AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan Crisis: તાલિબાનનું નવું ફરમાન, કોઈને હુકમ વગર જાહેરમાં ફાંસી પર નહીં લટકાવી શકાય

તાલિબાનની મંત્રી પરિષદે નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી દોષિતોને સાર્વજનિક કરવાની જરૂર ન હોય અને જ્યાં સુધી કોર્ટ આદેશ ન કરે, ત્યાં સુધી જાહેરમાં કોઈને સજા આપવામાં આવશે નહીં.

Afghanistan Crisis: તાલિબાનનું નવું ફરમાન, કોઈને હુકમ વગર જાહેરમાં ફાંસી પર નહીં લટકાવી શકાય
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2021 | 8:17 PM
Share

જ્યારથી તાલિબાને (Taliban) અફઘાનિસ્તાન (Afghanistan) પર કબ્જો કર્યો છે, ત્યારથી નાગરિકોમાં ડરનો માહોલ છે. અફઘાનિસ્તાન પર તાલિબાને કબ્જો કર્યા બાદ ઘણા દેશોની ફ્લાઈટ પણ બંધ થઈ ચુકી છે. જે લોકોએ તાલિબાન સરકારનો પાછલો કાર્યકાળ જોયો છે, તેઓને તેમની સ્વતંત્રતા અને અધિકારો અંગે ચિંતા વ્યક્ત કરી છે.

જો કે, તાલિબાન દ્વારા સંકેત આપવામાં આવ્યા છે કે નવી સરકાર અગાઉની સરકારની તુલનામાં ઉદાર હશે. આ દરમિયાન તાલિબાને સ્થાનિક અધિકારીઓને સૂચના આપી છે કે જ્યાં સુધી અફઘાનિસ્તાનની “ટોચની અદાલત” જાહેરમાં ફાંસીનો આદેશ ન આપે, ત્યાં સુધી કોઈને જાહેરમાં ફાંસી ના આપવામાં આવે.

તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે ટ્વીટ કરીને કહ્યું હતું કે મંત્રી પરિષદે નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી દોષિત સાબિત ના થાય અને જ્યાં સુધી કોર્ટનો આદેશ ના આપે ત્યાં સુધી કોઈને જાહેરમાં સજા આપવામાં આવશે નહીં. એક મીડિયા રિપોર્ટ અનુસાર જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ આવી કાર્યવાહીનો આદેશ ન આપે ત્યાં સુધી જાહેરમાં ફાંસી અને મૃતદેહોને લટકાવવાનું ટાળવું જોઈએ.” તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે જો ગુનેગારને સજા થાય તો સજાનું અર્થઘટન થવું જોઈએ, જેથી લોકોને ગુના વિશે ખબર પડે.

જણાવી દઈએ કે ગત મહિને અમેરિકાએ તાલિબાનની અફઘાનિસ્તાનમાં સજા તરીકે ફાંસીની સખત નિંદા કરી હતી. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે અમેરિકા અફઘાન લોકો એમાં પણ ખાસ કરીને લઘુમતી જૂથોના સભ્યોની સાથે ઉભું છે અને તાલિબાનને તાત્કાલિક આવા અત્યાચારપૂર્ણ દુર્વ્યવહારનો અંત લાવવાની માંગ કરી છે.

તમને જણાવી દઈએ કે તાલિબાનોએ કહ્યું હતું કે  મહિલાઓને કામ કરવાની છૂટ આપવામાં આવે. પરંતુ લોકો તેના વચન પર વિશ્વાસ કરી શકતા નથી. ખાસ કરીને તાલિબાનોએ કહ્યું કે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે કામ કરતી મહિલાઓ સિવાય સુરક્ષા વ્યવસ્થામાં સુધારો ન થાય ત્યાં સુધી મહિલાઓએ ઘરમાં રહેવું જોઈએ.

તાલિબાને શરૂઆતમાં મહિલાઓના અધિકારોની વાત કરી પરંતુ શરિયા કાયદાની આડમાં તેમના વચનોથી સંપૂર્ણપણે પીછેહઠ કરી. તાલિબાન સરકાર દ્વારા કરવામાં આવી રહેલા અત્યાચાર સામે અને સરકારમાં મહિલાઓની ભાગીદારી માટે મહિલાઓને એકત્ર કરવામાં આવે છે અને ઠેર ઠેર દેખાવો ચાલી રહ્યા છે. તાલિબાને મહિલાઓ પર મોટું નિવેદન આપ્યું છે, તાલિબાન વતી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓ મંત્રી બનશે નહીં, તેઓએ માત્ર ઘરમાં રહીને બાળકો પેદા કરવા જોઈએ.

આ પણ વાંચો : ISCON Temple Attack: બાંગ્લાદેશમાં ‘ઈસ્કોન મંદિર’ પર હુમલો, ભક્તો સાથે કરી મારપીટ

આ પણ વાંચો : શું તમને મળી રહ્યો છે MTNLમાંથી KYC એક્સપાયર થવાનો મેસેજ? તો થઈ જાઓ સાવધાન તમારી સાથે થઈ શકે છે છેતરપિંડી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">