બેલ્જિયમના સરકારી કર્મચારીઓને હવે કામના કલાકો પછી બોસની અવગણના કરવાનો અધિકાર

|

Jan 22, 2022 | 2:50 PM

અહેવાલ અનુસાર જો કર્મચારીઓ કામકાજના કલાકો પછી તેમના બોસને જવાબ ન આપવાનું પસંદ કરે તો તેઓને કોઈ "નુકસાન ન થવું જોઈએ".

બેલ્જિયમના સરકારી કર્મચારીઓને હવે કામના કલાકો પછી બોસની અવગણના કરવાનો અધિકાર
Symbolic Image

Follow us on

રોગચાળા વચ્ચે ઘરેથી કામ (Work From Home) કરવું કર્મચારીઓ માટે દિવસ માટે લોગ ઓફ કર્યા પછી પણ કામથી ડિસ્કનેક્ટ કરવું મુશ્કેલ બન્યું છે. દૂરસ્થ કામકાજના કારણે લોકોને તેમના કામના કલાકો વધારવાની ફરજ પડે છે. આ બર્નઆઉટ અને થાકમાં પરિણમ્યું છે. પરિસ્થિતિનો સામનો કરવા માટે બેલ્જિયમમાં એક નવો કાર્ય નિયમ રજૂ કરવામાં આવી રહ્યો છે. નવા નિયમો હેઠળ, બેલ્જિયમમાં સરકારી (Belgian government) કર્મચારીઓ (Government employees)હવે કામના કલાકો પછી તેમના બોસને અવગણી શકે છે. “અતિશય કામના તણાવ અને બર્ન-આઉટ” નો સામનો કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ ચળવળને ‘ડિસ્કનેક્ટ કરવાનો અધિકાર’ કહેવામાં આવી રહ્યો છે અને 1 ફેબ્રુઆરીથી નાગરિક સેવાઓના મંત્રી, પેટ્રા ડી સુટર દ્વારા સિવિલ વર્કર્સ માટે રજૂ કરવામાં આવશે.

બેલ્જિયાના અખબાર ડી મોર્ગન દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ, કામદારોનો સંપર્ક “સામાન્ય કામના કલાકોની બહારના અસાધારણ અને અણધાર્યા સંજોગોમાં જ થઈ શકે છે અને જેમાં આગળના વર્કિંગ અવર્સ સુધી રાહ જોઈ શકાતી નથી ત્યારે જ કરી શકાય છે.”

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અખબાર અનુસાર જો કર્મચારીઓ કામકાજના કલાકો પછી તેમના બોસને જવાબ ન આપવાનું પસંદ કરે તો તેઓને કોઈ “નુકસાન ન થવું જોઈએ”. નવા નિયમોનો હેતુ “સારુ ધ્યાન, વધુ સારા સ્વાસ્થ્ય લાભો અને વધુ ટકાઉ ઉર્જા સ્તરો” માટે પરવાનગી આપવાનો છે.
જો નિયમોનો ભંગ થાય છે, તો ત્યાં કોઈ સ્પષ્ટ દંડાત્મક કાર્યવાહીનો ઉલ્લેખ નથી.

બેલ્જિયન યુનિયન એફજીટીબી-એબીવીવીના પ્રમુખ થિયરી બોડસને વાઈસ ન્યૂઝને જણાવ્યું હતું કે અન્ય ઉદ્યોગોમાં રોલઆઉટ કરતા પહેલા તેને ગંભીરતાથી ધ્યાનમાં લેવાની જરૂર છે. અગાઉ, પોર્ટુગલની સરકારે કેટલાક નવા શ્રમ કાયદાઓ પસાર કર્યા હતા જે કામના કલાકો પછી મેસેજિંગ સ્ટાફ અને જુનિયર્સના બોસ અને ટીમ લીડ પર પ્રતિબંધ મૂકે છે.

નવા શ્રમ કાયદાઓ જણાવે છે કે જો નોકરીદાતાઓ તેમના દિવસનું કામ પૂર્ણ કર્યા પછી અથવા તેઓ શરૂ થાય તે પહેલાં કર્મચારીઓનો સંપર્ક કરે તો દંડનો સામનો કરવો પડી શકે છે. જો કે, આ નિયમ એવી કંપનીઓને લાગુ પડતો નથી કે જેની પાસે 10 થી ઓછા લોકોનું વર્કફોર્સ હોય.

આ પણ વાંચો: Tree cultivation: આ લાંબા ગાળાનું રોકાણ છે, જે ભવિષ્યમાં ખેડૂતોને બનાવી શકે છે સમૃદ્ધ

આ પણ વાંચો: Technology News: એક એપથી મેનેજ કરો મલ્ટીપલ Instagram એકાઉન્ટ, આ રહી સરળ રીત

Next Article