AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડ્રેગનના વધુ એક કુકર્મનો થયો પર્દાફાશ ! મૃત્યુદંડની સજા પામેલા કેદીઓના હૃદય કાઢીને જધન્ય અપરાધ કરી રહ્યું છે ચીન

ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના (Australian National University) નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે ચીનમાં (China) કેદીઓના હૃદય કાઢવામાં આવી રહ્યા છે.

ડ્રેગનના વધુ એક કુકર્મનો થયો પર્દાફાશ ! મૃત્યુદંડની સજા પામેલા કેદીઓના હૃદય કાઢીને જધન્ય અપરાધ કરી રહ્યું છે ચીન
China Jail (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 9:59 AM
Share

ચીનમાંથી (China) એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. અહીં મૃત્યુદંડની સજા (The death penalty) પામેલા કેદીઓના હૃદય, ટ્રાન્સપ્લાન્ટ માટે બહાર કાઢવામાં આવી રહ્યા છે. એક ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના (Australian National University) નવા સંશોધનમાં  ચીનના આ ઘૃણાસ્પદ રહસ્યનો પર્દાફાશ થયો છે. એવું કહેવામાં આવ્યું છે કે સેંકડો ચીની સર્જનો અને તબીબી કર્મચારીઓ કેદીઓના(Prisoner)  હૃદયને બહાર કાઢી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ કેદીઓને મૃત જાહેર કરવામાં આવે તે પહેલા જ શરીરના ભાગોને કાઢી નાખવામાં આવી રહ્યા છે. શરીરના અંગોના ટ્રાન્સપ્લાન્ટને(Transplant)  લઈને આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા બનાવવામાં આવી છે. આ અંતર્ગત એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિના અંગો કાઢતી વખતે તેનુ મૃત્યુ ન થવું જોઈએ.

ચીનના સર્જનો દ્વારા આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવતું નથી

જો કે, અમેરિકન જર્નલ ઓફ ટ્રાન્સપ્લાન્ટેશનમાં આ અઠવાડિયે પ્રકાશિત થયેલા ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના નવા સંશોધનો દર્શાવે છે કે ચીનના સર્જનો દ્વારા આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવતું નથી. રિપોર્ટ માટે ચીની સાયન્ટિફિક જર્નલમાં (Scientific Journal)  2,838 રિપોર્ટની ફોરેન્સિક સમીક્ષા કરવામાં આવી છે. આ પછી, આવા 71 કેસ શોધી કાઢવામાં આવ્યા છે, જ્યાં સર્જનોએ દર્દીઓના ‘બ્રેન ડેડ’ થતા પહેલા તેમના હૃદય અથવા ફેફસાં કાઢી નાખ્યા હતા.

ચીનમાં કેદીઓના અંગો કાઢવા પર પ્રતિબંધ

અલ જઝીરાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ તમામ 71 કેસ 1980 થી 2015 વચ્ચે નોંધાયા હતા. 2015 એ વર્ષ છે જ્યારે ચીને મૃત્યુદંડની સજા ભોગવી રહેલા કેદીઓના અંગો દૂર કરવા પર સત્તાવાર રીતે પ્રતિબંધ (Prohibition) મૂક્યો હતો. જો કે આ પહેલા, ચીનમાં મોટાભાગના ટ્રાન્સપ્લાન્ટ કેસોમાં, મૃત્યુદંડની સજા ભોગવી રહેલા કેદીઓમાંથી શરીરના અંગો કાઢવામાં આવ્યા હતા. તેની પાછળનું કારણ એ છે કે બહુ ઓછા લોકો સ્વેચ્છાએ અંગોનું દાન કરવા માટે આગળ આવી રહ્યા નહોતા. ચીનમાં ભૂતકાળમાં પણ આવા જઘન્ય ગુનાઓ સામે આવ્યા છે.તમને જણાવી દઈએ કે, ચીનની ગણના માનવાધિકારનું ઉલ્લંઘન કરનાર દેશ તરીકે પણ થાય છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : યુક્રેન પર કબજો મેળવવાની ઘેલછામાં રશિયાએ તમામ હદ કરી પાર, NATO એ પહેલીવાર યુક્રેનને કરી મદદ

આ પણ વાંચો : Russia-Ukraine War: રશિયન હુમલામાં મારીયુપોલના 5000 લોકોના મોત, અનેક શહેરો ખંડેરમાં તબદીલ

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">