Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: યુક્રેનની મદદ માટે આગળ આવ્યા ફ્રાન્સ સહિત ઘણા દેશ, જર્મની મોકલશે એન્ટી ટેન્ક હથિયાર

નેધરલેન્ડને યુક્રેનને જર્મન બનાવટની 400 એન્ટી-ટેન્ક હથિયારો મોકલવાની મંજૂરી આપવામાં આવી રહી છે. જર્મન ચાન્સેલર ઓલાફ શુલ્ટ્ઝે કહ્યું કે યુક્રેન પર રશિયાનો હુમલો એક મહત્વપૂર્ણ ઘટના છે.

Russia Ukraine War: યુક્રેનની મદદ માટે આગળ આવ્યા ફ્રાન્સ સહિત ઘણા દેશ, જર્મની મોકલશે એન્ટી ટેન્ક હથિયાર
President of Ukraine with soldiers.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 7:51 AM

રશિયા અને યુક્રેન (Russia Ukraine Crisis) વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેનો આજે ચોથો દિવસ છે. આ દરમિયાન યુક્રેનની મદદ માટે ઘણા દેશો આગળ આવ્યા છે. જર્મનીની (Germany) સરકારે શનિવારે પુષ્ટિ કરી કે તેણે યુક્રેનને એન્ટી ટેન્ક મોકલવાની મંજૂરી આપી છે અને રશિયાની “સ્વિફ્ટ” બેંકિંગ સિસ્ટમ પર કેટલાક પ્રતિબંધોને સમર્થન આપ્યું છે. જર્મનીના આર્થિક અને આબોહવા મંત્રાલયે શનિવારે સાંજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નેધરલેન્ડને યુક્રેનને જર્મન બનાવટની 400 એન્ટી-ટેન્ક હથિયારો મોકલવાની મંજૂરી આપવામાં આવી રહી છે. જર્મન ચાન્સેલર ઓલાફ શુલ્ટ્ઝે કહ્યું કે યુક્રેન પર રશિયાનો હુમલો એક મહત્વપૂર્ણ ઘટના છે. આનાથી યુદ્ધ પછીની આપણી સિસ્ટમને ખતરો છે. તેમણે કહ્યું કે આ સ્થિતિમાં વ્લાદિમીર પુતિનની આક્રમક સેના સામે લડવામાં યુક્રેનની મદદ કરવાની જવાબદારી અમારી છે.

AFP ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ જર્મની યુક્રેનને 1,000 એન્ટી-ટેન્ક હથિયારો, 500 ‘સ્ટિંગર’ જમીનથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલો મોકલશે. તે જ સમયે, ફ્રાન્સ યુક્રેનને વધુ લશ્કરી સાધનો આપશે અને રશિયા સામે પ્રતિબંધો લાદશે. AFPએ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના કાર્યાલયના હવાલાથી આ વાત કહી.

આજનું રાશિફળ તારીખ 19-03-2025
ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓને હીરા જડિત સોનાની વીંટીથી નવાજવામાં આવ્યા
વિરાટ કોહલીએ IPLમાં 'પ્લેયર ઓફ ધ મેચ' બની કેટલી કમાણી કરી ?
અભિનેતાએ પત્ની સામે કહ્યું મને 4 વખત લગ્ન કરવાની છૂટ છે, જુઓ ફોટો
IPLમાં ચીયરલીડર્સને કેટલો પગાર મળે છે ?
રાત્રે આ લક્ષણો દેખાય તો સમજી જાઓ વધી રહ્યુ છે BP

અમેરિકાએ 350 મિલિયન ડોલરની મદદની કરી જાહેરાત

આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને (Joe Biden) સૈન્ય સહાય માટે 350 મિલિયન ડોલર આપવાની જાહેરાત કરી છે. બાયડને યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકનને ફોરેન એઈડ એક્ટ હેઠળ સહાય આપવા સૂચના આપી હતી. સહાયની રકમ યુક્રેનના સંરક્ષણને ધ્યાનમાં રાખીને આપવામાં આવશે, જેથી તેમને સૈન્ય સહાય આપી શકાય. આ મદદ અમેરિકા તરફથી ત્યારે કરવામાં આવી છે, જ્યારે યુક્રેન ભારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યું છે.

આ પહેલા યુએસ સરકારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને (Volodymyr Zelensky) ઓફર કરી હતી કે તેઓ દેશ છોડી શકે છે, પરંતુ તેમણે તેનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. અમેરિકાને જવાબ આપતા તેમણે કહ્યું કે જો આપવો હોય તો દારૂગોળો આપો. તેમણે કહ્યું હતું કે હું ભાગી જનારાઓમાંનો નથી. પરિસ્થિતિ ગમે તે હોય, હું દેશ છોડીને ભાગીશ નહીં.

આ પણ વાંચો: On this Day: 2002માં આજના દિવસે જ ગોધરા સ્ટેશન પર ટોળાએ સાબરમતી એક્સપ્રેસમાં લગાવી હતી આગ, 59 કાર સેવકો માર્યા ગયા હતા

આ પણ વાંચો: Russia Ukraine War Live Updates in Gujarati: 250 ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનથી વતન પહોંચ્યા, તાઈવાન-પાકિસ્તાન માર્ગે આવ્યા

જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
g clip-path="url(#clip0_868_265)">