AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breakin News : ક્યાંથી જીતશે પાકિસ્તાન ? પૂર્વ રાજદૂતે પોલ ખોલતા કહ્યું- પાકિસ્તાન પાસે ભારત જેવી સુપર સોનિક ક્રુઝ મિસાઈલ નથી, જુઓ વીડિયો

પાકિસ્તાનના ભારત ખાતેના પૂર્વ રાજદૂતે વર્તમાન તણાવભરી સ્થિતિમાં પાકિસ્તાનની પોલ ખોલી નાખી છે. ભારતમાં લાંબા સમય સુધી પાકિસ્તાનના રાજદૂત રહેલા અબ્દુલ બાસિતે કહ્યું હતું કે, ભારતે સર્જીકલ સ્ટ્રાઈક કરી, એર સ્ટ્રાઈક કરી છે. હવે ભારત મિસાઈલ મારો કરી શકે છે. પાકિસ્તાન પાસે ભારત જેવી મિસાઈલો નથી આથી તેના પરિણામો પાકિસ્તાને ભોગવવા પડશે.

Breakin News : ક્યાંથી જીતશે પાકિસ્તાન ? પૂર્વ રાજદૂતે પોલ ખોલતા કહ્યું- પાકિસ્તાન પાસે ભારત જેવી સુપર સોનિક ક્રુઝ મિસાઈલ નથી, જુઓ વીડિયો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2025 | 4:34 PM

પાકિસ્તાનના પૂર્વ રાજદૂત અબ્દુલ બાસિતે પાકિસ્તાનની એક સ્થાનિક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ભારત પાસે બ્રહ્મોસ મિસાઈલ છે. જે સુપર સોનિક મિસાઈલ છે. ભારત પાસે સુપર સોનિક મિસાઈલ છે તેવી મિસાઈલ પાકિસ્તાન પાસે નથી. પાકિસ્તાન પાસે મિસાઈલ છે ખરી પરંતુ તે સુપર સોનિક નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, 2014માં નરેન્દ્ર મોદીની સરકાર અસ્તિત્વમાં આવી તે સમયે ભારતમાં અબ્દુલ બાસિત પાકિસ્તાનના રાજદૂત હતા. બાસિતે, જમ્મુ કાશ્મીર મુદ્દે મોદી સરકારના એજન્ડાને ચકાસવા માટે ઓલપાર્ટી હુરિયત કોન્ફરન્સની બેઠક બોલાવી હતી.

આ બેઠકમાં મોદી સરકાર કે ભાજપમાંથી કોઈ જ ઉપસ્થિત રહ્યું નહોતું. આ સમયે, અબ્દુલ બાસિતે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું હતું કે, ચેતી જજો આ મોદી સરકાર છે. વાજપેયી સરકાર નહીં. જમ્મુ કાશ્મીર મુદ્દે તેમના એજન્ડા અલગ છે.

17 વર્ષની અભિનેત્રીના પરિવાર વિશે જાણો
મોંઘી ગાડીઓ, લક્ઝરી બેગ, નાની ઉંમરે કરોડોની માલિક છે અનુષ્કા સેન
Plant In Pot : છોડમાં ખાતર નાખતી વખતે આ બાબતનું રાખો ધ્યાન
ફક્ત એક ક્લિકથી બદલાઈ જશે Whatsapp વોલપેપર, આટલું હશે અદ્ભુત
કેરી સાથે ક્યારેય આ વસ્તુઓ ભૂલથી પણ ન ખાવી
કારને રોકવા માટે પહેલા ક્લચ દબાવાય કે બ્રેક? જાણી લો

જુઓ વીડિયોઃ

2014માં અબ્દુલ બાસિતે પાકિસ્તાનને કહેલી વાત 2019માં સાચી ઠરી. નરેન્દ્ર મોદી સરકારે 2019ના ઓગસ્ટમાં જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 નાબુદ કરી દીધી. આ ઘટના બાદ કાશ્મીરમાં શાંતિ પ્રવર્તી રહી હતી. મૂડીરોકાણ પણ થઈ રહ્યું હતું. નવા નવા ક્ષેત્રે રોજગારની તક વિકસી રહી હતી. આતંકવાદના ઓછાયામાંથી બહાર આવીને જમ્મુ કાશ્મીરે પ્રવાસન પ્રવૃતિએ રોનક પાછી મેળવી લીધી હતી. આવા સમયે પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદીઓએ પહેલગામના બૈસરનમાં હિન્દુ પ્રવાસીઓને શોધી શોધીને ગોળીએ ઠાર માર્યા હતા.

આતંકવાદની આ ઘટનાએ માત્ર કાશ્મીરના પ્રવાસીઓ જ નહીં, સમગ્ર દેશના લોકો ઉપર હુમલો કર્યો હતો કારણ કે કાશ્મીરમાં વિવિધ રાજ્યોમાથી હિન્દુ પ્રવાસીઓ કાશ્મીરના પ્રવાસે ગયા હતા. આ કાશ્મીરના લોકો માટે પણ મોટી વાત હતી કારણ કે એક તો પ્રવાસીઓને શોધી શોધીને મારી નાખવામા આવ્યા હતા તેમજ પ્રવાસીઓમાં પણ હિન્દુઓને ગોતી ગોતીને મારી નાખવામાં આવ્યા હતા.

આ ઘટનાથી કાશ્મીરમાં જવા ઈચ્છતા હિન્દુ પ્રવાસીઓમાં એક પ્રકારનો ભય ફેલાયો છે. આ ભયને કારણે કાશ્મીરના પ્રવાસન ક્ષેત્રને મોટો ધક્કો વાગ્યો છે. સામાન્ય રીતે માર્ચથી લઈને જૂન સુધી કાશ્મીરમાં પ્રવાસન મોસમ ગણાવાય છે. જૂલાઈથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થાય છે.

આર્થિક રીતે તુટી પડેલા અને વૈશ્વિકસ્તરે આતંકની ફેકટરી ગણાતા પાકિસ્તાનને લગતા અનેક નાના મોટા મહત્વના સમાચાર અંગે આપ અમારા ટોપિક પર ક્લિક કરો. 

g clip-path="url(#clip0_868_265)">