પડોશી દેશ ભૂખમરાના આરે ! પાકિસ્તાનના શહેરી વિસ્તારમાં 2-2 નોકરી કરવા છતાં, લોકોને પડી રહ્યાં છે ખાવાના સાંસા

Economic condition of Pakistan : આર્થિક રીતે ધીમે ધીમે પાયમાલી તરફ ઘકેલાઈ રહેલા પાકિસ્તાનમાં લોકો જબરદસ્ત નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાનના શહેરી વિસ્તારના લોકોની સ્થિતિ તો એવી છે કે લોકોને તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે બે-બે નોકરી કરવી પડે છે આમ છતા તેમની જરૂરીયાતો પૂર્ણ થતી નથી. આ ચોંકાવનારી માહિતી એક સર્વેમાં સામે આવી છે. આ સર્વે પાકિસ્તાનના 11 શહેરોમાં રહેતા લોકો પર કરવામાં આવ્યો હતો.

પડોશી દેશ ભૂખમરાના આરે ! પાકિસ્તાનના શહેરી વિસ્તારમાં 2-2 નોકરી કરવા છતાં, લોકોને પડી રહ્યાં છે ખાવાના સાંસા
symbolic imageImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2024 | 1:59 PM

આર્થિક રીતે કંગાળ થઈ ગયેલા પાકિસ્તાનમાં લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અહીં લોકો એક ટંક ખાવા માટે તલપાપડ છે. સ્થિતિ એવી છે કે શહેરી વિસ્તારના 74 ટકા લોકો પાસે જરૂરી વસ્તુઓ ખરીદવા માટે રૂપિયા નથી. ઘણા લોકોને તેમના જરૂરીયાતના ખર્ચાઓને પહોંચી વળવા માટે 2-2 નોકરી કરવાની ફરજ પડે છે. ઘણા લોકોને પૈસા ઉધાર લઈને તેમના ખર્ચાઓ પૂરા કરવા પડે છે.

પલ્સ કન્સલ્ટન્ટ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ ચોંકાવનારી બાબતો સામે આવી છે. પાકિસ્તાની મીડિયાએ આ સર્વે આધારિત અહેવાલ દર્શાવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન અને પાકિસ્તાનીઓ હાલમાં નાણાકીય કઠણાઈઓનો સામનો કરી રહ્યું છે.

પાકિસ્તાની ન્યૂઝ ચેનલ ARY ન્યૂઝે સર્વે આધારિત સમાચાર રજૂ કરતા અહેવાલમાં કહ્યું છે કે, પાકિસ્તાનમાં છેલ્લા એક વર્ષમાં જે રીતે મોંઘવારી વધી છે, તે પ્રમાણમાં લોકોની આવક વધી નથી. આ જ કારણ છે કે શહેરના લોકોને ઘણી જરૂરી વસ્તુઓ પર કાપ મૂકવો પડે છે. સર્વે અનુસાર, મે 2023માં લગભગ 60 ટકા લોકો માનતા હતા કે તેઓ મોંઘવારીને કારણે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. 2024માં આવા લોકોની સંખ્યા 14 ટકા વધીને 74 ટકા થઈ છે.

ભારતની ગંગા નદીને બાંગ્લાદેશમાં શું કહેવામાં આવે છે? જાણો નામ
ખાલી પેટે રોજ 1 ચમચી મધ ખાવાથી જાણો શું થાય છે?
ગાંજા અને દારૂના નશામાં શું તફાવત છે?
સવારે ઝટપટ નાસ્તામાં બનાવો ઉપમા
રોટલી બનાવવાની સૌથી સસ્તી મશીન, બનાવશે એકદમ ગોળ રોટલી
ગુજરાતમાં ગરબા ક્વીન તરીકે ફેમસ છે ઐશ્વર્યા મજમુદાર, જુઓ ફોટો

લોકોને 2-2 નોકરી કરવી પડે છે

ARY ન્યૂઝે સર્વેને ટાંકીને મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે કે, પાકિસ્તાનમાં શહેરી લોકોને તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે 2 નોકરી કરવી પડે છે. સર્વે અનુસાર, પાકિસ્તાનની 240 મિલિયન વસ્તીમાંથી અડધાથી વધુ લોકો બચત કરવા માટે સક્ષમ નથી. દેશની 56 ટકા વસ્તી ગમે તેટલી કમાણી કરે, તો પણ તેઓ કોઈને કોઈ રીતે તેમના ખર્ચને પહોંચી વળવા અસક્ષમ છે. તેમની પાયાની જરૂરિયાતો પૂરી કર્યા પછી પણ તેમની પાસે બચત માટે પૈસા બચતા જ નથી.

આટલા લોકો પર સર્વે કરવામાં આવ્યો

પલ્સ કન્સલ્ટન્ટ દ્વારા કરાયેલ સર્વે પાકિસ્તાનના 11 મોટા શહેરમાં હાથ ધરવામાં આવ્યો હતો. જુલાઈથી ઓગસ્ટ 2024 વચ્ચે કરવામાં આવેલા આ સર્વેમાં 1110 લોકો સાથે વાત કરવામાં આવી હતી. આ સર્વે 18 થી 55 વર્ષની વયના લોકો વચ્ચે કરવામાં આવ્યો હતો. પલ્સ કન્સલ્ટન્ટ દ્વારા કરવામાં આવેલા આ સર્વેમાં, જેમણે ભાગ લીધો હતો તેમની સાથે ફોન પર વાત પણ કરવામાં આવી હતી. આ વાતચીતના આધારે જ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

પાકિસ્તાનનું દેવું સતત વધી રહ્યું છે

પાકિસ્તાનની આર્થિક હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે, પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે વિદેશી લોન પર નિર્ભર રહેવુ પડે છે. આ જ કારણ છે કે પાકિસ્તાનનું વૈશ્વિક દેવું સતત વધી રહ્યું છે. જેના કારણે હવે તેમને અન્ય કોઈ આંતરરરાષ્ટ્રીય સંસ્થા ઉધાર નાણા આપતુ નથી.

પાકિસ્તાનના નાણા મંત્રાલયે ગયા અઠવાડિયે સંસદમાં જણાવ્યું હતું કે, લગભગ 16 વર્ષમાં પાકિસ્તાનનું જાહેર દેવું 61.4 લાખ કરોડ રૂપિયા વધી ગયું છે. આ દેવું 2008માં રૂ. 6.1 લાખ કરોડ હતું, જે 2024ના અંત સુધીમાં રૂ. 67.5 લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે.

સુરત પથ્થરમારાના 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
સુરત પથ્થરમારાના 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ દોડી રહ્યા છે ભારે વાહનો- Video
ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ દોડી રહ્યા છે ભારે વાહનો- Video
અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા
અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા
વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા
વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા
વિશ્વામિત્રીમાં આવતા પૂરના કાયમી ઉકેલ માટે મનપા લાવશે એક્શન પ્લાન
વિશ્વામિત્રીમાં આવતા પૂરના કાયમી ઉકેલ માટે મનપા લાવશે એક્શન પ્લાન
ગરૂડેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો
ગરૂડેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની પોસ્ટ કરી ફસાયો યુઝર-Video
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની પોસ્ટ કરી ફસાયો યુઝર-Video
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
g clip-path="url(#clip0_868_265)">