AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine War: રશિયન હુમલામાં મારીયુપોલના 5000 લોકોના મોત, અનેક શહેરો ખંડેરમાં તબદીલ

યુક્રેનના (Ukraine) મેરીયુપોલના મેયર વાદિમ બોઇચેન્કોએ (Vadym Boichenko) બુધવારે જણાવ્યું હતું કે માર્યા ગયેલા લોકોમાં 210 બાળકોનો સમાવેશ થાય છે.

Russia-Ukraine War: રશિયન હુમલામાં મારીયુપોલના 5000 લોકોના મોત, અનેક શહેરો ખંડેરમાં તબદીલ
Mariupol City (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 8:03 AM
Share

યુક્રેનના મારીયુપોલના  (Mariupol) મેયરે કહ્યું છે કે, રશિયન હુમલા દરમિયાન શહેરમાં 5,000 થી વધુ નાગરિકો માર્યા ગયા હતા. બીજી તરફ યુક્રેન (Ukraine) હવે કિવની  બહારના વિસ્તારમાં રશિયન અત્યાચારના પુરાવા એકત્ર કરવામાં વ્યસ્ત છે. આ દરમિયાન અમેરિકા (America) અને તેના પશ્ચિમી સાથીઓએ ક્રેમલિન સામે યુદ્ધ અપરાધોનો આરોપ લગાવીને નવા પ્રતિબંધો લાદવાની દિશામાં આગળ વધી રહ્યા છે. એક યુએસ સંરક્ષણ અધિકારીએ દાવો કર્યો હતો કે, રશિયાએ ઉત્તરમાં કિવ(Kyiv)  અને ચેર્નિહિવ પ્રદેશોમાંથી લગભગ 24,000 કે તેથી વધુ સૈનિકોને બોલાવ્યા છે અને તેમને બેલારુસ મોકલી રહ્યા છે.

દેશના પૂર્વ ભાગમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે રશિયા

યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સકીએ (President Volodymyr Zelensky) કહ્યું કે. રશિયા(Russia)  હવે દેશના પૂર્વ ભાગમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેના લઈને ક્રેમલિને કહ્યું છે કે તેનું લક્ષ્ય ડોનબાસ ભાષા ઔદ્યોગિક વિસ્તારને “મુક્ત” કરવાનું છે. વધુમાં તેમણે કહ્યું, ‘અમારી જમીનનું ભાવિ નક્કી થઈ રહ્યું છે. આપણે જાણીએ છીએ કે આપણે શેના માટે લડી રહ્યા છીએ. અમે જીતવા માટે બધું જ કરીશું.’તમને જણાવી દઈએ કે, યુક્રેનિયન સત્તાવાળાઓએ ડોનબાસમાં રહેતા લોકોને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા કહ્યું છે. નાયબ વડા પ્રધાન ઇરિના વેરેશચુકે કહ્યું, લોકો રશિયન હુમલા (Russia Attack) માટે સંવેદનશીલ બની શકે છે.

મેરીયુપોલમાં 90 ટકા ઈન્ફ્રાસ્ટ્રક્ચર નાશ પામ્યું

મેયર બોઇચેન્કોએ બુધવારે જણાવ્યું હતું કે, માર્યા ગયેલા લોકોમાં 210 બાળકોનો સમાવેશ થાય છે. તેમના જણાવ્યા અનુસાર રશિયન દળોએ હોસ્પિટલો પર બોમ્બમારો કર્યો હતો,જેમાં 50 લોકોના મોત થયા. તેમણે કહ્યું કે આ શહેરનું 90 ટકા ઈન્ફ્રાસ્ટ્રક્ચર રશિયન હુમલામાં નાશ પામ્યું છે. એઝોવ સમુદ્ર પરના વ્યૂહાત્મક બંદર પર હુમલાથી ખોરાક, પાણી, બળતણ અને દવાઓનો પુરવઠો બંધ થઈ ગયો છે. બ્રિટિશ સંરક્ષણ અધિકારીઓનું કહેવું છે કે મારીયુપોલમાં હજુ પણ 160,000 લોકો ફસાયેલા છે. આ શહેરની વસ્તી 4.3 લાખ હતી. બીજી તરફ માનવતાવાદી રાહત કાફલો શુક્રવારથી શહેરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યુ છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : યુક્રેન પર કબજો મેળવવાની ઘેલછામાં રશિયાએ તમામ હદ કરી પાર, NATO એ પહેલીવાર યુક્રેનને કરી મદદ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">