AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જુમ્માની નમાજ દરમિયાન ઇસ્લામાબાદની મસ્જિદમાં બ્લાસ્ટ, ઈમરજન્સી જાહેર કરાઈ

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં જુમ્માની નમાઝ દરમિયાન ઇસ્લામાબાદની મસ્જિદમાં વિસ્ફોટ થયો છે, જેમાં અનેક લોકોના મોત થયા છે. બ્લાસ્ટ થયાનો એક ફોટો પણ સામે આવ્યો છે. હાલમાં એક આત્મધાતી હુમલો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટના સ્થળે પોલીસની ટીમ પહોંચી છે.

Breaking News : જુમ્માની નમાજ દરમિયાન ઇસ્લામાબાદની મસ્જિદમાં બ્લાસ્ટ, ઈમરજન્સી જાહેર કરાઈ
| Updated on: Feb 06, 2026 | 4:46 PM
Share

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં જુમ્માની નમાજ દરમિયાન એક મસ્જિદમાં બ્લાસ્ટ થયો છે. જેમાં અનેક લોકોના મોત થયા છે. આ બ્લાસ્ટને એક આત્મધાતી હુમલો માનવામાં આવી રહ્યો છે. ઘટના સ્થળે પોલીસની ટીમ પહોંચી છે.સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર આ બ્લાસ્ટ કસર એ ખદીજતુલ કુબરા મસ્જિદમાં થયો છે. જેને ઈસ્લામાબાદની સૌથી મોટી મસ્જિદ પણ કહેવામાં આવે છે. ઘટના બાદ કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલથઈ રહ્યા છે. જેમાં લોકોની નાસભાગ જોવા મળી રહી છે.વિસ્ફોટ બાદ સાવચેતીના પગલા તરીકે ઇસ્લામાબાદમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી છે.

શિયા સમુદાયની મસ્જિદમાં બ્લાસ્ટ

તારલાઈની જે મસ્જિદમાં આત્મધાતી હુમલો થયો છે. તેને શિયા સમુદાયની ફેમસ મસ્જિદ માનવામાં આવે છે. પાકિસ્તાનમાં શિયા સમુદાયની વસ્તી અંદાજે 2 કરોડ છે. પાકિસ્તાનની કુલ વસ્તીના 10-12 ટકા છે.નવેમ્બર 2025 પછી ઈસ્લામાબાદમાં આ બીજો સૌથી મોટો બ્લાસ્ટ છે. નવેમ્બર 2025માં ઈસ્લામાબાદ કોર્ટની બહાર એક બ્લાસ્ટ થયો હતો. જેમાં 12 લોકોના મોત થયા હતા અને અંદાજે 36 લોકો ઘાયલ થયા હતા.

બ્લાસ્ટમાં ઘાયલ લોકોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા છે.ઇસ્લામાબાદમાં વિસ્ફોટના સમાચાર બાદ પોલીસ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. આ સાથે ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ બ્લાસ્ટ મસ્જિદના ગેટ પર થયો છે.

વિસ્ફોટમાં 70 થી વધુ લોકો ઘાયલ

આ વિસ્ફોટમાં 50 થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે. 70 થી વધુ લોકો ઘાયલ થયા છે અને તેમને નજીકની ત્રણ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાની મીડિયા આઉટલેટ ડોનએ અહેવાલ આપ્યો છે કે, આ હુમલામાં 10 લોકોના મોત થયા છે. રિપોર્ટ અનુસાર, ઘાયલોને પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (PIM) અને CDA હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ઇસ્લામાબાદ પોલીસનું કહેવું છે કે આત્મઘાતી બોમ્બર અફઘાનિસ્તાન સાથે જોડાયેલો હતો. આનો અર્થ એ છે કે આ હુમલા પાછળ ટીટીપીનો હાથ હોવાની શંકા છે. જોકે, તહરીક-એ-ઇન્સાફ (ટીઆરઆઈ) એ હજુ સુધી જવાબદારી સ્વીકારી નથી.

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ છે. લાહોર અને કરાચી પણ પાકિસ્તાનના મુખ્ય મોટા શહેરો છે. અહી ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">