Bangladesh: હિન્દુ મંદિરો અને દુકાનો પર થઈ રહ્યા છે હુમલા, લૂંટના બનાવ આવ્યા સામે, હવે લઘુમતી જૂથો દેશભરમાં ભૂખ હડતાલ પર ઉતરશે

બાંગ્લાદેશમાં કેટલાક દિવસોથી ચાલી રહેલી સાંપ્રદાયિક હિંસાની તાજેતરની ઘટનામાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે.

Bangladesh: હિન્દુ મંદિરો અને દુકાનો પર થઈ રહ્યા છે હુમલા, લૂંટના બનાવ આવ્યા સામે, હવે લઘુમતી જૂથો દેશભરમાં ભૂખ હડતાલ પર ઉતરશે
Attack on Hindu Temple in Bangladesh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 8:39 PM

Bangladesh Anti Hindu Violence: બાંગ્લાદેશમાં કેટલાક દિવસોથી ચાલી રહેલી સાંપ્રદાયિક હિંસાની તાજેતરની ઘટનામાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. અગાઉ, અજાણ્યા મુસ્લિમ કટ્ટરવાદીઓએ મંદિરોમાં તોડફોડ કરી હતી અને કથિત નિંદા પર હિંસા ફેલાવી હતી. આ ઘટનાઓ બાદ લઘુમતી જૂથે દેશભરમાં ભૂખ હડતાળની (Hunger Strike) જાહેરાત કરી છે. ‘ઢાકા ટ્રિબ્યુન’ અખબારના સમાચાર અનુસાર, બાંગ્લાદેશમાં જુદા જુદા સ્થળોએ દુર્ગા પૂજાના સ્થળો પર હુમલાનો વિરોધ કરી રહેલા લોકો પર હુમલા બાદ અથડામણ થઈ છે.

આ પછી શનિવારે દેશની રાજધાનીથી લગભગ 157 કિમી દૂર ફેનીમાં હિન્દુઓના મંદિરો અને દુકાનોમાં તોડફોડ અને લૂંટ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, ફેની મોડેલ પોલીસ સ્ટેશનના પ્રભારી નિઝામુદ્દીન સહિત ઓછામાં ઓછા 40 લોકો અથડામણમાં ઘાયલ થયા હતા (Violence in Bangladesh Today). રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સાંજે 4.30 વાગ્યે શરૂ થયેલી અથડામણ મોડી રાત સુધી ચાલી હતી, જે દરમિયાન અનેક મંદિરો, હિન્દુઓની દુકાનોમાં તોડફોડ અને લૂંટ કરવામાં આવી હતી. આ પછી શનિવારે રાત્રે અધિક પોલીસ દળ અને અર્ધલશ્કરી દળ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશને અધિકારીઓ દ્વારા તૈનાત કરવામાં આવ્યા હતા.

છ મૂર્તિઓને થયું નુકસાન

અખબારોએ અહેવાલ આપ્યો છે કે, શનિવારે કેટલાક બદમાશોએ મુન્શીગંજ (Bangladesh Hindu Temple Attack) ના સિરાજદીખાન ઉપજલ્લાના રશુનિયા યુનિયનમાં દાણીયાપરા કાલી મંદિરમાં છ મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું. જણાવવામાં આવ્યું હતું કે, દુર્ગા પૂજા પર્વ દરમિયાન શનિવારે હિન્દુ મંદિરો પર હુમલા અને તોડફોડના વિરોધમાં દેશભરમાં દેખાવો થયા હતા, જ્યારે તોડફોડની ઘટનાઓ પણ બની હતી. આ દરમિયાન દેશના દક્ષિણ-પૂર્વ શહેર ચિટગાંવમાં બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદે દુર્ગા પૂજા ઉજવણી દરમિયાન હુમલાના વિરોધમાં 23 ઓક્ટોબરથી ધરણા અને ઉપવાસ કરવાની જાહેરાત કરી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

કડક સજાની માંગણી

કાઉન્સિલના જનરલ સેક્રેટરી રાણા દાસગુપ્તાએ ચિત્તાગોંગમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ઢાકાના શાહબાગ અને ચિટગાવના આંદ્રાકિલા (Bangladesh Hindu Violence News) માં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. બાંગ્લાદેશ પૂજા ઉદ્યોગ પરિષદે તોડફોડ અને હિંસાની ઘટનાઓમાં સામેલ લોકોને કડક સજા કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો: ભારતને ધમરોળી નાખવાના આતંકી સંગઠનોનું ષડયંત્ર, હિટલિસ્ટ તૈયાર કરી 200 લોકોને ખતમ કરવાનો તૈયાર કર્યો એક્શન પ્લાન

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">