હેરી પોટરની લેખીકાને જાનથી મારી નાખવાની ધમકી, રશ્દીના હુમલાખોરો પર સેવાઇ રહી છે શંકા

એવું કહેવામાં આવી રહ્યું છે કે જેકે રોલિંગે લેખક સલમાન રશ્દી પર હુમલો પર વિરોધ વ્યક્ત કર્યો હતો, તેના સંદર્ભમાં હુમલાખોરોએ તેને ધમકી આપી હોવાની આશંકા છે.

હેરી પોટરની લેખીકાને જાનથી મારી નાખવાની ધમકી, રશ્દીના હુમલાખોરો પર સેવાઇ રહી છે શંકા
jk-rowling
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2022 | 2:25 PM

લોકપ્રિય હેરી પોટર પુસ્તકના લેખક જેકે રોલિંગને પણ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લેખક સલમાન રશ્દી પર હુમલો કરનાર વ્યક્તિના સમર્થક દ્વારા જેકે રોલિંગને ધમકી આપવામાં આવી છે. માહિતી સામે આવી છે કે તેને ઈરાન સમર્થિત જૂથ સાથે જોડાયેલા લોકો દ્વારા ધમકી આપવામાં આવી છે. ટ્વિટર પર તેને ધમકી આપતા લખવામાં આવ્યું હતું કે, ‘ગભરાશો નહીં, તમે આગામી છો.’

લોકપ્રિય પુસ્તક હેરી પોટરના લેખક જેકે રોલિંગે તાજેતરમાં સલમાન રશ્દી પર થયેલા હુમલા અંગે ભય વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન હુમલાખોરના એક સમર્થકે તેને ધમકી આપી છે. તમને જણાવી દઈએ કે અગાઉ રોલિંગ જેન્ડર પર તેના વિચારોને કારણે તે ટ્રાન્સ એક્ટિવિસ્ટના નિશાના પર પણ આવી ચુકી છે.

રશ્દીના હુમલાખોરે કબૂલાત કરી ન હતી

તે જ સમયે, પ્રખ્યાત નવલકથાકાર સલમાન રશ્દી પર ચાકુથી હુમલો કરવાના આરોપી હાદી માતરે પોતાનો ગુનો કબૂલ્યો નથી. ન્યૂ જર્સીના રહેવાસી 24 વર્ષીય માતર પર હત્યાના પ્રયાસ અને હુમલાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ન્યૂયોર્ક સ્ટેટ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે માતરે દોષ કબૂલ કર્યો નથી અને તેને ચૌટૌકા કાઉન્ટી જેલમાં રાખવામાં આવ્યો છે. ન્યૂયોર્ક સ્ટેટ પોલીસે જણાવ્યું હતું કે ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ શુક્રવારે હત્યાના પ્રયાસ અને હુમલાના આરોપમાં માતરની ધરપકડ કરી હતી.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

રશ્દીની હાલત પહેલાથી જ સુધરી રહી છે

ચૌટૌકા સંસ્થાના પ્રમુખ માઈકલ હિલે કહ્યું કે સલમાન રશ્દી હવે વેન્ટિલેટર પર નથી અને વાત કરી રહ્યા છે. જાણીતા લેખક રશ્દી પર ચૌટૌકા ઇન્સ્ટિટ્યૂશનમાં એક કાર્યક્રમમાં સ્ટેજ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જે બાદ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હિલે શનિવારે રાત્રે ટ્વિટ કર્યું હતું કે, સલમાન રશ્દી હવે વેન્ટિલેટર પર નથી અને વાતચીતમાં છે. દરેક વ્યક્તિ પ્રાર્થના કરી રહ્યો છે. 75 વર્ષીય રશ્દી પશ્ચિમી ન્યૂયોર્ક રાજ્યની ચૌટૌકા સંસ્થામાં શુક્રવારે એક કાર્યક્રમમાં 24 વર્ષીય હાદી માતર દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ તેઓ વેન્ટિલેટર પર હતા. હુમલાના ઘણા કલાકો બાદ રશ્દીની સર્જરી કરવામાં આવી હતી અને તેમના એજન્ટ એન્ડ્રુ વાયલીએ ધ ન્યૂ યોર્ક ટાઈમ્સને જણાવ્યું હતું કે લેખક વેન્ટિલેટર પર હતા અને બોલી શકતા નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">