કોરોના પોઝિટિવ ઇમરાને યોજી દીધી એક બેઠક, બેદરકારી જોઈને સોશિયલ મીડિયા પર લોકો થયા ગુસ્સે
હજુ ગયા અઠવાડીએ અહેવાલ આવ્યા હતા કે પાકના પ્રધાનમંત્રી ઇમરાન ખાન કોરોના સંક્રમિત છે. આવી સ્થતિમાં તેમણે ગુરુવારે એક મિનીંગનું આયોજન કર્યું હતું. જેને લઈને ખુબ વિરોધ થઇ રહ્યો છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની મોટી બેદરકારી સામે આવી છે. હજુ ગયા અઠવાડિયે જ કોરોના પોઝિટિવ નીકળ્યા હતા. હજુ આ વાતને બહુ સમય પણ નથી થયો ત્યારે તેઓ ગુરુવારે તેના નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા. ગુરુવારે ઇમરાને એક બેઠક યોજી હતી. કેન્દ્રીય પ્રધાન શિબલી ફરાજે સોશ્યલ મીડિયા પર આ બેઠકની તસવીર પોસ્ટ કરી હતી. તસ્વીર પોસ્ટ થયા બાદ ઇમરાનને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તસવીરમાં ઈમરાન સાથે રૂમમાં સાત લોકો બેઠકમાં શામેલ જોવા મળ્યા હતા. જો કે તે બધા માસ્ક પહેરીને અને ઘણા દૂર બેઠા હતા, સોશિયલ મીડિયા યુઝર્સે આ વલણ પર ઘણા સવાલ ઉઠાવ્યા છે.
ઇમરાન અને તેની પત્ની બુશરા કોરોના સકારાત્મક નીકળ્યા બાદ જાણવા મળ્યું હતું કે તેઓ અઈસોલેટ થઇ ગયા હતા. જો કે, તાજેતરની તસવીરે રોગચાળા પ્રત્યેની તેમની ગંભીરતા પર સવાલ ઉઠાવ્યા છે. ઘણા લોકોએ બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન વર્ચ્યુઅલ રીતે પણ દેશની સરકાર ચલાવી શકે છે. કોઈએ લખ્યું કે કદાચ ઇમરાનને ટેકનોલોજી પર એટલો વિશ્વાસ નથી. તેથી તે હજી પણ જૂની રીતો અપનાવી રહ્યા છે.
ટ્વિટર પર મોટો વિરોધ
એક રાજકીય કાર્યકર રઝા હારૂને ટ્વિટર પર લખ્યું ‘અમારા વડાપ્રધાન તરફથી ખરાબ ઉદાહરણ. જો આ મીટિંગ ખૂબ જ તાકીદની હોત, તો તે વિડિઓ લિંક પર પણ થઈ શકી હોત. આ ફોટો સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા અને કોરોના વાયરસ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન છે. ફરીથી ખરાબ સલાહ અને સલાહકારોની અયોગ્ય ટીમ.’ ઇમરાન ખાનના સ્પેશીયલ આસિસ્ટન્ટ ઓન નેશનલ હેલ્થ સર્વિસેજ ફૈઝલ સુલતાને શનિવારે માહિતી આપી હતી કે પીએમ ઇમરાન કોરોના પોઝિટિવ છે.
જાહેર છે કે વિશ્વભરમાં કોરોના ઉપાડો લઇ રહ્યું છે. ત્યારે કોરોના સકારાત્મક હોCorona positive Pakistan Prime Minister Imran Khan held a meetingવા છતાં એક દેશના પ્રધાનમંત્રી દ્વારા દાખવવામાં આવેલી આવી બેદરકારી દેશના લોકોમાં હતાશા જન્માવી શકે છે. આ ઘટનાનો લોકો સોશિયલ મીડિયામાં ભારે વિરોધ કરી રહ્યા છે.
આ પણ વાંચો: Corona Update: મોટેરાના મોદી સ્ટેડિયમમાં મેચ જોવા ગયેલા IIMના 5 વિદ્યાર્થીઓને કોરોના
આ પણ વાંચો: વિકાસની ભેટ ચડેલા વૃક્ષોના મુલ્યને આંકવા માટે સુપ્રીમ કોર્ટે સાત સભ્યની સમિતિની કરી રચના