AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નહીં સુધરે Pakistan, ભારતની મનાઇ છતા કરતારપુર તીર્થયાત્રિયો પાસે વસુલી રહ્યા છે ભારે રકમ !

શ્રી કરતારપુર સાહિબ શીખ ધર્મના અનુયાયીઓ માટે સૌથી પવિત્ર સ્થાનોમાંથી એક છે. આ કોરિડોર દ્વારા પાકિસ્તાન તીર્થયાત્રીઓ પાસેથી સતત ફી વસૂલ કરી રહ્યું છે, જ્યારે ભારતે ઘણી વખત ફી વસૂલવાની અપીલ કરી છે.

નહીં સુધરે Pakistan, ભારતની મનાઇ છતા કરતારપુર તીર્થયાત્રિયો પાસે વસુલી રહ્યા છે ભારે રકમ !
Pakistan
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2023 | 12:34 PM
Share

Pakistan News: ભારતની અપીલ છતાં, પાકિસ્તાન શ્રી કરતારપુર સાહિબ કોરિડોર દ્વારા તીર્થયાત્રીઓ પાસેથી ફી વસૂલ કરી રહ્યું છે, જે શીખ ધર્મના અનુયાયીઓ માટે સૌથી પવિત્ર સ્થળો પૈકી એક છે. વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને માહિતી આપી છે કે સરકારને કરતારપુર સાહિબની મુલાકાત માટે કોરિડોર દ્વારા પાસપોર્ટ મુક્ત મુસાફરી માટે અરજીઓ મળી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય કરાર તીર્થયાત્રીઓને માન્ય પાસપોર્ટ સાથે મુસાફરી કરવાની મંજૂરી આપે છે.

લોકસભા સાંસદ અને શિરોમણી અકાલી દળના વરિષ્ઠ નેતા હરસિમરત કૌર બાદલે શ્રી કરતારપુર સાહિબ કોરિડોરની મુલાકાતને લઈને સરકારને સવાલ પૂછ્યા હતા. હરસિમરત કૌરે પૂછ્યું હતું કે શું કેન્દ્ર સરકાર તીર્થયાત્રીઓ માટે ટ્રાવેલ પાસપોર્ટ ફ્રી કરવાની કોઈ યોજના ધરાવે છે? આના જવાબમાં વિદેશ રાજ્ય મંત્રી મુરલીધરને કહ્યું કે, ભારતે મુસાફરોને સુવિધાઓ આપવા માટે ઘણા પગલાં લીધા છે.

પાકિસ્તાન દરેક તીર્થયાત્રી પાસેથી 20 ડોલર વસુલ કરે છે

મુરલીધરે સંસદમાં જણાવ્યું હતું કે ભારત સરકારે ઘણી વખત પાકિસ્તાન સરકારને શીખ તીર્થયાત્રીઓ માટે આદરના ચિહ્ન તરીકે યાત્રા પર જવા માટે કોઈ ફી ન લેવાની અપીલ કરી છે, પરંતુ તેમ છતાં પાકિસ્તાન દરેક તીર્થયાત્રી પાસેથી ફિ ના નામ પર 20 યુએસ ડોલર વસૂલ કરી રહ્યું છે.

જણાવી દઈએ કે શ્રી કરતારપુર સાહિબ કોરિડોર ખોલવાની લાંબા સમયથી માંગ હતી. આ પછી, ભારત અને પાકિસ્તાન સરકારે 24 ઓક્ટોબર 2019 ના રોજ એક કરાર પર હસ્તાક્ષર કર્યા. કરતારપુર કોરિડોર ગુરુદ્વારા દરબાર સાહિબને ભારતના પંજાબના ગુરદાસપુરમાં આવેલા ડેરા બાબા નાનક ગુરુદ્વારા સાથે જોડે છે.

અત્યાર સુધીમાં લગભગ એક લાખ 70 હજાર શ્રદ્ધાળુઓએ યાત્રા કરી છે

આંકડાઓ અનુસાર, આ કોરિડોરના ઉદ્ઘાટનથી અત્યાર સુધીમાં લગભગ એક લાખ 70 હજાર શ્રદ્ધાળુઓ શ્રી કરતારપુર સાહિબના દર્શન કરી ચૂક્યા છે. કરતારપુર સાહિબ કોરિડોર દરરોજ ખુલ્લો રહે છે. લોકસભા સાંસદ હરસિમરત કૌર કરતારપુર સાહિબના તીર્થયાત્રીઓના પ્રથમ પ્રતિનિધિમંડળ સાથે ત્યાં ગયા હતા.

આ પણ વાંચો : Pakistan: પાકિસ્તાનમાં મોંઘવારીના તમામ રેકોર્ડ તૂટ્યા, રમઝાન ટાણે ઉપવાસ કરવા પણ થયા મોંઘા !

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">