AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આંગણામાં સૂકવેલા કપડા બન્યા ઓસામા બિન લાદેનનો ‘કાળ’! જાણો CIAએ કેવી રીતે દુનિયાનો સૌથી ખતરનાક આતંકવાદી શોધી કાઢ્યો

વિશ્વના સૌથી ખતરનાક આતંકવાદીઓમાંનો એક ઓસામા બિન લાદેન અમેરિકાના ન્યૂયોર્કમાં 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. શું તમે જાણો છો કે અમેરિકાને તેની હાજરી વિશે કેવી રીતે ખબર પડી? કેવી રીતે તેને શોધી કાઢ્યો?

આંગણામાં સૂકવેલા કપડા બન્યા ઓસામા બિન લાદેનનો 'કાળ'! જાણો CIAએ કેવી રીતે દુનિયાનો સૌથી ખતરનાક આતંકવાદી શોધી કાઢ્યો
ફાઈલ ફોટો
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 4:40 PM
Share

વિશ્વના સૌથી ખતરનાક આતંકવાદીઓમાંનો એક ઓસામા બિન લાદેન (Osama Bin Laden) અમેરિકાના (America) ન્યૂયોર્કમાં 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. 9/11ના હુમલા બાદ અમેરિકાએ પ્રતિજ્ઞા લીધી હતી કે, તે ઓસામાને ઠેકાણે પાડીને જ રાહેશે અને તેણે તે કરી બતાવ્યું. અમેરિકન સૈનિકોએ મે 2011માં પાકિસ્તાનના (Pakistan) એબોટાબાદમાં (Abbottabad) ઓસામાની હત્યા કરી હતી. અલ-કાયદાનો (Al-Qaeda) ભૂતપૂર્વ વડા અહીં એક ગુપ્ત ઘરમાં રહેતો હતો. પરંતુ શું તમે જાણો છો કે અમેરિકાને તેની હાજરી વિશે કેવી રીતે ખબર પડી? કેવી રીતે તેને શોધી કાઢ્યો?

સીએનએનના ભૂતપૂર્વ પ્રોડ્યૂસર પીટર બર્ગને (Peter Bergen) ‘ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ ઓસામા બિન લાદેન’ (The Rise and Fall of Osama bin Laden) નામનું પુસ્તક લખ્યું છે. પીટર બર્ગન રાષ્ટ્રીય સુરક્ષા વિશ્લેષક પણ છે. આ નવા પુસ્તક મુજબ, લાદેનના ઘરના આંગણામાં સુકાતા કપડાંની સંખ્યાએ યુએસ ગુપ્તચર એજન્સી CIAને તેની ઓળખ કરવામાં અને તેને મારવામાં મદદ કરી. 11 સપ્ટેમ્બરના હુમલા બાદ બિન લાદેનની ત્રણ પત્નીઓ અને તેનો પરિવાર અલગ થઈ ગયો હતો. બિન લાદેન પોતે અફઘાનિસ્તાન અને ઉત્તરી પાકિસ્તાનના પર્વતોમાં છુપાયો હતો.

ઓસામાનું ગુપ્ત ઘર કંઈક આ પ્રકારનું હતું

ઓસામા બિન લાદેન તેના પરિવારના વિઘટનથી ખૂબ જ દુ:ખી હતો. આ જ કારણ હતું કે, તેણે પોતાના પરિવારને ફરીથી જોડવાનું વચન આપ્યું હતું. આ કારણોસર લાદેને તેના અંગરક્ષક ઇબ્રાહિમ સઇદ અહમદ અબ્દ અલ-હમીદને જમીન ખરીદવા અને પાકિસ્તાનના એબોટાબાદમાં એક ગુપ્ત મકાન બનાવવાનું કહ્યું હતું. બિન લાદેનની વિનંતી પર એબોટાબાદમાં ત્રણ માળનું મકાન બનાવવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ અને બીજા માળે ચાર બેડરૂમ અને દરેક પર બાથરૂમ હતું. ઉપરના માળે બેડરૂમ, બાથરૂમ, બિન લાદેનના અંગત ઉપયોગ માટે ઓફિસ હતી.

સીઆઈએ બોડીગાર્ડની કાર દ્વારા ગુપ્તચર ઘર સુધી પહોંચી

એવું કહેવાય છે કે, પરિવારના સભ્યોએ 2005માં આ ઘરમાં રહેવાનું શરૂ કર્યું હતું. અંગરક્ષક અને તેના પરિવારના સભ્યો દરરોજ આ ઘરમાં આવતા હતા પરંતુ રહેવા માટે બીજા ઘરમાં જતા હતા. 2010માં એક દિવસ CIAના બાતમીદારે પેશાવરમાં ભીડમાં બોડીગાર્ડ ઇબ્રાહિમને જોયો. પુસ્તક અનુસાર ઇબ્રાહિમની કારને અનુસરીને બિન લાદેનના ગુપ્ત ઘર સુધી પહોંચવામાં આવ્યું હતું. અહીં બિન લાદેન ત્રણ પત્નીઓ, આઠ બાળકો અને ચાર પૌત્રો સાથે રહેતો હતો. આ ઘરમાં આવી ઘણી વસ્તુઓ હતી જેના કારણે CIAને શંકા ગઈ. ઘરમાં ફોન લાઈન અને ઈન્ટરનેટ હતું નહિ. અને આ ઘરમાં બહુ ઓછી બારીઓ બનાવવામાં આવી હતી.

ઘર સૂકવવાનાં આવતા કપડાં બન્યા ‘કાળ’

આ ઘર પર નજર રાખવા માટે CIAએ તેની નજીક એક બેઝ બનાવ્યો હતો. આ દરમિયાન, ગુપ્તચર એજન્સીને ઘરમાં કપડાં સૂકવવા અંગે શંકા થવા લાગી. CIAએ જોયું કે, દરરોજ સવારે ઘરના આંગણામાં મહિલાઓના કપડા, પુરુષોના પરંપરાગત પાકિસ્તાની કપડા, બાળકોના ડાયપર અને અન્ય ઘણા કપડા સુકાઈ રહ્યા છે. એવું લાગતું હતું કે, અહીં 11થી વધુ લોકો રહે છે. અધિકારીઓએ અનુમાન લગાવ્યું હતું કે, ઘરમાં એક પુરુષ, ઘણી સ્ત્રીઓ અને ઓછામાં ઓછા નવ બાળકો હતા. અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પુરાવાઓ બતાવામાં આવ્યા હતા. બાદમાં તેમણે હુમલાનો આદેશ આપ્યો હતો. આ રીતે લાદેન મે 2011માં માર્યો ગયો હતો.

આ પણ વાંચો: Tokyo Olympics 2020 live : ભારતીય મહિલા હૉકી ટીમે રચ્યો ઇતિહાસ, ઑસ્ટ્રેલિયાને આપી જોરદાર પછડાટ,હૉકી ટીમનો પહેલીવાર સેમીફાઇનલમાં પ્રવેશ

આ પણ વાંચો: Raj Kundra Case: પુરાવાનો નાશ કરી રહ્યો હતો રાજ કુંદ્રા, સરકારી વકીલે મુંબઈ હાઈકોર્ટમાં ધરપકડ માટેનું આપ્યુ કારણ

સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
g clip-path="url(#clip0_868_265)">