AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આફ્રિકન દેશોમાં મોતનો આંતક! નાઈજીરીયામાં 30, બુર્કિના ફાસોમાં 44 અને કોંગોમાં 22 નાગરિકોની કરાઇ હત્યા

સેનાએ આ હુમલા માટે એલાઇડ ડેમોક્રેટિક ફોર્સિસને જવાબદાર ઠેરવ્યા છે અને માહિતી આપી છે કે તેમાં 20 લોકોના મોત થયા છે.

આફ્રિકન દેશોમાં મોતનો આંતક! નાઈજીરીયામાં 30, બુર્કિના ફાસોમાં 44 અને કોંગોમાં 22 નાગરિકોની કરાઇ હત્યા
Attack kills around 20 in eastern Congo,Islamic State claims responsibility
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2023 | 9:17 AM
Share

પૂર્વીય ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના એક ગામમાં મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં લગભગ 20 લોકોના મોત થયા છે.આ હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી છે. ઇસ્લામિક સ્ટેટે ટેલિગ્રામ પર એક નિવેદનમાં હુમલાની જવાબદારી લીધી છે. મળતી માહિતી મુજબ, આ હુમલો શુક્રવારે બેનીની સીમમાં આવેલા ગામ મુસાંડાબામાં થયો હતો. સેના અને સ્થાનિક અધિકારીઓએ આ હુમલા માટે એલાઇડ ડેમોક્રેટિક ફોર્સિસ (ADF) પર આરોપ લગાવ્યો છે. ADF એ પૂર્વીય કોંગોમાં સ્થિત યુગાન્ડા જૂથ છે જે ઇસ્લામિક સ્ટેટ પ્રત્યે વફાદારીનું વચન આપે છે.

બેની ક્ષેત્રના સૈન્ય પ્રશાસક કર્નલ ચાર્લ્સ ઓમેગાએ હુમલામાં 20 લોકોના મોતની જાણ કરી અને હુમલા માટે ADFને જવાબદાર ઠેરવ્યું. બીજી તરફ, સ્થાનિક કાર્યકર્તા જનવીર કસેરેકા કસાઈરીઓએ માહિતી આપી છે કે 22 મૃતદેહોને નજીકની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. ઉત્તર કિવુ પ્રદેશમાં સેનાના પ્રવક્તા એન્થોની મ્વાલુશાયએ જણાવ્યું હતું કે હુમલાખોરોએ સેનાથી બચવા માટે છરીઓનો ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો : યુક્રેનના નાયબ વિદેશ મંત્રી 4 દિવસની ભારત મુલાકાતે આવશે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

બુર્કિના ફાસોમાં પણ હુમલામાં 44 લોકોના મોત થયા હતા

આ સિવાય પશ્ચિમ આફ્રિકાના દેશ બુર્કિના ફાસોમાં પણ મોટો હુમલો થયો છે, જેમાં 44 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, જેહાદીઓએ બુર્કિના ફાસોના ઉત્તરી વિસ્તારમાં આ હુમલો કર્યો છે. આ દરમિયાન જેહાદીઓએ કુરાકુ અને તોંડોબી નામના બે ગામોને નિશાન બનાવ્યા હતા.

નાઈજીરીયામાં 30 લોકોના મોત થયા છે

આ સિવાય નાઈજીરિયામાં પણ મોટો હુમલો થયો છે જ્યાં બંદૂકધારીઓના હુમલામાં 30 લોકોના મોત થયા છે. આ હુમલો ઉત્તર નાઈજીરીયાના એક કેમ્પમાં થયો હતો. મળતી માહિતી મુજબ, આ દરમિયાન બંદૂકધારીઓએ શુક્રવારે સામાન્ય નાગરિકો પર અચાનક ગોળીબાર કર્યો હતો, જેમાં 30 લોકોના મોત થયા હતા. ઘટના બેનુ રાજ્યના મગાબન ગામની છે. જોકે આ હુમલા પાછળ કોણ જવાબદાર છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી, પરંતુ તેની પાછળ ભરવાડોનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દુનિયાના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">