પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની હાલત અત્યંત નાજુક, પરિવારે કહ્યું- હવે પ્રાર્થના કરો!

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફની (Pervez Musharraf) હાલત અત્યંત નાજુક છે. તેના પરિવારે પણ ટ્વિટર પર આ માહિતી આપી છે. મુશર્રફ લાંબા સમયથી ગંભીર બીમારી સામે લડી રહ્યા છે. મુશર્રફ માર્ચ 2016થી દુબઈમાં રહે છે. 78 વર્ષીય મુશર્રફે 1999 થી 2008 સુધી પાકિસ્તાન પર શાસન કર્યું હતું.

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની હાલત અત્યંત નાજુક, પરિવારે કહ્યું- હવે પ્રાર્થના કરો!
Former Pakistan President Pervez Musharraf (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2022 | 7:16 PM

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફની ( Pervez Musharraf ) હાલત નાજુક છે. શુક્રવારે તેમના પરિવારે જણાવ્યું કે હવે તેમને વેન્ટિલેટર સપોર્ટ પરથી ઉતારી દેવામાં આવ્યા છે. હવે તેમની રીકવરી થવી મુશ્કેલ છે. પરવેઝ મુશર્રફના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી તેમના પરિવારે માહિતી આપી હતી કે તેઓ હવે વેન્ટિલેટર પર નથી. તેમની બીમારી એમાયલોઇડિસિસને કારણે તેઓ છેલ્લા 3 અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ છે. તેમની હાલત ગંભીર છે. તેમની રીકવરી થવી મુશ્કેલ છે. તેમના અંગોને દીન-પ્રતિદીન નુકસાન થઈ રહ્યું છે. તેમના માટે પ્રાર્થના કરો.

મીડિયામાં મૃત્યુના સમાચાર ચાલી રહ્યા છે

તે જ સમયે, એક ટીવી ચેનલ જીએનએનનો દાવો છે કે પરવેઝ મુશર્રફને હૃદય અને અન્ય બિમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને દુબઈમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. શુક્રવારે બીમારી સામે લડતી વખતે તેમનું મૃત્યુ થયું.

પૂર્વ લશ્કરી શાસકને મૃત્યુદંડની સજા મળી

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર પેશાવર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વકાર અહેમદ સેઠની અધ્યક્ષતાવાળી સ્પેશિયલ કોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે આવી સજા સંભળાવી.

3 નવેમ્બર, 2007ના રોજ દેશમાં કટોકટી લાદવા અને ડિસેમ્બર 2007ના મધ્ય સુધી બંધારણને સ્થગિત કરવા બદલ પરવેઝ મુશર્રફ પર ડિસેમ્બર 2013માં રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મુશર્રફને 31 માર્ચ 2014ના રોજ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. 78 વર્ષીય મુશર્રફે 1999 થી 2008 સુધી પાકિસ્તાન પર શાસન કર્યું હતું. મુશર્રફ માર્ચ 2016થી દુબઈમાં રહે છે.

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">