અફઘાનિસ્તાન: કાબુલમાં પ્રચંડ વિસ્ફોટ, ભૂતપૂર્વ તાલિબાન નેતાની પુણ્યતિથિ પર શોક મનાવતા લોકો પર હુમલો
અફઘાનિસ્તાનના કાબુલમાં રવિવારે જોરદાર બોમ્બ બ્લાસ્ટ (Bomb blast) થયો હતો. પૂર્વ તાલિબાન નેતા મુલ્લા અખ્તર મોહમ્મદ મંસૂરની વર્ષગાંઠ મનાવી રહેલા લોકોને અહીં નિશાન બનાવવામાં આવ્યા છે.
અફઘાનિસ્તાનના (Afghanistan) કાબુલમાં (Kabul)રવિવારે જોરદાર બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast)થયો છે. પૂર્વ તાલિબાન નેતા મુલ્લા અખ્તર મોહમ્મદ મંસૂરની વર્ષગાંઠ મનાવી રહેલા લોકોને અહીં નિશાન બનાવવામાં આવ્યા છે. આ બ્લાસ્ટ ઇસ્તિકલાલ હોલના ગેટ પર થયો હતો. સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે બે લોકોના મોત થયા છે. અગાઉ દિવસે, ઇસ્લામિક સ્ટેટે કુન્દુઝ પ્રાંતમાં ત્રણ લોકોની હત્યાની જવાબદારી લીધી હતી. તાજેતરના વિસ્ફોટની જવાબદારી કોઈએ લીધી નથી. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ઇસ્તિકલાલ હોલના ગેટ પાસે વિસ્ફોટ થયો હતો. બપોર બાદ તરત જ હુમલાખોરે હુમલો કર્યો હોવાની માહિતી મળી રહી છે.
એક અહેવાલમાં અફઘાન સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે બોમ્બ વિસ્ફોટ કાબુલના 10મા સુરક્ષા જિલ્લામાં થયો હતો. આ ઘટના કાબુલના હામિદ કરઝાઈ એરપોર્ટના રસ્તા પર ઈસ્તેગલાલ હોટલ પાસે બની હતી. આ હોટલમાં તાલિબાન નેતા મુલ્લા અખ્તર મંસૂરના મૃત્યુની વર્ષગાંઠ મનાવવામાં આવી રહી હતી. જેની હત્યા કરવામાં આવી હતી. આ હુમલાની જવાબદારી કોઈ આતંકવાદી સંગઠને લીધી નથી. પરંતુ માનવામાં આવે છે કે આ હુમલો ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન એટલે કે ISKP દ્વારા કરવામાં આવ્યો છે. જે વૈશ્વિક આતંકવાદી સંગઠન ISISની અફઘાનિસ્તાન સ્થિત શાખા છે.
અનેક મૃત્યુના સમાચાર
એક મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રાથમિક અહેવાલમાં જાણવા મળ્યું છે કે હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય ઘાયલ થયો છે. તે જ સમયે, કેટલાક અન્ય અહેવાલોમાં, સાક્ષીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે બોમ્બ વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયા છે. આ લોકોએ મૃતકોના બ્લાસ્ટ બાદ મૃતકોના મૃતદેહ જોયા હોવાનો દાવો કર્યો છે. તે જ સમયે, અહેવાલમાં તાલિબાનના ગૃહ પ્રધાનના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ત્રણ લોકો ઘાયલ થયા છે.
ગયા મહિને પણ બ્લાસ્ટ થયા હતા
અગાઉ, ગયા મહિનાના અંતમાં, ઉત્તર અફઘાનિસ્તાનમાં થોડીવારના ગાળામાં બે વિસ્ફોટ થયા હતા. જેમાં 9 લોકોના મોત થયા હતા અને 13 લોકો ઘાયલ થયા હતા. તાલિબાન દ્વારા નિયુક્ત પોલીસ વડાના પ્રવક્તા મોહમ્મદ આસિફ વઝીરીએ જણાવ્યું હતું કે હુમલાખોરોએ બલ્ખ પ્રાંતની રાજધાની મઝાર-એ-શરીફમાં બે અલગ-અલગ વાહનોને નિશાન બનાવ્યા હતા. હુમલાનો ભોગ બનેલા લોકો રમઝાન દરમિયાન ઉપવાસ તોડવા ઘરે જઈ રહ્યા હતા. વઝીરીએ કહ્યું હતું કે, એવું લાગે છે કે શિયા પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવ્યા છે.