AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishi Sunak : ચર્ચિલની ભારતીયો નબળા નેતા હોવાની ટિપ્પણીને આખરે જવાબ મળી જ ગયો, UKમાં બળવાન નેતા તરીકે ઉભરીને આવ્યા ઋષિ સુનક

બ્રિટનના વડાપ્રધાન (Prime Minister of Britain) તરીકે ભારતીય મૂળના નાગરિકની પસંદગી કરવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે. સુનકને અડધાથી વધુ બ્રિટિશ સાંસદોએ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે ચૂંટ્યા છે.

Rishi Sunak : ચર્ચિલની ભારતીયો નબળા નેતા હોવાની ટિપ્પણીને આખરે જવાબ મળી જ ગયો, UKમાં બળવાન નેતા તરીકે ઉભરીને આવ્યા ઋષિ સુનક
Rishi Sunak
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2022 | 8:21 AM
Share

દિવાળીના અવસર પર ભારતને વધુ એક મોટી દિવાળીની ભેટ મળી છે. ઋષિ સુનક (Rishi Sunak) બ્રિટનના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. બ્રિટનના વડાપ્રધાન તરીકે ભારતીય મૂળના નાગરિકની પસંદગી કરવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે. સુનકને અડધાથી વધુ બ્રિટિશ સાંસદોએ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે ચૂંટ્યા છે. બોરિસ જોન્સનના રાજીનામાથી સુનક વડાપ્રધાન પદની રેસમાં હતા, પરંતુ તેમને લિઝ ટ્રસના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં ટ્રસને રાજીનામું આપવું પડ્યું અને ત્યારબાદ સુનકે ફરીથી પીએમ પદ માટે દાવો રજૂ કર્યો.

ચર્ચિલે  ભારતીયો વિશે કંઈક આવું કહ્યું

‘જો ભારતને આઝાદ કરવામાં આવશે તો સત્તા ગુંડાઓ અને મફતિયાઓના હાથમાં આવી જશે. બધા ભારતીય નેતાઓ ભુસાના પુતળા જેવા ખૂબ જ નબળા હશે.’ આવા શબ્દો ક્યારેક બ્રિટિશના પ્રધાનમંત્રી વિંસ્ટન ચર્ચિલે ભારતની આઝાદીના વિરોધમાં કહ્યા હતા. ચર્ચિલે આવું કહ્યું હતું પણ પણ આજની સ્થિતિ જોવો. આજે ભારતીય બ્રિટનના પીએમ છે. હવે વડાપ્રધાન તરીકે બ્રિટિશનો કાર્યભાર ઋષિ સુનક સંભાળશે.

આજે તે જ પ્રધાનમંત્રી વિંસ્ટન ચર્ચિલના UKના પ્રધાનમંત્રી એક ભારતીય મુળના વ્યક્તિ બની ગયા છે. એટલે કે ઋષિ સુનક (Rishi Sunak) બ્રિટનના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે અને તે હવે વડાપ્રધાન તરીકે બ્રિટિશનો કાર્યભાર સંભાળશે. અંગ્રેજોના દેશમાં ભારતીયોનું વર્ચસ્વ વધી રહ્યું છે. જેમણે ભારતને પોતાની વસાહત (કોલોની) બનાવીને 200 વર્ષ સુધી આપણા પર શાસન કર્યું. ભારતની બહાર રહેતા ભારતીયોની વસ્તીના સંદર્ભમાં, યુકે રિવર્સ કોલોનાઇઝેશનમાંથી પસાર થઈ રહ્યું છે.

  1. આખા બ્રિટિશમાં જેટલા ભુરિયાઓ ભારતમાં રહે છે..આજ તેના 10 ગણા ભારતીય UKમાં રહે છે. 1941ની વસ્તી ગણતરી મુજબ તે વખતે ભારતમાં 1.44 લાખ યુરોપિયનો (બ્રિટિશ) રહેતા હતા. આજે બ્રિટનમાં ભારતીય મૂળના લોકોની વસ્તી 16 લાખથી વધુ છે.
  2. UKમાં સ્થાયી થયેલી આ ભારતીય વસ્તી તેમના શિક્ષણ, વ્યવસાયો, રાજકારણ દરેક ક્ષેત્રમાં પ્રભુત્વ ધરાવે છે. આ દબદબાની અસર એ છે કે, હવે બ્રિટનમાં લગભગ દરેક સરકાર કેબિનેટમાં ભારતીય ચહેરો ધરાવે છે.
  3. ભારતીયોની ઓળખ અને વિશ્વસનીયતા માત્ર ભારતીયોમાં જ નહીં, પરંતુ UKમાં સ્થાયી થયેલા બ્રિટિશ અને અન્ય વંશીય જૂથોમાં પણ ઘણી ઊંચી છે. આ જ કારણ છે કે લોકો ઋષિ સુનકની લોકપ્રિયતાની તુલના ટોની બ્લેયર સાથે કરે છે.

UKમાં આ કારણેથી લોકો ઋષિ સુનકને કરે છે પસંદ

  1. ઋષિ કન્ઝર્વેટિવ પાર્ટીમાં ખૂબ પસંદ કરવામાં આવ્યા છે. ત્યારબાદ 2015માં તેમને યોર્ક્સની રિચમંડ સીટ પરથી સાંસદની ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા હતા. આ સીટ કન્ઝર્વેટિવ્સ માટે સૌથી સુરક્ષિત સીટોમાંથી એક માનવામાં આવે છે. કંઝર્વેટિવ જ અહીં 100 વર્ષથી વધુ સમયથી જીતી રહ્યાં છે. ત્યારથી ઋષિ સતત આ બેઠક પરથી સાંસદ છે.
  2. બોરિસ જ્હોન્સને તેમને 2019માં ચીફ ઓફ ટ્રેઝરી બનાવ્યા હતા. તેમના આગલા જ દિવસે તેને પ્રિવિ કાઉન્સિલના સભ્ય પણ બનાવી દીધા હતા. 13 ફેબ્રુઆરી, 2022ના ના કેબિનેટ ફેરબદલમાં તેમને નાણાં પ્રધાન બનાવવામાં આવ્યા હતા.
  3. આ સમય કોરોના મહામારીનો હતો. આ સમયગાળા દરમિયાન, રોગચાળાની આર્થિક અસર ઘટાડવા, નોકરીઓ બચાવવા અને સહાયક કંપનીઓની તેમની નીતિઓ લોકોમાં ખૂબ લોકપ્રિય હતી.

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">