AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનને પડયા પર પાટુ, ખાસ મિત્ર ચીને નાગરિકોના મોત માટે માંગ્યું અધધ… કરોડનું વળતર

ચીને દાસુ ડેમ પ્રોજેક્ટના એન્જીનીયરોના મૃત્યુ માટે પાકિસ્તાન પાસે 285 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે.

પાકિસ્તાનને પડયા પર પાટુ, ખાસ મિત્ર ચીને નાગરિકોના મોત માટે માંગ્યું અધધ... કરોડનું વળતર
Xi Jinping (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2021 | 7:56 PM
Share

આર્થિક મોરચે પહેલેથી જ મુશ્કેલીઓનો સામનો કરી રહેલા પાકિસ્તાનને (Pakistan) તેના ‘સદાબહાર મિત્ર’ ચીને ઝટકો આપ્યો છે. ચીને દાસુ ડેમ પ્રોજેક્ટ (dasu dam project) પર અકસ્માતમાં માર્યા ગયેલા તેમના એન્જીનીયરો માટે ભારે વળતરની માંગ કરી છે. ચીને દાસુ ડેમ પ્રોજેક્ટ ઈજનેરોના મૃત્યુ માટે 285 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે.

14 જુલાઈના રોજ આ દુર્ઘટનામાં 9 ચીની નાગરિકો સહિત 13 લોકોના મોત થયા હતા. અહીં થયેલા વિસ્ફોટમાં બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાને કહ્યું હતું કે તે આ ઘટનાની તપાસ કરશે જેના પર ચીને શંકા વ્યક્ત કરી છે. બાદમાં બેઈજિંગે અહીં એક તપાસ ટીમ મોકલી હતી. હવે વળતરની માંગ કરીને ચીને પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર મુસ્તાક ગુમાને ‘બિઝનેસ રેકોર્ડર’માં લખ્યું છે કે દાસુ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ પર ફરી કામ શરૂ કરતા પહેલા ચીન ઈચ્છે છે કે પાકિસ્તાન તેના માર્યા ગયેલા એન્જીનીયરોના પરિવારને વળતર આપે. તમને જણાવી દઈએ કે પ્રોજેક્ટ પર જઈ રહેલી બસ રસ્તામાં વિસ્ફોટકોથી ભરેલી કાર સાથે અથડાઈ હતી. વિસ્ફોટ બાદ બસ ખાડામાં પડી હતી.

જળ સંસાધન સચિવ ડો.શાહઝેબ ખાન બંગેશ કહે છે કે જુલાઈમાં ચાઈનીઝ ઈજનેર પર હુમલા બાદ બંધનું કામ અટકી ગયું છે. સૂત્રોનું કહેવું છે કે માર્યા ગયેલા ચીની નાગરિકોના સગાને વળતર આપવાના મુદ્દે વિદેશ મંત્રાલય, નાણાં મંત્રાલય, ગૃહ વિભાગ અને ચીનના દૂતાવાસ વચ્ચે ઉચ્ચ સ્તરે ચર્ચા થઈ રહી છે. બંધનું કામ ફરી શરૂ કરવા માટે રસ્તો કાઢવામાં આવી રહ્યો છે.

ચીની કંપની ગેઝુબા ગ્રુપ કોર્પોરેશન દાસુ ડેમ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. બસ અકસ્માત બાદ તેણે આ ડેમ પર પોતાનું કામ બંધ કરી દીધું છે. પાકિસ્તાન સરકારની વિનંતી પર કંપનીએ કામ શરૂ કરવાની વાત કરી હતી, પરંતુ ડેમ પર કામ હજુ શરૂ થયું નથી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીનું કહેવું છે કે જ્યાં સુધી ચીની નાગરિકો માટે યોગ્ય સુરક્ષા અને વળતરની વ્યવસ્થા કરવામાં નહીં આવે, ત્યાં સુધી તે ડેમ પર કામ શરૂ કરશે નહીં. સૂત્રોએ જણાવ્યું હતું કે સચિવ જળ સંસાધનો આશાવાદી છે કે વળતરનો મુદ્દો એક -બે સપ્તાહમાં ઉકેલાઈ જશે, ત્યારબાદ સ્થળ પર સિવિલ કામ ફરી શરૂ થશે.

આ પણ વાંચો :  Aryan Drugs Case : આર્યન કેસના સાક્ષી ફ્લેચર પટેલ પર ઉઠ્યા સવાલ, શું સમીર વાનખેડેના નજીકના વ્યક્તિ છે ?

આ પણ વાંચો : Google Search : ગુગલમાં થવા જઇ રહ્યો છે આ ખાસ બદલાવ, જો તમને પણ ગુગલ કરવાની આદત છે તો વાંચો અહેવાલ

Follow Us
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">