AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : એલર્ટ.. મહા યુદ્ધના ભણકારા વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ઈરાનમાં રહેતા લોકો..

ઈરાનમાં વધતા તણાવ વચ્ચે ભારત સરકારે ત્યાં રહેલા ભારતીય નાગરિકો માટે મહત્વપૂર્ણ સલાહ જારી કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિના અલ્ટીમેટમ બાદ આગામી 48 કલાક સંવેદનશીલ છે.

Breaking News : એલર્ટ.. મહા યુદ્ધના ભણકારા વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ઈરાનમાં રહેતા લોકો..
| Updated on: Apr 07, 2026 | 9:58 PM
Share

ઈરાનમાં વધતી તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ત્યાં રહેલા ભારતીય નાગરિકો માટે મહત્વપૂર્ણ સલાહ જારી કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump દ્વારા આપવામાં આવેલા અલ્ટીમેટમ બાદ આગામી 48 કલાક ખૂબ જ સંવેદનશીલ ગણાઈ રહ્યા છે, જેના કારણે આ એડ્વાઇઝરી બહાર પાડવામાં આવી છે.

સંવેદનશીલ વિસ્તારોમાંથી દૂર રહેવાની સલાહ

સલાહ મુજબ, ઈરાનમાં રહેલા ભારતીયોએ આગામી 48 કલાક સુધી જ્યાં છે ત્યાં જ રહેવું જોઈએ અને અનાવશ્યક બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને વીજળીના પ્લાન્ટ, લશ્કરી સ્થાનો અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાંથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. ઉપરાંત, બહુમાળી ઈમારતોના ઉપરના માળે જવાનું પણ ટાળવું અને શક્ય હોય ત્યાં સુધી ઘરની અંદર સુરક્ષિત રહેવું વધુ યોગ્ય ગણાવવામાં આવ્યું છે.

ભારતીય દૂતાવાસે પણ સ્પષ્ટ જણાવ્યું છે કે હાઈવે પર મુસાફરી કરવાની જરૂર પડે તો તે પહેલાં દૂતાવાસ સાથે યોગ્ય સંકલન કરવું જરૂરી છે. જે નાગરિકો દૂતાવાસ દ્વારા બુક કરાયેલા હોટેલોમાં રહે છે, તેમને ત્યાં જ રહેવા અને દૂતાવાસ ટીમ સાથે સતત સંપર્કમાં રહેવા સૂચના આપવામાં આવી છે.

સત્તાવાર માહિતી અને અપડેટ્સ પર સતત નજર રાખવાની પણ ખાસ અપીલ કરવામાં આવી છે, જેથી કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લઈ શકાય.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દૂતાવાસે ઇમરજન્સી સંપર્ક માટે હેલ્પલાઈન નંબરો અને ઇમેઇલ પણ જાહેર કર્યા છે:

મોબાઇલ નંબર : +989128109115, +989128109102, +989128109109, +989932179359 ઇમેઇલ: cons.tehran@mea.gov.in

ભારત સરકારે તમામ નાગરિકોને શાંતિ રાખવા, સાવચેતી રાખવા અને સત્તાવાર માર્ગદર્શનનું પાલન કરવા અપીલ કરી છે.

હવે ફાટશે ન્યુક્લિયર બોમ્બ! અમેરિકા ઈરાન સામે ખોફનાક તૈયારી – રિપોર્ટ

Follow Us
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">