AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓસ્ટ્રેલિયાએ વિદેશીઓ માટે ખોલ્યા પોતાના દરવાજા, પ્રવાસીઓનો આવવાનો ધસારો શરૂ, આ બાબતનું રાખવું પડશે ધ્યાન

ઓસ્ટ્રેલિયાએ કોવિડ-19ના કેસોની સંખ્યા ધીમી કરવાના પ્રયત્નમાં માર્ચ 2020માં નાગરિકો અને રહેવાસીઓ સિવાય લગભગ દરેક માટે તેની સરહદો બંધ કરી દીધી હતી.

ઓસ્ટ્રેલિયાએ વિદેશીઓ માટે ખોલ્યા પોતાના દરવાજા, પ્રવાસીઓનો આવવાનો ધસારો શરૂ, આ બાબતનું રાખવું પડશે ધ્યાન
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 11:46 AM
Share

ઓસ્ટ્રેલિયન (Australia) સરકારે લગભગ બે વર્ષ પછી કોવિડ-19 પ્રતિબંધોને (Covid-19 Restrictions) હળવા કર્યા બાદ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ અને ઉદ્યોગપતિઓ સોમવારથી કેટલીક શરતો સાથે દેશમાં આવવા લાગ્યા છે. ઓસ્ટ્રેલિયા વિશ્વના તે દેશોમાંથી એક હતું, જેણે કોરોના મહામારી (Coronavirus Pandemic) ને કારણે કેટલાક ખૂબ જ કડક પગલાં લીધા હતા. લગભગ બે વર્ષ પછી રસીકરણ પૂર્ણ કરનાર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું સિડની એરપોર્ટ પર શુભેચ્છકો દ્વારા કોઆલાનું રમકડું બતાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

તેમને ઑસ્ટ્રેલિયાના કેટલાક જાણીતા ખાદ્યપદાર્થો આપવામાં આવ્યા હતા, જેમાં ટિમ ટેક ચોકલેટ બિસ્કિટ અને વેજેમાઈટની બોટલનો સમાવેશ થાય છે. લોસ એન્જલસથી ક્વાન્ટાસ ફ્લાઈટમાં પ્રથમ મુસાફરોને આવકારવા માટે ફેડરલ ટુરિઝમ મિનિસ્ટર ડેન તેહાન સ્થાનિક સમય અનુસાર સવારે 6.20 વાગ્યે હાજર હતા. તેમણે ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટ કોર્પ ટેલિવિઝનને કહ્યું, ‘હું માનું છું કે અમારું પ્રવાસન બજાર ફરીથી મજબૂત રીતે ઉભરી આવશે. અમારા અદ્ભુત અનુભવોનો અંત આવ્યો નથી.

રસીકરણના સ્ટેટસની થશે તપાસ

ગૃહપ્રધાન કેરેન એન્ડ્રુએ કહ્યું કે તમામ મુસાફરોના રસીકરણની સ્થિતિની તપાસ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા પહેલા કરવામાં આવશે, જેથી ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ જેવી સ્થિતિ ઊભી ના થાય. ઉલ્લેખનીય છે કે જોકોવિચને ઓસ્ટ્રેલિયા રવાના થયા પહેલા સ્પેનમાં ઓટોમેટિક પ્રક્રિયા દ્વારા વિઝા આપવામાં આવ્યા હતા પણ મેલબોર્ન પહોંચવા પર કોરોનાના નિયમોના કારણે તેમને પરત મોકલવામાં આવ્યા હતા. આ મુદ્દો ઘણો ચર્ચામાં રહ્યો હતો અને ઓસ્ટ્રેલિયાને તેના કડક નિયમોના કારણે દુનિયાભરમાં આલોચનઓનો સામનો પણ કરવો પડ્યો હતો.

માર્ચ 2020માં બંધ કરી હતી સરહદો

ઓસ્ટ્રેલિયાએ કોવિડ-19ના કેસોની સંખ્યા ધીમી કરવાના પ્રયત્નમાં માર્ચ 2020માં નાગરિકો અને રહેવાસીઓ સિવાય લગભગ દરેક માટે તેની સરહદો બંધ કરી દીધી હતી. મુસાફરી પ્રતિબંધ હેઠળ લોકો કોઈપણ છૂટ વિના વિદેશ પ્રવાસ કરી શકતા નહતા. તેમને દેશમાં પ્રવેશવા માટે કડક નિયમોનું પણ પાલન કરવું પડતું હતું. આ દરમિયાન પશ્ચિમ ઓસ્ટ્રેલિયાને સોમવારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યું ન હતું, ત્યાં 3 માર્ચ સુધી કોઈ પ્રવેશ થશે નહીં.

આ પણ વાંચો: Yemen: યમનના હજ્જામાં લડાઈ વધી, સાઉદી ગઠબંધનના હુમલામાં ઓછામાં ઓછા 156 હુતી બળવાખોરો માર્યા ગયા, અનેક વાહનો નાશ પામ્યા

આ પણ વાંચો: Covid-19: દેશમાં કોરોના સંક્રમણના 16051 નવા કેસ, છેલ્લા 24 કલાકમાં 206 દર્દીઓના મોત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">