AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે જાણો છો ? પ્રાણીઓના ડોક્ટર બનવા માંગતી સુનિતા વિલિયમ્સ અવકાશયાત્રી કેવી રીતે બની ?

સુનિતા વિલિયમ્સને બાળપણમાં પ્રાણીઓ ખૂબ જ ગમતા હતા અને તેના આ પ્રાણી પ્રેમને કારણે તેણે પશુઓના ડૉક્ટર બનવાનું નક્કી કર્યું. તેણે અમેરિકામાં પ્રાણીઓના ડોકટર બનવા માટેના અભ્યાસ કોર્સ માટે અરજી પણ કરી હતી, પરંતુ સુનિતા વિલિયમ્સને તેની પસંદગીની કોલેજમાં પ્રવેશ મળી શક્યો નહીં, જેના કારણે તેણે પછી પ્રવેશ ના લીધો.

શું તમે જાણો છો ? પ્રાણીઓના ડોક્ટર બનવા માંગતી સુનિતા વિલિયમ્સ અવકાશયાત્રી કેવી રીતે બની ?
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2025 | 7:44 PM
Share

સુનિતા વિલિયમ્સ અવકાશથી પૃથ્વી પર પાછા ફર્યા બાદ દરેક જગ્યાએ, ઉલ્લાસભરી ઉજવણીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. સુનિતા વિલિયમ્સ ત્રીજી વખત અવકાશ યાત્રા પર ગઈ હતી. આ વખતે તેનુ પરત ફરવાનું સ્પેશ શટલમાં યાત્રિક ખામી સર્જાવાને કારણે તે સૌથી લાંબી સ્પેસવોક કરનારી મહિલા બની ગઈ છે. સુનિતા વિલિયમ્સ અવકાશમાં મેરેથોન દોડનારી વિશ્વની પ્રથમ અવકાશયાત્રી તરીકે પણ જાણીતી થઈ છે.

એવું કહેવાય છે કે, અભ્યાસ દરમિયાન સુનિતા અવકાશયાત્રી નહીં, પણ પશુચિકિત્સક બનવા માંગતી હતી, પરંતુ પછી કંઈક એવું બન્યું કે તે અવકાશયાત્રી બની ગઈ. ચાલો જાણીએ શું છે આખી વાત, તે કેવી રીતે અવકાશયાત્રી બની અને આખી દુનિયામાં પ્રખ્યાત થઈ?

ડોક્ટર પિતાની પુત્રી અવકાશયાત્રી

સુનિતા વિલિયમ્સના પિતાનું નામ દીપક પંડ્યા છે. ગુજરાતના મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામના રહેવાસી દીપક પંડ્યાએ અમદાવાદથી દવાનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ સીધા અમેરિકા ગયા હતા. ત્યાં તેમણે સ્લોવેનિયન મૂળની એક મહિલા સાથે લગ્ન કર્યા, જેનાથી સુનિતા વિલિયમ્સનો જન્મ થયો. બાળપણમાં, સુનિતાને પ્રાણીઓ ખૂબ જ ગમતા હતા અને તેના આ પ્રાણી પ્રેમને કારણે, તેણે પશુઓના ડૉક્ટર બનવાનું નક્કી કર્યું. તેણે આ માટેના અભ્યાસ કોર્ષમાં ભણવા માટે અરજી પણ કરી હતી, પરંતુ તેને તેની મનપસંદ કોલેજ મળી શકી નહીં.

પછી 1983 માં, તેઓ યુએસ નેવલ એકેડેમીમાં જોડાયા અને 1987માં, તેમણે ભૌતિકશાસ્ત્રમાં ડિગ્રી મેળવી, જે તેમની સફળતા તરફનું પ્રથમ પગલું બન્યું. નેવલ એકેડેમીમાં તાલીમ પૂર્ણ કર્યા પછી, તે પાઇલટ બની અને વિવિધ પ્રકારના વિમાન ઉડાવ્યા. આ દરમિયાન, એક દિવસ તેમને જોહ્ન્સન સ્પેસ સેન્ટર જવાનો મોકો મળ્યો, જેણે તેમના જીવનને એક અલગ દિશા આપી. ત્યાં તેઓ અવકાશયાત્રી જોન યંગને મળ્યા, જે ચંદ્ર પર ચાલનારા 9મા માણસ બન્યા. સુનિતા તેમનાથી ખૂબ પ્રભાવિત થઈ અને એટલી પ્રભાવિત થઈ કે તેણે અવકાશયાત્રી બનવાનું નક્કી કર્યું.

નાસાએ તેને નકારી કાઢ્યું હતું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જોન યંગને મળ્યા પછી, સુનિતા વિલિયમ્સે અવકાશયાત્રી બનવા માટે નાસામાં અરજી કરી હતી, પરંતુ તેની અરજીને તે સમયે નકારી કાઢવામાં આવી હતી. આ પછી, 1995માં, તેમણે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એન્જિનિયરિંગ મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવી અને ફરીથી નાસામાં અરજી કરી. આ વખતે તેણીની પસંદગી થઈ, પરંતુ તેણીને અવકાશમાં જવા માટે ઘણો સમય રાહ જોવી પડી. લગભગ 8 વર્ષ પછી, 2006 માં, તેણીને પ્રથમવાર અવકાશમાં જવાની તક મળી અને આ સાથે તે અવકાશયાત્રી બનનારી ભારતીય મૂળની બીજી મહિલા બની.

મહિલા અવકાશયાત્રીઓ અવકાશમાં પીરિયડ્સ કેવી રીતે મેનેજ કરે છે? આ 2 વિકલ્પો છે ઉપલબ્ધ, જાણો આ અહેવાલમાં

SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
g clip-path="url(#clip0_868_265)">