ભારતને જાતિવાદ પર ભાષણ આપનાર અમેરિકા પોતાની રંગભેદ નીતિનો લોહિયાળ ઈતિહાસ કેમ ભૂલી રહ્યુ છે?- વાંચો
અમેરિકા પોતાનું ઘર સંભાળવાને બદલે બીજાની ચોકીદારી કરતુ રહે છે. હાલમાં જ તેના વૈશ્વિક જમાદારપણાની પુષ્ટિ પણ થઈ ગઈ છે. જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ ગણાતા પીટર નવારોએ ભારતની જાતિય વ્યવસ્થા સામે આંગળી ચીંધી હતી. નવારોએ કહ્યુ કે ભારતમાં બ્રાહ્મણો અન્યો જાતિઓના ભોગે લાભ મેળવી રહ્યા છે. ભારતના જાતિવાદ પર ટીપ્પણી કરનારા અમેરકાનો પણ પોતાનો પણ રંગભેદની નીતિ સાથેનો ઘણો લાંબો, કાળો અને લોહિયાળ ઈતિહાસ રહ્યો છે.

વર્ષો પહેલા આવેલી રાજકુમારની એક ફિલ્મનો સંવાદ હતો કે “जिनके अपने घर शीशे के हो, वो दूसरों पर पत्थर नहीं फ़ेंका करते” બસ અમેરિકા પણ કંઈક આવુ જ કરી રહ્યુ છે. માત્ર ટેરિફની બાબતમાં નહીં પરંતુ દરેક મુદ્દે અમેરિકા ખુદ ઘેરાઈ રહ્યુ છે. અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવા મુદ્દે ભારતને ઘેર્યુ અને તોતિંગ ટેરિફ લાદી દીધો પરંતુ તે ખુદ રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યુ છે. બીજી તરફ અમેરિકામાં જાતિય હિંસાનો વર્ષો જૂનો ઈતિહાસ છે છતા તેના ટ્રેડ એડવાઈઝર ભારતને જાતિવાદના મુદ્દે ઘેરી રહ્યા છે. અમેરિકા અને ભારત વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ક્યારેક રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાન સાથેના સંઘર્ષ અંગે બેફામ નિવેદનો કરે છે તો ક્યારેક ભારત પર તગડો ટેરિફ લગાવી દે છે. ટ્રમ્પની ટીમ પણ આગમાં ઘી નાખવાનું કામ કરી રહી છે. તેમના સલાહકાર...
