AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાંગ્લાદેશમાં ફરી સક્રિય થઈ અવામી લીગ, યુનુસના રાજીનામાની માંગ સાથે આંદોલનની જાહેરાત

બાંગ્લાદેશમાં હિંસક આંદોલન બાદ શેખ હસીનાની પાર્ટી અવામી લીગ ફરીથી બાંગ્લાદેશના રાજકારણમાં સક્રિય થવા લાગી છે. અવામી લીગે યુનુસુ સરકાર સામે આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં એક વચગાળાની સરકાર ચાલી રહી છે.

બાંગ્લાદેશમાં ફરી સક્રિય થઈ અવામી લીગ, યુનુસના રાજીનામાની માંગ સાથે આંદોલનની જાહેરાત
Bangladesh
| Updated on: Jan 30, 2025 | 5:20 PM
Share

બાંગ્લાદેશમાં હિંસક વિદ્યાર્થી આંદોલન બાદ શેખ હસીનાને દેશ છોડીને ભાગવું પડ્યું હતું. ત્યારથી બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં એક વચગાળાની સરકાર ચાલી રહી છે. યુનુસ સરકાર દરમિયાન શેખ હસીના અને તેમના પક્ષ અવામી લીગના નેતાઓ સામે સતત કેસ નોંધાઈ રહ્યા છે. તાજેતરમાં વચગાળાની સરકારના એક સલાહકારે કહ્યું હતું કે અવામી લીગને ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ દરમિયાન ભારતમાં રહીને શેખ હસીના સતત વર્ચ્યુઅલ માધ્યમથી સમર્થકોને સંબોધિત કરી રહી છે અને હવે અવામી લીગ મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની સરકારને સીધી પડકાર ફેંકવા જઈ રહી છે. અવામી લીગે સમગ્ર બાંગ્લાદેશમાં હડતાળનું એલાન આપ્યું છે. તેમનો કાર્યક્રમ આખા ફેબ્રુઆરી મહિના સુધી ચાલુ રહેશે. તેમણે યુનુસ સરકારના રાજીનામાની માંગણી સાથે 18 ફેબ્રુઆરીએ સમગ્ર બાંગ્લાદેશમાં હડતાળનું એલાન આપ્યું છે. આ દરમિયાન વચગાળાની સરકારે પણ વળતી ચેતવણી આપી છે.

અવામી લીગ 18 ફેબ્રુઆરીએ હડતાળ પર જશે

મીડિયા અહેવાલ મુજબ, અવામી લીગ 1 ફેબ્રુઆરીથી બાંગ્લાદેશી રાજકારણમાં સક્રિય રીતે ફરી પ્રવેશ કરી રહી છે. તે 1 ફેબ્રુઆરીથી કાર્યક્રમ માટે પત્રિકાઓનું વિતરણ કરશે. આ કાર્યક્રમ 6, 10 અને 16 ફેબ્રુઆરીના રોજ પણ યોજાશે. આ પછી, 18 ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે.

જો કે, યુનુસ સરકારે આ અંગે કડક પ્રતિક્રિયા આપી છે. પ્રેસ સેક્રેટરી શફીકુલ આલમે કહ્યું કે જે કોઈ પણ આવામી લીગના ધ્વજ સાથે ગેરકાયદેસર રીતે વિરોધ કરશે તેને કાયદાનો સામનો કરવો પડશે. બાંગ્લાદેશમાં અશાંતિ અને હિંસા ફેલાવવાની કોઈ તક આપવામાં આવશે નહીં.

યુનુસ સરકારની વિરોધીઓને ચેતવણી

જો કે, આવામી લીગને આ ચેતવણીનો ખોટો અર્થઘટન ન થાય તે માટે શફીકુલ આલમે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, વચગાળાની સરકારે સત્તા સંભાળ્યા પછી કોઈપણ કાયદેસર વિરોધ પ્રદર્શનોને અટકાવ્યા નથી કે પ્રતિબંધિત કર્યા નથી. અમે સભા અને સંગઠનની સ્વતંત્રતામાં માનીએ છીએ.

તમને જણાવી દઈએ કે હસીના સરકારના પતન અને મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના પછી તરત જ અવામી લીગના વિદ્યાર્થી સંગઠન, છાત્ર લીગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે, અવામી લીગ પર હજુ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી.

Follow Us
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
g clip-path="url(#clip0_868_265)">