Pakistan News : પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 500 પેટ્રોલ પંપ બંધ કરાયા, ગેરકાયદેસર ઈરાની ઈંધણ વેચવા સામે સરકારની કાર્યવાહી

ઈરાનના ઈંધણની કિંમત પાકિસ્તાની રિફાઈનરી કરતા ઘણી ઓછી છે. બલૂચિસ્તાનના કાર્યકારી સૂચના મંત્રી જાન અચકઝાઈએ મીડિયાને જણાવ્યું કે આ તમામ પેટ્રોલ પંપ લોકોને ગેરકાયદેસર રીતે ઈરાની પેટ્રોલ અને ડીઝલ વેચી રહ્યા હતા. દેશમાં ઈરાની ઉત્પાદનોનો પુરવઠો રોકવા માટે દેશવ્યાપી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Pakistan News : પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 500 પેટ્રોલ પંપ બંધ કરાયા, ગેરકાયદેસર ઈરાની ઈંધણ વેચવા સામે સરકારની કાર્યવાહી
petrol pump
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2023 | 10:53 PM

Pakistan News : પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સરકારે 500 પેટ્રોલ પંપ (Petrol Pump) બંધ કરી દીધા છે. જે લોકોને ગેરકાયદેસર રીતે સસ્તા ઈરાની ઈંધણનો સપ્લાય કરતા હતા. સરકારના આ નિર્ણયને કારણે નબળી અર્થવ્યવસ્થા અને ઊંચી મોંઘવારી વચ્ચે રોકડની તંગીને કારણે સ્થાનિક રિફાઈનરીને પણ અસર થઈ રહી છે.

ગેરકાયદેસર રીતે ઈરાની ઈંધણ સપ્લાય કરવામાં આવી રહ્યું હતું

ઈરાનના તેલની કિંમત પાકિસ્તાની રિફાઈનરી કરતા ઘણી ઓછી છે. બલૂચિસ્તાનના કાર્યકારી સૂચના મંત્રી જાન અચકઝાઈએ મીડિયાને જણાવ્યું કે, આ તમામ પેટ્રોલ પંપ લોકોને ગેરકાયદેસર ઈરાની પેટ્રોલ અને ડીઝલ વેચી રહ્યા હતા. દેશમાં ઈરાની ઉત્પાદનોનો પુરવઠો રોકવા માટે દેશવ્યાપી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો Pakistan News: ભગતસિંહને ફાંસી આપ્યાના 92 વર્ષ બાદ હવે શા માટે પાકિસ્તાનમાં થયો હોબાળો?

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

પાકિસ્તાનની કાર્યકરી સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની જાહેરાત કરી હતી, જેમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 330 રૂપિયા પ્રતિ લિટરથી વધુ થઈ છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા ભાવવધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. IMFએ આ વર્ષે 3 બિલિયન યુએસ ડોલરના સપોર્ટ પેકેજ સાથે પાકિસ્તાનની નબળી અર્થવ્યવસ્થાને બચાવી હતી.

સ્થાનિક રિફાઈનરી ઉત્પાદનોને અસર થઈ રહી છે

દેશમાં ગેરકાયદેસર રીતે ઈરાની ઈંધણનું વેચાણ થવા લાગ્યું હતું, જેની કિંમત 220-230 રૂપિયા પ્રતિ લિટર છે. દાણચોરો કન્ટેનરમાં ઈરાની ઈંધણ ભરીને ઈરાનથી બલૂચિસ્તાન થઈને સરહદ પાર લાવે છે. જ્યાંથી તેઓ કરાચી અને અન્ય દક્ષિણ સિંધ પ્રાંતમાં મોકલે છે. રિફાઈનરી ઉદ્યોગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઈરાની ઉત્પાદનોના કારણે સ્થાનિક રિફાઈનરીઓના વેચાણને અસર થઈ રહી છે.

અમેરિકા દ્વારા ઈરાન પર લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે પાકિસ્તાન સરકારે 2013થી ઈરાની ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. અચકઝાઈએ કહ્યું કે બલૂચિસ્તાનમાં ઈરાની ઈંધણનું વેચાણ કરતા ખાનગી ડીલરોએ ક્વેટાના એક મકાનમાં લગભગ 10 લાખ ડોલર છુપાવ્યા હતા, જેને અધિકારીઓએ જપ્ત કરી લીધા હતા.

સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાનમાં ઈરાની ઈંધણની દાણચોરી અને યુએસ ડોલરના દરમાં વધારાને કારણે પાકિસ્તાનની કેટલીક રિફાઈનરીઓ બંધ કરવી પડશે. તેમણે કહ્યું કે આ દાણચોરીને રોકવા માટે તેઓ સિંધ સરકારના સતત સંપર્કમાં છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">