શું તમને મળી રહ્યો છે MTNLમાંથી KYC એક્સપાયર થવાનો મેસેજ? તો થઈ જાઓ સાવધાન તમારી સાથે થઈ શકે છે છેતરપિંડી

શું તમે MTNLના ગ્રાહક છો અને તમને મેસેજ મળ્યો છે કે તમારું MTNL KYC 24 કલાકમાં સમાપ્ત થઈ જશે તો અમે તમને જણાવી દઈએ કે આ મેસેજ સંપૂર્ણપણે ખોટો અને નકલી છે.

શું તમને મળી રહ્યો છે MTNLમાંથી KYC એક્સપાયર થવાનો મેસેજ? તો થઈ જાઓ સાવધાન તમારી સાથે થઈ શકે છે છેતરપિંડી
KYCના મેસેજ દ્વારા MTNL ના ગ્રાહકો સાથે છેતરપીંડી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2021 | 6:34 PM

Fake Message Alert: શું તમે MTNLના ગ્રાહક છો અને તમને મેસેજ મળ્યો છે કે તમારું MTNL KYC 24 કલાકમાં સમાપ્ત થઈ જશે તો અમે તમને જણાવી દઈએ કે આ મેસેજ સંપૂર્ણપણે ખોટો અને નકલી છે. આ મેસેજ પર જરા પણ વિશ્વાસ કરશો નહીં. આના દ્વારા તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. તેથી સાવચેત રહો. PIB ફેક્ટ ચેકે આ માહિતી આપી.

શું કહેવામાં આવ્યું છે મેસેજમાં?

PIB ફેક્ટ ચેકે તેના ટ્વીટર હેન્ડલ પર જણાવ્યું છે કે એક મેસેજ જોવા મળ્યો છે, જેમાં એક વ્યક્તિને કહેવામાં આવી રહ્યું છે કે તેનું MTNL KYC 24 કલાકમાં સમાપ્ત થઈ જશે. તેને કહ્યું કે આ મેસેજ ફેક છે. PIB ફેક્ટ ચેકે એમ પણ કહ્યું કે MTNL ક્યારેય KYC વેરિફિકેશન માટે વ્યક્તિઓને ફોન અથવા WhatsApp પર મેસેજ અથવા ટેક્સ્ટ મેસેજ કરતી નથી. તેથી, આવા કોઈપણ ફ્રોડ ઈમેઈલ અથવા એસએમએસ અથવા કોલનો જવાબ આપશો નહીં.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

પીઆઈબી ફેક્ટ ચેકે પણ આવા જ એક ફેક મેસેજનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. તે જણાવે છે કે પ્રિય MTNL યુઝર્સ, MTNL KYC સમાપ્ત થઈ ગયું છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે વેરીફીકેશન માટે કોલ કરો. આવું ન કરવા પર તે 24 કલાકની અંદર બ્લોક થઈ જશે. જો તમને પણ આવો મેસેજ મળ્યો હોય તો આપેલ નંબર પર બિલકુલ ફોન ન કરો. તેમજ તમારી વ્યક્તિગત વિગતો કોઈ પણ વ્યક્તિને આપશો નહીં.

આ ગુનેગારોનો તમને તેમની જાળમાં ફસાવવાનો આ એક માર્ગ હોઈ શકે છે. તેથી તેની જાળમાં ન આવો. કોરોના મહામારી દરમિયાન છેતરપિંડીના કેસો ઝડપથી વધી રહ્યા છે. ગુનેગારો આ માટે ઘણી નવી પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે. તેથી જ તેમનાથી બચીને રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે.

PIB ફેક્ટ ચેક શું છે?

તમને જણાવી દઈએ કે PIB ફેક્ટ ચેક સરકારી નીતિઓ અથવા યોજનાઓ પર ખોટી માહિતીનું ખંડન કરે છે. જો તમને સરકાર સંબંધિત કોઈ સમાચાર ખોટા હોવાની શંકા હોય તો તમે તેના વિશે PIB ફેક્ટ ચેકને જાણ કરી શકો છો. આ માટે તમે વિગતો 918799711259 આ મોબાઈલ નંબર અથવા socialmedia@pib.gov.in ઈમેઈલ આઈડી પર  મોકલી શકો છો.

આ પણ વાંચો :  Cruise Drug Case : ડ્રગ્સ કેસને લઈને NCB એક્શનમાં, મુંબઈમાં એક સાથે ત્રણ સ્થળોએ દરોડા પાડી શરૂ કરી તપાસ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">