AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડ્રેગનના વધુ એક કુકર્મનો થયો પર્દાફાશ ! મૃત્યુદંડની સજા પામેલા કેદીઓના હૃદય કાઢીને જધન્ય અપરાધ કરી રહ્યું છે ચીન

ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના (Australian National University) નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે ચીનમાં (China) કેદીઓના હૃદય કાઢવામાં આવી રહ્યા છે.

ડ્રેગનના વધુ એક કુકર્મનો થયો પર્દાફાશ ! મૃત્યુદંડની સજા પામેલા કેદીઓના હૃદય કાઢીને જધન્ય અપરાધ કરી રહ્યું છે ચીન
China Jail (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 9:59 AM
Share

ચીનમાંથી (China) એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. અહીં મૃત્યુદંડની સજા (The death penalty) પામેલા કેદીઓના હૃદય, ટ્રાન્સપ્લાન્ટ માટે બહાર કાઢવામાં આવી રહ્યા છે. એક ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના (Australian National University) નવા સંશોધનમાં  ચીનના આ ઘૃણાસ્પદ રહસ્યનો પર્દાફાશ થયો છે. એવું કહેવામાં આવ્યું છે કે સેંકડો ચીની સર્જનો અને તબીબી કર્મચારીઓ કેદીઓના(Prisoner)  હૃદયને બહાર કાઢી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ કેદીઓને મૃત જાહેર કરવામાં આવે તે પહેલા જ શરીરના ભાગોને કાઢી નાખવામાં આવી રહ્યા છે. શરીરના અંગોના ટ્રાન્સપ્લાન્ટને(Transplant)  લઈને આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા બનાવવામાં આવી છે. આ અંતર્ગત એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિના અંગો કાઢતી વખતે તેનુ મૃત્યુ ન થવું જોઈએ.

ચીનના સર્જનો દ્વારા આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવતું નથી

જો કે, અમેરિકન જર્નલ ઓફ ટ્રાન્સપ્લાન્ટેશનમાં આ અઠવાડિયે પ્રકાશિત થયેલા ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના નવા સંશોધનો દર્શાવે છે કે ચીનના સર્જનો દ્વારા આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવતું નથી. રિપોર્ટ માટે ચીની સાયન્ટિફિક જર્નલમાં (Scientific Journal)  2,838 રિપોર્ટની ફોરેન્સિક સમીક્ષા કરવામાં આવી છે. આ પછી, આવા 71 કેસ શોધી કાઢવામાં આવ્યા છે, જ્યાં સર્જનોએ દર્દીઓના ‘બ્રેન ડેડ’ થતા પહેલા તેમના હૃદય અથવા ફેફસાં કાઢી નાખ્યા હતા.

ચીનમાં કેદીઓના અંગો કાઢવા પર પ્રતિબંધ

અલ જઝીરાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ તમામ 71 કેસ 1980 થી 2015 વચ્ચે નોંધાયા હતા. 2015 એ વર્ષ છે જ્યારે ચીને મૃત્યુદંડની સજા ભોગવી રહેલા કેદીઓના અંગો દૂર કરવા પર સત્તાવાર રીતે પ્રતિબંધ (Prohibition) મૂક્યો હતો. જો કે આ પહેલા, ચીનમાં મોટાભાગના ટ્રાન્સપ્લાન્ટ કેસોમાં, મૃત્યુદંડની સજા ભોગવી રહેલા કેદીઓમાંથી શરીરના અંગો કાઢવામાં આવ્યા હતા. તેની પાછળનું કારણ એ છે કે બહુ ઓછા લોકો સ્વેચ્છાએ અંગોનું દાન કરવા માટે આગળ આવી રહ્યા નહોતા. ચીનમાં ભૂતકાળમાં પણ આવા જઘન્ય ગુનાઓ સામે આવ્યા છે.તમને જણાવી દઈએ કે, ચીનની ગણના માનવાધિકારનું ઉલ્લંઘન કરનાર દેશ તરીકે પણ થાય છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : યુક્રેન પર કબજો મેળવવાની ઘેલછામાં રશિયાએ તમામ હદ કરી પાર, NATO એ પહેલીવાર યુક્રેનને કરી મદદ

આ પણ વાંચો : Russia-Ukraine War: રશિયન હુમલામાં મારીયુપોલના 5000 લોકોના મોત, અનેક શહેરો ખંડેરમાં તબદીલ

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">