ફરી કોરોનાનો ફફડાટ : ઉત્તર કોરિયામાં બે વર્ષમાં કોરોનાનો પહેલો કેસ, કિમે દેશમાં લાગુ કર્યું લોકડાઉન

અધિકારીએ જણાવ્યું હતુ કે, ફેબ્રુઆરી 2020 થી છેલ્લા બે વર્ષ અને ત્રણ મહિનામાં દેશને સુરક્ષિત રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે કોરોનાનુ (Corona) સંક્રમણ દેખાઈ રહ્યું છે.

ફરી કોરોનાનો ફફડાટ : ઉત્તર કોરિયામાં બે વર્ષમાં કોરોનાનો પહેલો કેસ, કિમે દેશમાં લાગુ કર્યું લોકડાઉન
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 8:30 AM

ગુરુવારે ઉત્તર કોરિયાએ પ્રથમ કોવિડ-19 કેસની (Covid-19 in North Korea) જાણકારી આપી હતી. સાથે જ દેશના સરકારી મીડિયાએ તેને ‘ગંભીર રાષ્ટ્રીય કટોકટીની ઘટના’ ગણાવી હતી. ઉત્તર કોરિયામાં (Coronavirus in North Korea) કોરોના વાયરસ વિશ્વમાં સામે આવ્યાને બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજી સુધી ઉત્તર કોરિયાએ તેની જગ્યાએ કોરોનાના કેસોની ઘટના વિશે કોઈ માહિતી આપી ન હતી. સત્તાવાર KCNA ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે કોવિડના નવા નોંધાયેલા કેસો કોરોના વાયરસના ખતરનાક ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant)સાથે જોડાયેલા છે.

દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું

KCNA એ અહેવાલ આપ્યો કે ગુરુવારે, રાજધાની પ્યોંગયાંગમાં ઘણા લોકોને ઓમિક્રોન વેરિઅન્ટ્સથી ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ હતી. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને દેશમાં કોવિડ નિવારક પગલાંને કડક બનાવવા પર ભાર મૂક્યો છે. કિમે શાસક કોરિયન વર્કર્સ પાર્ટીના પોલિટબ્યુરોની બેઠક બોલાવી, જ્યાં સભ્યોએ વાયરસ વિરોધી પગલાં લેવાનું જણાવ્યુ હતુ. આ બેઠક દરમિયાન, કિમે અધિકારીઓને કોવિડના ફેલાવાને સ્થિર કરવા અને વધુ સંક્રમણ કઈ રીતે અટકી શકે તે માટેના પગલા લેવા ટકોર કરી હતી.ડેઇલી મિરરના અહેવાલ મુજબ, હાલ લોકોને ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું છે અને અધિકારીઓ દ્વારા દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સંક્રમિત લોકો વિશે માહિતી આપવામાં આવી નથી

સરકારી મીડિયાએ જણાવ્યું કે, ‘તાજેતરમાં દેશમાં સૌથી મોટી ઈમરજન્સી આવી છે. ફેબ્રુઆરી 2020 થી છેલ્લા બે વર્ષ અને ત્રણ મહિનામાં દેશને સુરક્ષિત રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે કોરોનાની ઘૂસણખોરી થઈ છે. તમને જણાવી દઈએ કે, હજુ સુધી KCNA એ માહિતી આપી નથી કે કોવિડ-19ને કારણે કેટલા લોકો સંક્રમિત થયા છે. ઉત્તર કોરિયામાં રોગચાળાની શરૂઆતથી, દેશમાં કોરોનાના ફેલાવાને રોકવા માટે કડક કોવિડ નીતિ લાગુ કરવામાં આવી હતી. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કિમ જોંગ દેશમાં મર્યાદિત સ્વાસ્થ્ય સુવિધાઓ અને વૈશ્વિક સ્તરે એકલતાના કારણે વધારે ચિંતિત છે.ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઉત્તર કોરિયામાં લોકોને રોગચાળો શરૂ થયા પછી ઇમરજન્સી ક્વોરેન્ટાઇન સિસ્ટમમાંથી પસાર થવું પડ્યું હતું.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">