Iran Israel War : ઈઝરાયેલ પર હુમલો કરી ઈરાને કહ્યું- યુદ્ધ ખતમ, અમેરિકા દૂર રહે આ અમારો મામલો છે

Iran's Attack on Israel : ડ્રોન હુમલો કર્યાના ગણતરીના કલાકોમાં જ ઈરાને યુદ્ધ ખતમ કરવાની વાત કરી છે. ઈરાને કહ્યું કે આ દમાસ્કસમાં તેમના દૂતાવાસ પર ઈઝરાયેલે કરેલા હુમલાનો જવાબ છે. હુમલા સાથે મામલો પૂરો થયો ગણી શકાય. આ સાથે ઈરાને અમેરિકાને ચેતવણી આપી છે કે તે આ સંઘર્ષથી દૂર રહે. આ અમારો મામલો છે.

Iran Israel War : ઈઝરાયેલ પર હુમલો કરી ઈરાને કહ્યું- યુદ્ધ ખતમ, અમેરિકા દૂર રહે આ અમારો મામલો છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2024 | 9:05 AM

ઈરાને ઈઝરાયેલ પર પહેલો સીધો હુમલો કર્યો છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ દાવો કર્યો છે કે ઈરાને ઈઝરાયેલ તરફ 150 થી વધુ ડ્રોન અને 200 થી વધુ બેલેસ્ટિક મિસાઈલો છોડી છે. જે બાદ ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ તરત જ સંરક્ષણ દળ અને અન્ય અધિકારીઓ સાથે યુદ્ધ બેઠક યોજી હતી. પરંતુ હુમલાના થોડા કલાકો બાદ ઈરાનનું સત્તાવાર નિવેદન બહાર સામે આવ્યું છે, જેમાં તેમણે યુદ્ધ ખતમ કરવાની વાત કરી હતી.

ઈરાને કહ્યું કે, ઈઝરાયેલ પર તેનો ડ્રોન હુમલો સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરની કલમ 51 પર આધારિત છે. સીરિયાના દમાસ્કસમાં ઈઝરાયેલે ઈરાનના દૂતાવાસ પર ગત 1 એપ્રિલે કરેલા હુમલાના જવાબમાં આ પ્રતિહુમલો કરવામાં આવ્યો છે. ઈરાને તેના સત્તાવાર નિવેદનમાં કહ્યું કે હુમલા સાથે મામલો પૂરો થયેલો ગણી શકાય. જેનો સીધો અર્થ એ થયો કે ઈરાને કહ્યું છે કે આ યુદ્ધ ખતમ થઈ ગયું છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

અમેરિકાને આપી ધમકી

જોકે, ઈરાને પોતાના સત્તાવાર સંદેશમાં ઈઝરાયલની સાથે સાથે અમેરિકાને પણ ચેતવણી આપી છે. ઈરાને કહ્યું કે જો ઈઝરાયલના સત્તાવાળાઓ હવે કોઈ બીજી ભૂલ કરશે તો ઈરાનની પ્રતિક્રિયા ખૂબ જ ગંભીર હશે. આ સંઘર્ષ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે છે, જેનાથી અમેરિકા દૂર રહે.

ઈરાનના આ નિવેદન બાદ માનવામાં આવી રહ્યું છે કે, બંને દેશો વચ્ચે યુદ્ધ ખતમ થઈ ગયું છે. જોકે, ઈઝરાયેલ હજુ પણ સંપૂર્ણ રીતે એલર્ટ છે. ઈઝરાયેલે તેની એર સ્પેસ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. વાયુસેના અને નૌકાદળ બંને હાઈ એલર્ટ મોડ પર છે અને કડક તકેદારી રાખી રહ્યા છે. ઈઝરાયેલે આશંકા વ્યક્ત કરી છે કે, ઈરાને પણ મિસાઈલ છોડી છે.

ખતરો હજુ યથાવત

ઇઝરાયેલે ઉત્તરી ગોલાન હાઇટ્સ, દક્ષિણ ઇઝરાયેલ અને અન્ય સરહદી ઘણા વિસ્તારોમાં લોકોને આગામી સૂચના સુધી બોમ્બ આશ્રયસ્થાનોની નજીક રહેવા સૂચના આપી છે. જોકે, મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, અમેરિકા અને બ્રિટને ઈઝરાયેલ તોળાઈ રહેલો ભીષણ યુદ્ધનો ખતરો ટાળી દીધો છે.

એવું માનવામાં આવે છે કે અમેરિકાના સૈન્યે શનિવારે ઈઝરાયેલ તરફ જઈ રહેલા ઈરાની ડ્રોન વિમાનને તોડી પાડ્યું હતું. ત્રણ અમેરિકન અધિકારીઓએ કહ્યું કે કેટલા ડ્રોન તોડી પાડવામાં આવ્યા તે ચોક્કસ કહી શકાય તેમ નથી. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સે કહ્યું કે તેણે હુમલામાં ઈઝરાયેલ પર ડઝનબંધ ડ્રોન અને મિસાઈલો છોડ્યા છે.

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">