AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: ઈમરાન ખાન 5 વર્ષ સુધી નહીં લડી શકે ચૂંટણી, તોશાખાના કેસમાં ઠેરવાયા છે ગેરલાયક

ઈમરાન ખાનને કોર્ટમાંથી સજા મળ્યા બાદ તરત જ ધરપકડ કરવામાં આવી હતી અને તેને પંજાબની એટોક જેલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. ખાન એટોક જેલમાં બંધ હોય એવા પહેલા વડાપ્રધાન બન્યા છે.

Pakistan: ઈમરાન ખાન 5 વર્ષ સુધી નહીં લડી શકે ચૂંટણી, તોશાખાના કેસમાં ઠેરવાયા છે ગેરલાયક
Image Credit source: Tv9 ભારતવર્ષ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2023 | 10:05 AM
Share

Pakistan: તોશાખાના કેસમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને (Imran Khan) દોષિત ઠેરવ્યા બાદ પાકિસ્તાનનું ચૂંટણી પંચ હવે એક્શન મોડમાં આવી ગયું છે. પંચે ઈમરાન ખાનને પાંચ વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા છે. તમને જણાવી દઈએ કે ઈસ્લામાબાદની ટ્રાયલ કોર્ટે ગયા અઠવાડિયે જ ઈમરાન ખાનને તોશાખાના કેસમાં દોષી ઠેરવ્યો હતો અને ત્રણ વર્ષની સજા સંભળાવી હતી. કોર્ટમાંથી સજા મળતાં જ તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને પંજાબની એટોક જેલમાં બંધ કરી દેવામાં આવ્યો હતો. ખાન એટોક જેલમાં બંધ એવા પહેલા વડાપ્રધાન બન્યા છે.

આ પણ વાંચો: Pakistan News : આર્મી હેડક્વાર્ટરમાં શાહબાઝ શરીફને આપવામાં આવી વિદાય, આવતીકાલે વડાપ્રધાન પદ પરથી આપી શકે છે રાજીનામું

પાકિસ્તાનમાં જે રીતે આર્થિક સંકટની સ્થિતિ પ્રવર્તી રહી છે તે જોતા આ વર્ષના અંતમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની નિશ્ચિત છે. આવી સ્થિતિમાં જે રીતે ઈમરાન ખાનની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યો છે અને તેના પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તેને પાકિસ્તાનની રાજનીતિમાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનમાં વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 12 ઓગસ્ટે પૂર્ણ થશે. આવી સ્થિતિમાં પાકિસ્તાનમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થોડા દિવસોમાં થઈ શકે છે.

શું છે તોશાખાના કેસ, જેમાં ફસાયા છે ઈમરાન ખાન

તોશાખાના એ પાકિસ્તાનના કેબિનેટ વિભાગનો એક વિભાગ છે. આ વિભાગ સરકારી અધિકારીઓ, નેતાઓ અને મહાનુભાવોને મળેલી વિદેશી ભેટોનો સંગ્રહ કરે છે. કાયદા અનુસાર, વડાપ્રધાન અને રાજ્યના વડા તેમની સાથે 30,000 રૂપિયાથી ઓછી કિંમતની ભેટ જ રાખી શકે છે. આવી સ્થિતિમાં 30 હજારથી વધુ કિંમતની તમામ ભેટ તોશાખાનામાં રાખવી ફરજિયાત છે. જો કે ઈમરાને તેમાં પણ ચોરી કરી હોવાની વાત હતી.

પાકિસ્તાન ચૂંટણી પંચે 2018માં ફરિયાદ દાખલ કરી હતી

પાકિસ્તાનના ચૂંટણી પંચે ઈમરાન ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ઈમરાન ખાને વર્ષ 2018 અને 2019માં વિદેશમાંથી મળેલી ભેટ છુપાવી હતી. ધ ડોનના અહેવાલ મુજબ, સત્તામાં આવ્યા પછી, ભૂતપૂર્વ વડા પ્રધાને સપ્ટેમ્બર 2018 સુધી 100 મિલિયન પાકિસ્તાની રૂપિયાથી વધુની ભેટ છુપાવી હતી અને આ માટે તેમણે 20.1 મિલિયન ચૂકવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">