આ તો સેન્ય છે કે વેપારી પેઢી, વિવિધ વસ્તુઓ વેચવા માટે 50 કંપનીઓ ચલાવે છે પાકિસ્તાન આર્મી
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. આ આતંકી હુમલા પછી ભારતીય સરકારે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનું નક્કી કર્યું છે. જો કે, એવામાં એક સવાલ એ છે કે પાકિસ્તાની સેના પાસે કેટલા પૈસા અને જમીન છે?

પાકિસ્તાનમાં સેનાને સૌથી મોટું ભૂમિ માફિયા માનવામાં આવે છે અને દેશનો બિઝનેસ પણ સેના દ્વારા નિયંત્રિત થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન આર્મી લગભગ 50 કંપનીઓ ચલાવી રહી છે. આ માટે પાકિસ્તાની સેનાએ 5 ટ્રસ્ટ બનાવી છે. આમાં આર્મી વેલ્ફેર ટ્રસ્ટ, ફૌજી ફાઉન્ડેશન, શાહીન ફાઉન્ડેશન, બહરિયા ફાઉન્ડેશન અને ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટીઝનો સમાવેશ થાય છે.
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. આ આતંકી હુમલા પછી ભારતીય સરકારે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનું નક્કી કર્યું છે. જો કે, એવામાં એક સવાલ એ છે કે પાકિસ્તાની સેના પાસે કેટલા પૈસા અને જમીન છે ?
સેના લગભગ 50 કંપનીઓ ચલાવી રહી છે
પાકિસ્તાનમાં સેનાને સૌથી મોટું ભૂમિ માફિયા માનવામાં આવે છે અને દેશનો વ્યવસાય પણ સેના દ્વારા નિયંત્રિત થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન આર્મી લગભગ 50 કંપનીઓ ચલાવી રહી છે. પાકિસ્તાની સેનાએ 5 ટ્રસ્ટ બનાવી છે. જેમાં આર્મી વેલ્ફેર ટ્રસ્ટ, ફૌજી ફાઉન્ડેશન, શાહીન ફાઉન્ડેશન, બહરિયા ફાઉન્ડેશન અને ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટીઝનો સમાવેશ થાય છે.
સેનાનો બિઝનેસ $40 બિલિયનનો
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાની સેના પેટ્રોલ પંપ, ઇન્ડસ્ટ્રિયલ પાર્ક, બેંકો, બેકરીઓ, શાળા-કોલેજો, વીમા, ખાતર, હોઝિયરી કંપનીઓ, ડેરી ફાર્મ અને સિમેન્ટ પ્લાન્ટ પણ ચલાવે છે. કહેવાય છે કે, બિઝનેસમાંથી મળતો નફો નિવૃત્ત સૈનિકોમાં વહેંચવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાની સેનાનો વ્યવસાય લગભગ 40 અબજ ડોલરનો છે જે તેમના કુલ અર્થતંત્રના 10 ટકા જેટલો છે. આટલું જ નહીં, પાકિસ્તાન આર્મી દેશની સૌથી મોટી રિયલ એસ્ટેટ ડેવલપર પણ છે. દેશભરમાં તેમની પાસે 50થી વધુ હાઉસિંગ પ્રોજેક્ટ્સ છે.
ઇસ્લામાબાદમાં 16 હજાર એકર જમીન છે
સેના પાસે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં લગભગ 16 હજાર એકર અને કરાચીમાં 12 હજાર એકર જમીન છે. જ્યારે પણ દેશમાં કોઈ સૈન્ય અધિકારી નિવૃત્ત થાય છે, ત્યારે તેને ભેટ તરીકે પ્લોટ આપવામાં આવે છે. આ સિવાય દેશના 8 મોટા શહેરોમાં એટલે કે કરાચી, લાહોર, રાવલપિંડી, ઇસ્લામાબાદ, મુલતાન, ગુજરાંવાલા, બહાવલપુર, પેશાવર અને ક્વેટામાં ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટીની પણ સ્થાપના કરવામાં આવી છે.
આર્મી વેલ્ફેર ટ્રસ્ટ 16 કંપનીઓ દ્વારા ચલાવવામાં આવે છે, જ્યારે ફૌજી ફાઉન્ડેશન 15 કંપનીઓ દ્વારા ચલાવવામાં આવે છે. વાયુસેનાનું શાહીન ટ્રસ્ટ 11 કંપનીઓ ચલાવે છે અને બહરિયા ફાઉન્ડેશન એ નિવૃત્ત નૌકાદળ અધિકારીઓનું ટ્રસ્ટ છે.
આર્થિક રીતે તુટી પડેલા અને વૈશ્વિકસ્તરે આતંકની ફેકટરી ગણાતા પાકિસ્તાનને લગતા અનેક નાના મોટા મહત્વના સમાચાર અંગે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.