AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતે પાકિસ્તાન પર કરી ડિજિટલ સ્ટ્રાઈક ! આપ્યો પહેલગામ હુમલાનો વળતો જવાબ

પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે વધુ એક કડક પગલું ભર્યું છે. તેણે પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઈક કર્યું છે. ભારતે પાકિસ્તાન સરકારના સોશિયલ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે.

ભારતે પાકિસ્તાન પર કરી ડિજિટલ સ્ટ્રાઈક ! આપ્યો પહેલગામ હુમલાનો વળતો જવાબ
india did digital strike banned pakistan official x account
Follow Us:
| Updated on: Apr 24, 2025 | 3:26 PM

પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે વધુ એક કડક પગલું ભર્યું છે. તેણે પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. ભારતે પાકિસ્તાન સરકારના સોશિયલ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતે અગાઉ બુધવારે સાંજે CCS બેઠકમાં પાંચ મોટા નિર્ણયો લીધા હતા. તેમાં અટારી બોર્ડર બંધ કરવાનો પણ સમાવેશ થતો હતો. હવે ભારતે સોશિયલ મીડિયા અંગે મોટી કાર્યવાહી કરી છે.

ભારતે કરી ડિજિટલ સ્ટ્રાઈક !

ભારતે ભારતમાં પાકિસ્તાનના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે પાકિસ્તાનનું એકાઉન્ટ ભારતમાં દેખાશે નહીં. CCS બેઠકમાં ભારતે તેના માટે પાંચ મોટા નિર્ણયો લીધા. આમાં સિંધુ જળ સંધિથી લઈને અટારી સરહદ સુધી કડક પગલાં લેવામાં આવ્યા. આ પછી, પાકિસ્તાનમાં ભયનું વાતાવરણ છે. તે સર્જિકલ સ્ટ્રાઈકથી પણ ડરી રહ્યું છે. પરંતુ હાલમાં ભારતે ડિજિટલ સ્ટ્રાઈક કરી છે.

સારા તેંડુલકરે પોતાની લાગણીઓ ખુલ્લેઆમ વ્યક્ત કરી !
વિરાટ અને રોહિતનું ગજબ કનેક્શન, એકસમાન રેકોર્ડ અને નિર્ણયનો વિચિત્ર સંયોગ
Jioનો ડેટા વગરનો પ્લાન, 1 વર્ષ સુધી સીમકાર્ડ રહેશે એક્ટિવ
Uric Acid વધે ત્યારે ખાલી પેટ શું ખાવું?
જુડવા બાળકોની માતા 50 વર્ષની અભિનેત્રી, જુઓ પરિવાર
શું મીઠા દહીંના સેવનથી સુગર લેવલ વધે છે?

NIA એ જમ્મુ અને કાશ્મીર પોલીસ સાથે તપાસ શરૂ કરી –

પહલગામ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા છે. આ બાબતને લઈને, NIA ટીમ બુધવારે શ્રીનગર અને પછી પહેલગામ પહોંચી. NIA ટીમે તેની તપાસ શરૂ કરી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ પણ તેની સાથે કામ કરી રહી છે. NIA ને ચેટ મળી ગઈ છે. તે તેને ડીકોડ કરવાનો પ્રયાસ કરી રહી છે.

CCS બેઠકમાં લેવામાં આવેલા મુખ્ય નિર્ણયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સાંજે CCS બેઠકમાં ભાગ લીધો હતો. તેમાં પાકિસ્તાન વિરુદ્ધ પાંચ મુખ્ય નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ પછી, ગુરુવારે પહેલગામ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ કસુરીનો એક વીડિયો બહાર આવ્યો. તેમાં તેણે કહ્યું હતું કે પહેલગામ હુમલા સાથે મારો કોઈ લેવાદેવા નથી.

ભારતીય સેનાએ ઉરીમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા

ભારતીય સેનાએ બુધવારે ઉરીમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા. આ આતંકવાદીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. હવે ગુરુવારે પણ ભારતીય સેનાનું આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર થયું. જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સેનાના જવાનો આતંકવાદીઓ સાથે અથડામણ થઈ. આ આતંકવાદીઓ દુદુ બસંતગઢના પહાડોમાં છુપાયેલા છે. સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે

g clip-path="url(#clip0_868_265)">