાલિક કોઈ માહિતી આપવામાં આવી નથી. તે તાજેતરના મહિનાઓમાં ઇરાકી દળો પરના સૌથી ઘાતક હુમલાઓમાંનો એક છે.

એસોસિએટેડ પ્રેસ સાથે વાત કરનારા બે અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સ્થાનિક સમય અનુસાર સવારે 3 વાગ્યાની આસપાસ બેરેકમાં ઘૂસી ગયા હતા અને સૈનિકોને ગોળી મારીને હત્યા કરી હતી. અધિકારીઓએ નામ જાહેર ન કરવાની શરતે વાત કરી કારણ કે તેમને સત્તાવાર નિવેદન જાહેર કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. મીડિયા અહેવાલો અનુસાર, જ્યાં હુમલો થયો તે સ્થળ રાજધાની બગદાદથી 120 કિલોમીટર ઉત્તરમાં છે.

વર્ષ 2017માં દેશમાં આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટનો મોટા પાયે પરાજય થયો હતો. જો કે, તે સ્લીપર સેલ દ્વારા ઘણા વિસ્તારોમાં સક્રિય રહે છે. આ સુન્ની મુસ્લિમ ઉગ્રવાદી જૂથના આતંકવાદીઓ હજુ પણ હિંસક ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. તેઓ વારંવાર સુરક્ષા દળો, પાવર સ્ટેશનો અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવે છે. ઑક્ટોબરમાં, મશીનગનથી સજ્જ ISના આતંકવાદીઓએ દિયાલા પ્રાંતના એક શિયા પ્રભુત્વ ધરાવતા ગામમાં હુમલો કર્યો હતો. જેમાં 11 નાગરિકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આતંકવાદીઓએ કેટલાક લોકોનું અપહરણ કર્યું હતું અને ખંડણીની માંગણી કરી હતી અને જ્યારે આ રકમ આપવામાં આવી ન હતી, ત્યારે તેઓએ ગ્રામીણો પર હુમલો કર્યો હતો.

તાજેતરના મહિનાઓમાં ઇરાક અને પડોશી સીરિયામાં ISના હુમલામાં વધારો થયો છે. જ્યાં આતંકી સંગઠન ફરી એકવાર પોતાના પગ પેસારી રહ્યું છે. ગુરુવારે સાંજે, IS આતંકવાદીઓએ ઉત્તર-પૂર્વ સીરિયામાં એક અટકાયત કેન્દ્ર પર હુમલો કર્યો અને ત્યાં રોકાયેલા તેમના આતંકવાદીઓને મુક્ત કરવાનો પ્રયાસ કર્યો. હસાકેહ શહેરમાં આવેલી ગેરવાન જેલમાં લગભગ 3,000 કેદીઓ છે, જે કુર્દિશની આગેવાની હેઠળના દળો દ્વારા નિયંત્રિત છે. તેઓ કહે છે કે કેદીઓએ હંગામો કર્યો અને ભાગવાનો પ્રયાસ કર્યો. બંદૂકધારીઓએ સુરક્ષા દળો સાથે પણ ઝપાઝપી કરી હતી.

આ પણ વાંચો –

Ghana Blast: ઘાનામાં વિસ્ફોટકો ભરેલી ટ્રકમાં જોરદાર વિસ્ફોટ, 500 ઈમારતો નષ્ટ, અત્યાર સુધીમાં 17ના મોત, 59 ઘાયલ

આ પણ વાંચો –

Boeing Aircrafts: બોઇંગ 777 અથવા 717, 737… ક્યારેય વિચાર્યું છે કે દરેક બોઇંગ એરક્રાફ્ટ 7 નંબરથી જ કેમ શરૂ થાય છે?

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">