AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુનિયાને ચેતવણી, જો સંકટ બંધ ન થયું તો કરોડો લોકો ગરીબીમાં ઘકેલાશે

નેધરલેન્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સંકટને લઈ મોટી ચેતવણી આપતા કહ્યું કે, કોરોના,યુદ્ધ અને ઉર્જા સંકટ દુનિયાને આપત્તિઓના દાયકા તરફ ધકેલી રહ્યું છે. તેમણે કહ્યું કે જો પરિસ્થિતિ નહીં બદલાય તો લાખો લોકો ફરીથી ગરીબીમાં ફસાઈ શકે છે.

Breaking News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુનિયાને ચેતવણી, જો સંકટ બંધ ન થયું તો કરોડો લોકો ગરીબીમાં ઘકેલાશે
| Updated on: May 17, 2026 | 9:56 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક આર્થિક સંક્ટ અને વધતા જંગની આશંકાએને લઈ દુનિયાને મોટી ચેતવણી આપી છે. નેધરલેન્ડના હેગમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાને કહ્યું કે, દુનિયા સંકટોમાં ઝઝુમી રહી છે. જો આ પરિસ્થિતિ જલ્દી સુધરશે નહી તો કરોડો લોકો ગરીબીમાં ધકેલાશે. તેમણે કહ્યું કે, કોરોના મહામારી, યુદ્ધ અને ઉર્જા સંકટે દુનિયાને આપદાઓના દશકો તરફ ઘકેલ્યું છે.

કોરોના બાદ યુદ્ધ હવે ઊર્જા કટોકટી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે, પહેલા કોરોના વાયરસની મહામારી આવી ત્યારબાદ અલગ અલગ ક્ષેત્રમાં યુદ્ધ શરુ થયું. હવે દુનિયા ઉર્જા સંકટનો સામનો કરી રહી છે. તેમણે ખાસ રીતે પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ઈરાન પર અમેરિકા ઈઝરાયલના હુમલા બાદની પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જો આ સંકટો પર જલ્દી કાબુમાં ન આવ્યું તો દુનિયાની મોટા ભાગના લોકો ગરીબી અને આર્થિક અસ્થિરતાની ઝપેટમાં આવી શકે છે.

પેટ્રોલ-ડીઝલ મોંઘુ, સરકારે બચતની અપીલ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચેતવણી એવા સમયે આપી છે. જ્યારે ભારતમાં ઉર્જા સંકટની અસર જોવા મળી છે. 4 વર્ષ બાદ સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 3 રુપિયા પ્રતિ લીટર વધારો કર્યો છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં લોકોને ઈંધણ બચાવવાની સાર્વજનિક પરિવહનનો ઉપયોગ વધારવાની તેમજ વિદેશ યાત્રા સીમિત કરવાની અપીલ કરી હતી.પીએમ મોદી પાંચ દેશોના પ્રવાસ પર છે.પ્રધાનમંત્રી મોદી તેમના પાંચ દેશોના પ્રવાસના બીજા તબક્કામાં 15 મે, 2026 ના રોજ નેધરલેન્ડ પહોંચ્યા હતા.

પીએમ મોદીએ કહ્યું કે,આજે ભારત ઝડપથી બદલાઈ રહ્યું છે. ભારતના લોકોના સપના અને આકાંક્ષાઓ ઘણી મોટી થઈ ગઈ છે. તેથી, દેશ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે. મોદીએ કહ્યું કે ભારતનું આ જ વિઝન દેશના લોકશાહીને મજબૂત બનાવી રહ્યું છે.ટેકનોલોજીકલ સહયોગ, સેમિકન્ડક્ટર ઉત્પાદન, ગ્રીન એનર્જી અને પાણી વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવાનો હતો. બંને દેશોએ તેમના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડ્યા, જે આગામી વર્ષોમાં વૃદ્ધિ, રોજગાર અને વૈશ્વિક સહયોગને નવી ગતિ આપશે.

એક ફ્રેમમાં જુઓ મોદી પરિવાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે જુઓપરિવારમાં કેટલા છે સભ્યો? અહી ક્લિક કરો

Follow Us
નાણાકીય લાભ થવાની શક્યતા છે, માતા-પિતાને ભેટ આપો
નાણાકીય લાભ થવાની શક્યતા છે, માતા-પિતાને ભેટ આપો
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
g clip-path="url(#clip0_868_265)">