AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેવાળિયા પાકિસ્તાનના અમેરિકા સ્થિત દૂતાવાસની ઈમારત ખરીદવા ભારતીયે લગાવી બોલી, જાણો શુ છે તેની કિંમત

દેવાળિયા બનેલ પાકિસ્તાને અમેરિકા સ્થિત તેના દૂતાવાસની ઈમારત વેચવા કાઢી છે. આ ઈમારતમાં અગાઉ પાકિસ્તાનના દૂતાવાસનું સંરક્ષણ વિભાગ કામ કરતું હતું. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ મુજબ બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલ ભારતીયે કથિત રીતે $5 મિલિયન (રૂ. 41.42 કરોડ)ની બોલી લગાવી છે.

દેવાળિયા પાકિસ્તાનના અમેરિકા સ્થિત દૂતાવાસની ઈમારત ખરીદવા ભારતીયે લગાવી બોલી, જાણો શુ છે તેની કિંમત
Embassy of Pakistan in Washington
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2022 | 8:53 AM
Share

આર્થિક રીતે ભાંગી પડેલા પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે અમેરિકા આવેલ તેમના દૂતાવાસની ઇમારતને વેચવાની મંજૂરી આપી હતી. હવે તેને ખરીદવા માટે બોલી પણ લગાવવામાં આવી છે. એક ભારતીય પ્રોપર્ટી એજન્ટે પણ આ ઈમારત ખરીદવા માટે બિડ લગાવી છે. પાકિસ્તાનના દૂતાવાસની ઈમારત ખરીદવા માંગનારાઓમાં કુલ ત્રણ બિડર્સ છે. આ ઈમારત અમેરિકાની રાજધાની વોશિંગ્ટનના પોશ વિસ્તારમાં આવેલી છે અને તેની કિંમત લગભગ 6 મિલિયન યુએસ ડોલર હોવાનું કહેવાય છે.

જાણો શુ છે આ ઈમારતની કિંમત

પાકિસ્તાને વેચવા કાઢેલ ઈમારતમાં અગાઉ પાકિસ્તાનના દૂતાવાસનું સંરક્ષણ વિભાગ કામ કરતું હતું. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ મુજબ, ભારતીય પ્રોપર્ટી એજન્ટે કથિત રીતે $5 મિલિયન (રૂ. 41.42 કરોડ)ની બોલી લગાવી છે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટન સ્થિત પાકિસ્તાની રાજદ્વારી સૂત્રોને ટાંકિને અહેવાલમાં જણાવ્યું છે કે લગભગ $6.8 મિલિયન (રૂ. 56.33 કરોડ)ની સૌથી વધુ બોલી એક યહૂદી જૂથે લગાવી હતી. આ યહૂદી જૂથ આ ઈમારતમાં સિનેગોગ એટલે કે પ્રાર્થના કરવાનું સ્થળ બનાવવા માંગે છે. લગભગ $4 મિલિયન (રૂ. 33.13 કરોડ)ની ત્રીજી બોલી પાકિસ્તાની પ્રોપર્ટી એજન્ટની છે.

પાકિસ્તાનનુ સંરક્ષણ વિભાગ કામ કરતુ હતુ

પાકિસ્તાની દૂતાવાસના અધિકારીઓએ કહ્યું છે કે વોશિંગ્ટનમાં પાકિસ્તાનની ત્રણ રાજદ્વારી મિલકતો આવેલી છે. જેમાંથી એક આર સ્ટ્રીટ NW પરની ઈમારત છે. જે વેચાઈ રહી છે. 1950ના દાયકાથી લઈને 2000ના દાયકાની શરૂઆત સુધી પાકિસ્તાન એમ્બેસીના ડિફેન્સ સેક્શન આ બિલ્ડિંગમાં બેસીને કામકાજ કરતુ હતું. જો કે, પાકિસ્તાની અધિકારીઓએ મીડિયા રિપોર્ટ પ્રકાશીત કરનારને એવુ જણાવ્યું હતું કે નવા કે જૂના કોઈ દૂતાવાસને વેચવાના નથી.

દૂતાવાસના અધિકારીએ જણાવ્યું કે તે ખૂબ જ જૂની ઇમારત છે અને છેલ્લા 15 વર્ષથી ખાલી છે. પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ પ્રધાન મરિયમ ઔરંગઝેબે કહ્યું હતું કે, કેબિનેટે વોશિંગ્ટનમાં આવેલ પાકિસ્તાની દૂતાવાસની માલિકીની ઇમારતની હરાજી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે $4.5 મિલિયનની અગાઉની બિડને હવે $6.9 મિલિયનની બીજી બિડ દ્વારા બદલવામાં આવી છે.

સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
g clip-path="url(#clip0_868_265)">