AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhar Card Change update : આધારકાર્ડમાં આવ્યો મોટો બદલાવ, હવે પિતા કે પતિના નામનો ઉલ્લેખ નહીં, જાણો કેમ લેવાયો ફેંસલો ?

આધાર કાર્ડમાં (Aadhar Card) 12 અંકનો યુનિક નંબર વ્યક્તિની ઓળખ છે. તે તેની ફિંગર પ્રિન્ટ અને આંખ સાથે સંકળાયેલ છે. આ યુનિક નંબર વ્યક્તિને ઓળખવા માટે પૂરતો હોય છે.

Aadhar Card Change update : આધારકાર્ડમાં આવ્યો મોટો બદલાવ, હવે પિતા કે પતિના નામનો ઉલ્લેખ નહીં, જાણો કેમ લેવાયો ફેંસલો ?
Aadhar card
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 8:49 PM
Share

Aadhar Card Change Status Latest News: આજના જમાનામાં આધારકાર્ડ (Aadhar Card) જીવનજરૃરિયાત થઇ ગયું છે. આધારકાર્ડની ડગલેને પગલે જરૂર પડે છે. આપણે બધા પાસે આધાર કાર્ડ તો હશે જ. આ આધારકાર્ડમાં નામની નીચે જન્મતારીખ હોય છે અને પાછળ પિતાનું નામ અને ઘરનું એડ્રેસ હોય છે. પરણિત મહિલા છે તો તેના પતિનું નામ હોય છે અને પછી એડ્રેસ લખેલું હોય છે.

સામાન્ય રીતે Daughter of માટે D/Oનો અને Wife Of માટે W/Oનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ હવે આધારકાર્ડમાં એક નવો બદલાવ આવ્યો છે.આધારકાર્ડમાં હવે Daughter of માટે D/O અને Wife Of માટે W/O ને હટાવીને Care Of એટલે કે C/Oનો ઉપયોગ કરવામાં આવશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવા આધાર કાર્ડ અને આધારમાં કોઇપણ ફેરફાર કર્યા બાદ આવતા નવા આધાર કાર્ડમાં ‘કેર ઓફ’ (Care Of) નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ફેરફાર બાદ પિતા કે પતિ સાથેના સંબંધની ઓળખ આધાર કાર્ડ દ્વારા જાણી શકાશે નહીં. ઉદાહરણ તરીકે, જો કોઈ સ્ત્રીના આધાર કાર્ડમાં પુરુષનું નામ હોય, તો તે જાણી શકાશે નહીં કે તે નામ તેના પિતાનું છે કે તેના પતિનું છે.

CSC MD એ આખી વાત જણાવી આધાર મંત્રાલય હેઠળ કાર્યરત કોમન સર્વિસ સેન્ટર (CSC) ના મેનેજિંગ ડિરેક્ટર (MD) દિનેશ ત્યાગીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આધાર કાર્ડમાં પિતા, પુત્ર, પુત્રીની પત્ની માટે ‘વાઈફ ઓફ, સન ઓફ અને ડોટર ઓફ ની જગ્યાએ ‘કેર ઓફ’ છાપવામાં આવી રહ્યું છે. જો કોઈ ઇચ્છે તો તે તેમાં કોઈનું નામ પણ આપી શકતું નથી. એટલે કે, હવે તમે માત્ર નામ અને સરનામું આપીને આધાર કાર્ડ બનાવી શકો છો.

આ નિર્ણય કેમ લેવામાં આવ્યો? આ ફેરફાર અંગે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) ના વરિષ્ઠ અધિકારીએ લખ્યું હતું કે, વર્ષ 2018માં આધાર કાર્ડ અંગે સુપ્રીમ કોર્ટનો વિગતવાર નિર્ણય હતો, જેમાં કાળજી લેવાની બાબત લોકોની ગોપનીયતા સૂચિત છે. આ પગલું તે દિશામાં છે. હવે આધાર કાર્ડમાં સંબંધોની માહિતી આપવામાં આવી રહી નથી.

જોકે, આધારમાં આ ફેરફાર ક્યારે અમલમાં આવ્યો છે તે સ્પષ્ટ નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આધાર કાર્ડમાં 12 અંકનો યુનિક નંબર વ્યક્તિની ઓળખની વિશિષ્ટતા છે. તે તેની ફિંગર પ્રિન્ટ અને આંખ સાથે સંકળાયેલ છે. આ યુનિક નંબર વ્યક્તિને ઓળખવા માટે પૂરતો હશે.

આ પણ વાંચો : Knowledge Update: શું તમને ખબર છે તમે જે કેપ્સ્યુલ ખાવ છો તેનો બહારનો ભાગ શેનાથી બનેલો છે ? જાણો, પેટમાં કેટલી ઝડપથી ઓગળે છે

આ પણ વાંચો :Afghan Crisis: અફઘાન જેલમાંથી આતંકીઓ મુક્ત થવા લાગતા પાકિસ્તાન ગભરાયુ, તાલિબાનને કહ્યું, દેશમાં ઘૂસીને હુમલો કરી શકે

Follow Us
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
g clip-path="url(#clip0_868_265)">