Afghanistan Crisis : અરાજકતા વચ્ચે કાબુલ એરપોર્ટ પર ફાયરિંગ, મોતના આંકડામાં સતત વધારો

તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ મુલ્લા અબ્દુલ ગની બરાદારને દેશના નવા રાષ્ટ્રપતિ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

Afghanistan Crisis : અરાજકતા વચ્ચે કાબુલ એરપોર્ટ પર ફાયરિંગ, મોતના આંકડામાં સતત વધારો
Firing at kabul airport
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 2:03 PM

તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ મુલ્લા અબ્દુલ ગની બરાદારને દેશના નવા રાષ્ટ્રપતિ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. તાલિબાન દેશનું નામ બદલીને ‘અફઘાનિસ્તાનનું ઇસ્લામિક અમીરાત’ કરી શકે છે. તાલિબાન લડવૈયાઓએ રવિવારે સવારે કાબુલ પર દસ્તક આપ્યા બાદ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડી દીધો હતો.

આ સિવાય ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહ પણ અફઘાનિસ્તાન છોડી ગયા છે. તે જ સમયે, દેશવાસીઓ અને વિદેશીઓ પણ યુદ્ધગ્રસ્ત દેશમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

અફઘાન સૈન્ય સાથે મહિનાઓ સુધી લડ્યા પછી, તાલિબાને આશ્ચર્યજનક રીતે એક અઠવાડિયામાં લગભગ તમામ અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો. યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી) એસ્ટોનિયા અને નોર્વેની વિનંતી પર સોમવારે અફઘાનિસ્તાનની સ્થિતિ પર એક તાકીદની બેઠક  કરવામાં આવશે.

કાબુલ એરપોર્ટ પર ભારે ભીડ બાદ ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે. અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી તેના નાગરિકો અને કર્મચારીઓને બહાર કાઢવા માટે અફઘાન એર ટ્રાફિક નિયંત્રણ સંભાળ્યું છે.

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે ઈમરજન્સી બેઠક કરશે. અમેરિકાએ તેના નાગરિકો અને દૂતાવાસના કર્મચારીઓને પરત લાવવા માટે કાબુલ એરપોર્ટ પર 6,000 સૈનિકો તૈનાત કરવાની જાહેરાત કરી છે.

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે વિદેશ મંત્રી એસ જયશંકર અને ભારત સરકારને અફઘાનિસ્તાનમાંથી 200 શીખો સહિત તમામ ભારતીયોને પરત લાવવા માટે વહેલી વ્યવસ્થા કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, મારી સરકાર ભારતીયોને સુરક્ષિત રીતે લાવવામાં મદદ કરવા તૈયાર છે.

એર ઈન્ડિયાએ કહ્યું કે અફઘાન એરસ્પેસ બંધ થયા બાદ ફ્લાઈટ ઉડાન ભરી શકે નહીં. કાબુલથી ભારતીયોને લાવવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ દિલ્હીથી 12:30 વાગ્યે ઉપડવાની હતી.

આ પણ વાંચો : Afghan Crisis: ‘દેશ ન છોડ્યો હોત તો બરબાદ થઈ જાત કાબુલ, ખૂન ખરાબાથી અફઘાનિસ્તાનને બચાવવા લીધુ પગલું’, બોલ્યા અશરફ ગની

આ પણ વાંચો :Afghanistan War: અલી અહમદ જલાલી અફઘાનિસ્તાનના બની શકે છે નવા વડા , અફઘાન સરકારમાં રહી ચુક્યા છે ગૃહમંત્રી

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">