કતારમાં અટકાયેત કરાયેલા નૌકાદળના 8 પૂર્વ અધિકારીઓને લઈને મોટો દાવો, જાસૂસીનો લગાવાયો આરોપ

કતારના (Qatar) સત્તાવાળાઓએ હજુ સુધી આઠ ભારતીય નાગરિકોની અટકાયતના કારણ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓ છેલ્લા 70 દિવસથી વધુ સમયથી કસ્ટડીમાં છે.

કતારમાં અટકાયેત કરાયેલા નૌકાદળના 8 પૂર્વ અધિકારીઓને લઈને મોટો દાવો, જાસૂસીનો લગાવાયો આરોપ
8 Ex-Navy Officers Detained in Qatar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2022 | 8:19 AM

કતારમાં અટકાયતમાં લેવાયેલા 8 ભારતીય નાગરિકોને લઈને સામે આવેલા કેટલાક દાવાઓએ ભારતની ચિંતા વધારી છે. આ દાવાઓમાં એવું કહેવામાં આવ્યું છે કે આઠ ભારતીય નાગરિકોની અટકાયત કરવામાં આવી છે કારણ કે તેમના પર જાસૂસીનો આરોપ છે. જ્યારથી ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને કતારમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, ત્યારથી સોશિયલ મીડિયા પર દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે ભૂતપૂર્વ અધિકારીઓને જાસૂસીના આરોપમાં નજરકેદ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક પાકિસ્તાની યુઝર્સે કહ્યું છે કે પૂર્વ અધિકારી ત્યાં જાસૂસીના હેતુથી ગયા હતા. જો કે, યુઝર્સના આ દાવાઓને મામલાથી જાણકાર હોય તેવા લોકોએ ફગાવી દીધા હતા અને તેને માત્ર એક ટીખળ ગણાવી હતી.

પાકિસ્તાની યુઝર્સે તેમના દાવામાં તો ત્યાં સુધી કહ્યું છે કે પાકિસ્તાન તરફથી ગુપ્ત માહિતી મળ્યા બાદ ભારતીયોને પકડવામાં આવ્યા છે. ભારતીય નાગરિકો વિશે આવા દાવા મોટાભાગે પાકિસ્તાની વપરાશકર્તાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન અને ભારત વચ્ચે વિવિધ મુદ્દાઓ પર તકરાર થાય છે, તેથી સમયાંતરે પાકિસ્તાની નાગરિકો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આવી ખોટી વાતો ઉછાળીને ભારતને અપમાનિત કરવાનો પ્રયાસ કરે છે. મળતી માહિતી મુજબ, કતારના સત્તાવાળાઓએ હજુ સુધી આઠ ભારતીય નાગરિકોને કેમ અટકાયતમાં લેવામાં આવ્યા છે તે અંગે કોઈ માહિતી આપી નથી. ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓ 70 દિવસથી વધુ સમયથી કસ્ટડીમાં છે.

ભારતીય દૂતાવાસ સંપર્કમાં છે

કતારમાં ભારતીય દૂતાવાસ ત્યાંના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. આ તમામ નાગરિકો કતારની એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. આઠ ભૂતપૂર્વ સૈનિકો ઓમાન એરફોર્સના અધિકારીની માલિકીની ખાનગી પેઢી, દહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસિસ માટે કામ કરતા હોવાનું કહેવાય છે. આ પેઢી કતારના સશસ્ત્ર દળો અને સુરક્ષા એજન્સીઓને તાલીમ અને અન્ય જરૂરી સેવાઓ આપવાનું કામ કરે છે. અગાઉ, એક નિવેદનમાં, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે કતારમાં ભારતીય દૂતાવાસ અટકાયતમાં લેવાયેલા નાગરિકોની વહેલી મુક્તિ અને સ્વદેશ પરત લાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા

જ્યારે પૂર્વ નેવી અધિકારીઓની અટકાયત વિશે પૂછવામાં આવ્યું ત્યારે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, “અમે આઠ ભારતીય નાગરિકોની અટકાયત અંગે વાકેફ છીએ, જે અમને જાણવા મળ્યું છે કે તેઓ કતારમાં ખાનગી કંપનીમાં કામ કરે છે.” અટકાયતમાં લેવાયેલા લોકોએ કેટલાક પ્રસંગોએ તેમના પરિવારના સભ્યો સાથે પણ વાત કરી છે. અમને આ ભારતીય નાગરિકો સુધી કોન્સ્યુલર એક્સેસ મળ્યો છે. કોન્સ્યુલર એક્સેસના બીજા રાઉન્ડ માટે અપીલ કરવામાં આવી છે. અમે આ મામલે કતારના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">