AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan News : આર્મી હેડક્વાર્ટરમાં શાહબાઝ શરીફને આપવામાં આવી વિદાય, આવતીકાલે વડાપ્રધાન પદ પરથી આપી શકે છે રાજીનામું

પાકિસ્તાનમાં આ વર્ષના અંતમાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન શાહબાઝ શરીફ 9 ઓગસ્ટે પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. સંસદના નીચલા ગૃહનો કાર્યકાળ 12 ઓગસ્ટે સમાપ્ત થાય છે. પરંતુ શાહબાઝ તેને 9 ઓગસ્ટે વિસર્જન કરવા માંગે છે.

Pakistan News : આર્મી હેડક્વાર્ટરમાં શાહબાઝ શરીફને આપવામાં આવી વિદાય, આવતીકાલે વડાપ્રધાન પદ પરથી આપી શકે છે રાજીનામું
shehbaz sharif
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2023 | 11:51 PM
Share

Pakistan News : પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ (shehbaz sharif) બુધવારે રાજીનામું આપી શકે છે કારણ કે તેમના નેતૃત્વ હેઠળની ગઠબંધન સરકાર તેમના કાર્યકાળ પહેલા નેશનલ એસેમ્બલીનું વિસર્જન કરવા તૈયાર છે. પાકિસ્તાનમાં આ વર્ષના અંતમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. સંસદના નીચલા ગૃહનો પાંચ વર્ષનો કાર્યકાળ 12 ઓગસ્ટે સમાપ્ત થાય છે, પરંતુ વડાપ્રધાન શરીફ 9 ઓગસ્ટના રોજ તેને વિસર્જન કરે તેવી શક્યતા છે.

આર્મી હેડક્વાર્ટરની મુલાકાત લીધી

ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના પૂર્વ નેતા શાહબાઝ શરીફ રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને સલાહ મોકલશે. જો રાષ્ટ્રપતિ વિલંબ કરે છે, તો વડાપ્રધાનની સલાહના 48 કલાકની અંદર વિધાનસભા ભંગ કરવામાં આવશે. શાહબાઝ શરીફે રાવલપિંડીમાં પાકિસ્તાન આર્મી હેડક્વાર્ટરની મુલાકાત લીધી અને સંકેત આપ્યો કે તેઓ પદ છોડી શકે છે.

આ પણ વાંચો Russia Ukraine War: યુદ્ધના મેદાનમાં ઉતરશે પુતિનની ડ્રોન સેના, આકાશમાંથી આગ વરસાવવાનો મેગા પ્લાન

શાહબાઝે રવિવારે એક રેલીમાં કહ્યું હતું કે તેઓ 9 ઓગસ્ટે સંસદ ભંગ કરશે અને પાકિસ્તાનના લોકો નવેમ્બર 2023માં વોટ દ્વારા તેમની સરકાર પસંદ કરશે. પાકિસ્તાનના ચૂંટણી પંચે હજુ સુધી સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત કરી નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર વડાપ્રધાન શરીફે મંગળવારે જનરલ હેડક્વાર્ટર (GHQ)ની તેમની વિદાય મુલાકાત લીધી હતી, જે સરકારના વડા તરીકેના તેમના કાર્યકાળમાં એક મહત્વપૂર્ણ ક્ષણ દર્શાવે છે. આર્મી ચીફ જનરલ અસીમ મુનીર દ્વારા વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઈસ્લામાબાદમાં એક કાર્યક્રમને સંબોધતા શાહબાઝ શરીફે કહ્યું કે આવતીકાલે અમારી સરકારનો કાર્યકાળ કર્યા થયા બાદ હું રાષ્ટ્રપતિને વિધાનસભા ભંગ કરવા માટે પત્ર લખીને ભલામણ કરીશ. આ પછી વચગાળાની સરકાર સત્તા સંભાળશે. જો રાષ્ટ્રપતિ અલ્વી પીએમની સલાહ ન સ્વીકારે તો તેના 48 કલાકમાં વિધાનસભા ભંગ કરી દેવામાં આવશે.

રાજકીય વિશ્લેષકોએ જણાવ્યું હતું કે PML-Nની આગેવાની હેઠળની ગઠબંધન સરકાર વધુ બે દિવસ સત્તામાં રહી શકે છે અને 11 ઓગસ્ટે સંસદને ભંગ કરી શકે છે, પરંતુ એવી આશંકા છે કે રાષ્ટ્રપતિ અલ્વી તરત જ નેશનલ એસેમ્બલીને ભંગ કરવાની સૂચના બહાર પાડવાનો ઇનકાર કરી શકે છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">