AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blast in Kabul: ફરી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો, લોકોમાં ભયનો માહોલ

કાબુલમાં (Kabul) ફરી એકવાર વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. ગઈકાલે થયેલા બ્લાસ્ટમાં 25 વિદ્યાર્થીઓના મોત થયા હતા, ત્યારે ફરી આ પ્રકારનો અવાજ સંભળાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Blast in Kabul: ફરી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો, લોકોમાં ભયનો માહોલ
Blast in Kabul
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 12:20 PM
Share

અફઘાનિસ્તાનની (Afghanistan) રાજધાની કાબુલમાં (Kabul) ફરી એકવાર વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. રાજધાનીમાં આ વિસ્ફોટો એવા સમયે સંભળાયા છે, જ્યારે મંગળવારે જ કાબુલમાં શાળાની નજીક ત્રણ વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં 25થી વધુ વિદ્યાર્થીઓના મોત થયા હતા, જ્યારે 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર અર્થ નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ત્રણેય બ્લાસ્ટ હજારા સમુદાયના (Hazara Community) વિસ્તારમાં કરવામાં આવ્યા હતા.

જ્યારે આ બ્લાસ્ટ થયો, ત્યારે વિદ્યાર્થીઓ શાળામાંથી ઘરે જવા માટે બહાર આવી રહ્યા હતા. તમને જણાવવુ રહ્યુ કે અફઘાનિસ્તાનનો હજારા સમુદાય લાંબા સમયથી ઉગ્રવાદીઓ અને આતંકવાદીઓના નિશાના પર છે.

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ શંકાના દાયરામાં

વિસ્ફોટ સમયે સ્થળ પર હાજર એક શિક્ષકે જણાવ્યું હતું કે બ્લાસ્ટ સમયે તમામ વિદ્યાર્થીઓ (Students) પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન જોરદાર વિસ્ફોટ થયો હતો. જેમાં ઘણા લોકો ઘાયલ થયા, જ્યારે કેટલાક વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત થયા. તેમણે કહ્યું કે જ્યારે ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે બીજો વિસ્ફોટ થયો. ઉલ્લેખનીય છે કે આ વિસ્ફોટની અત્યાર સુધી કોઈ આતંકવાદી સંગઠને જવાબદારી લીધી નથી. વિસ્ફોટ બાદ જે તસવીરો સામે આવી છે, તેમાં ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવતા જોવા મળી રહ્યા છે. ઈસ્લામિક સ્ટેટના (islamic State) આતંકવાદીઓ અફઘાનિસ્તાનના જુદા જુદા ભાગોમાં સક્રિય છે, તેથી તેઓ હાલ શંકાના દાયરામાં છે.

હજારા સમુદાય નિશાન પર

મંગળવારે થયેલા વિસ્ફોટોમાં હજારા સમુદાયના લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. હજારા સમુદાયના લોકો અફઘાનિસ્તાનના ત્રીજા સૌથી મોટા વંશીય જૂથમાંથી આવે છે. આ લોકોની પણ ધાર્મિક લઘુમતી છે, કારણ કે તેઓ ઈસ્લામના શિયા સંપ્રદાયને અનુસરે છે. બીજી તરફ તાલિબાન અને ઈસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠનો સુન્ની ઈસ્લામને અનુસરે છે. જેના કારણે શિયા લોકોને ઘણીવાર આતંકીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો: તાલિબાન શાસન બાદ અફઘાનિસ્તાન-પાકિસ્તાનના સંબંધોમાં ખટાશ, ભારત માટે બની શકે છે આશાનું કિરણ

Follow Us
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
g clip-path="url(#clip0_868_265)">