Danish Siddiqui: દાનિશ સિદ્દીકીની હત્યાને લઈ તાલીબાનોએ હાથ ખંખેર્યા, કહ્યું કે પત્રકારનાં મોતનું દુ:ખ, હત્યામાં અમારો હાથ નહી
તાલિબાનનાં પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદ (Zabiullah Mujahid)નાં જમાવ્યા પ્રમાણે કોના ફાયરિંગમાં તેમનું મોત થયું તે તેમને ખબર નથી
Danish Siddiqui: ભારતીય ફોટોગ્રાફર દાનિશ સિદ્દીકી (Danish Siddiqui)ની હત્યાને લઈને તાલિબાને (Taliban) કહ્યું છે કે તેમનાં સંગઠનનો કોઈ રોલ નથી. તાલિબાને કહ્યું કે તેમને નથી ખબર કે દાનિશ સિદ્દીકીની હત્યા કોણે કરી છે. સંગઠને પુલિત્ઝર એવોર્ડ વિજેતા પત્રકારની હત્ચા પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. તાલિબાનનાં પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદ (Zabiullah Mujahid)નાં જણાવ્યા પ્રમાણે કોના ફાયરિંગમાં તેમનું મોત થયું તે તેમને ખબર નથી.
તાલિબાનનાં પ્રવક્તાએ એમ પણ જણાવ્યું કે યુદ્ધ ક્ષેત્રમાં પ્રવેશ કરી રેહલા પત્રકાર આગળથી સુચના આપશે તો તેમનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીનાં નિધન પર તેમણે શોક વ્યક્ત કર્યો હતો. અફઘાન અને તાલીબાન લડવૈયાઓ વચ્ચે ચાલી રહેલી લડાઈને કવર કરી રહેલા દાનિશનું મોત થઈ ગયું હતું. માર્યા ગયેલા પત્રકારનાં શબને શુક્રવારે સાંજે 5 વાગ્યે રેડક્રોસ સમિતિને સોંપી દેવામાં આવ્યું છે.
સમાચાર એજન્સી PTIનાં જણાવ્યા પ્રમાણે ઘટનાની જાણકારી રાખનારાએ કહ્યું દાનિશ સિદ્દીકીના શબને ICRCને શબ સોપી દેવાને લઈને સૂચિત કરી દેવામાં આવ્યા છે. ભારતીય અધિકારીઓ પણ શબને પરત લાવવા માટેનાં પ્રયત્નમાં લાગ્યા છે.