AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bahrain: બુરખો પહેરેલી મહિલાને રેસ્ટોરન્ટમાં પ્રવેશતા અટકાવી, રેસ્ટોરન્ટમાં મચ્યો ભારે હોબાળો

મનામાની પ્રખ્યાત રેસ્ટોરન્ટ અદાલિયામાં એક મહિલાને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. તેનું કારણ માત્ર એટલું જ હતું કે, મહિલાએ બુરખો પહેર્યો હતો. જો કે રેસ્ટોરન્ટ બંધ કરી દેવામાં આવી છે. તેમજ ડ્યુટી મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Bahrain: બુરખો પહેરેલી મહિલાને રેસ્ટોરન્ટમાં પ્રવેશતા અટકાવી, રેસ્ટોરન્ટમાં મચ્યો ભારે હોબાળો
bahrain woman wearing burqa prevented entering restaurant closed after a huge uproar(symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 9:00 AM
Share

બહેરીનની રાજધાની મનામાની પ્રખ્યાત અદાલિયા રેસ્ટોરન્ટ (Adalia Restaurant) માં બુરખો પહેરેલી મહિલાને પ્રવેશતા અટકાવવાનો મામલો સામે આવ્યો છે. આથી, મહિલાએ રેસ્ટોરન્ટમાં પ્રવેશ કરવા પ્રયત્ન કર્યો હતો, પણ તેને મંજૂરી આપવામાં આવી નહોતી. જો કે આ ઘટના બાદ બહેરીન ટૂરિઝમ એન્ડ એક્ઝિબિશન ઓથોરિટીએ રેસ્ટોરન્ટને બંધ કરી દીધી છે.

બહેરીનના ડેઈલી ટ્રિબ્યુન ન્યૂઝ અનુસાર, ઓથોરિટી તરફથી કહેવામાં આવ્યું છે કે તાજેતરમાં જ એક વીડિયો સામે આવ્યો છે. આમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે રેસ્ટોરન્ટના સ્ટાફે બુરખો પહેરેલી મહિલાને મંજૂરી આપવાની મનાઈ કરી દીધી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો. લોકોએ તેની આકરી પ્રતિક્રિયા આપી છે. આ પછી મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જો કે, પ્રાથમિક કાર્યવાહી કરીને રેસ્ટોરન્ટને બંધ કરી દેવામાં આવી છે.

ઓથોરિટી દ્વારા એક નંબર કર્યો જાહેર

ઓથોરિટી દ્વારા તમામ રેસ્ટોરન્ટ માટે આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આમાં કડક આદેશ આપવામાં આવ્યા છે કે કોઈએ નિયમોનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે લોકો સાથે ભેદભાવ કરતી કોઈપણ ઘટનાને સાંખી લેવામાં આવશે નહીં. ખાસ કરીને એવા કિસ્સાઓમાં કે જેમાં વ્યક્તિની રાષ્ટ્રીયતા પ્રતિબિંબિત થાય છે.

ઓથોરિટી દ્વારા એક નંબર (17007003) પણ જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે અપીલ કરવામાં આવી છે કે દેશમાં ક્યાંય પણ આવી ઘટના બને તો તરત જ આ નંબર પર ફોન કરીને ગ્રાહક સુરક્ષા કેન્દ્રને તમારી ફરિયાદ આપી શકો છો.

કર્મચારીને કર્યા સસ્પેન્ડ

દરમિયાન, રેસ્ટોરન્ટના મેનેજમેન્ટ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં મહિલાને એન્ટ્રી ન આપવા બદલ માફી માંગવામાં આવી છે. તેમજ સ્ટાફની ભૂલના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું જણાવ્યું હતું. અમે તેની નિંદા કરીએ છીએ. તેમજ અમારી તપાસ દરમિયાન અમે ડ્યુટી મેનેજરને સસ્પેન્ડ કર્યા છે. અમે છેલ્લા 35 વર્ષથી લોકોને શ્રેષ્ઠ સેવાઓ આપી રહ્યા છીએ. અમારો હેતુ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. અમે તે કર્મચારીને સસ્પેન્ડ કર્યો છે.

આ પણ વાંચો: Hijab Controversy : કર્ણાટક હાઈકોર્ટે હિજાબ વિવાદમાં સ્વતંત્રતાના બદલે પ્રતિબંધોને સમર્થન આપ્યું

આ પણ વાંચો: Hijab Controversy : કર્ણાટક હાઈકોર્ટ સાચું કહે છે, હિજાબ જેવા વિવાદ પાછળ એક જ કારણ છે.. ‘ગુપ્ત ગેંગ’!

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">