AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડેન્ગ્યુ-તાવમાં કયા ફળો ખાવા જોઈએ, ડોક્ટર પાસેથી જાણો, ઝડપથી થશો સાજા

ડેન્ગ્યુનો ખતરો ચોમાસા દરમિયાન સૌથી વધુ હોય છે. વરસાદ દરમિયાન ભરેયેલા પાણી અને ગંદકીના કારણે મચ્છરોની ઉત્પત્તિ થાય છે, જે ડેન્ગ્યુનું કારણ બને છે. જો તમે ડેન્ગ્યુથી બચવા માંગતા હોવ તો તમારા આહારમાં કેટલાક ખાસ ફળોનો સમાવેશ કરો. જો તમને ડેન્ગ્યુ છે, તો આ ફળો ઝડપથી સાજા થવામાં પણ મદદ કરશે.

ડેન્ગ્યુ-તાવમાં કયા ફળો ખાવા જોઈએ, ડોક્ટર પાસેથી જાણો, ઝડપથી થશો સાજા
Image Credit source: Social Media
| Updated on: Jul 03, 2024 | 11:04 PM
Share

વરસાદની ઋતુ એટલે રોગોની મોસમ. ડેન્ગ્યુનું જોખમ ચોમાસા દરમિયાન સૌથી વધુ વધી જાય છે. વરસાદ દરમિયાન અનેક જગ્યાએ પાણી ભરાવાને કારણે મચ્છરોની ઉત્પત્તિ થવા લાગે છે. આ મચ્છરો મેલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા ખતરનાક રોગોનું કારણ બને છે. તેથી, વરસાદના દિવસોમાં તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાની જરૂર છે, જેથી રોગો તમારા પર હુમલો ન કરે.

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કયા ફળ ખાવા જોઈએ? જો તમને ડેન્ગ્યુ થઈ જાય, તો ઝડપથી સાજા થવા માટે તમારે તમારા આહારમાં કયા ફળોનો સમાવેશ કરવો જોઈએ? આ અંગે ડૉક્ટર પાસે જાણ્યું હતું કે ડેન્ગ્યુના કિસ્સામાં દર્દીએ કેવો આહાર લેવો જોઈએ.

ડોક્ટર અનુસાર, તમારે વરસાદના દિવસોમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા પર સૌથી વધુ ધ્યાન આપવું જોઈએ. આ સિઝનમાં ઈન્ફેક્શનનું જોખમ ખૂબ વધી જાય છે. જેના કારણે કોઈપણ વાયરસ શરીર પર ઝડપથી હુમલો કરે છે. આ માટે આહારમાં વિટામિન સીથી ભરપૂર ફળો અવશ્ય ખાવા જોઈએ.

ડેન્ગ્યુમાં કયા ફળ ખાવા જોઈએ?

જો તમે ડેન્ગ્યુથી બચવા માંગતા હોવ અથવા ડેન્ગ્યુ તાવથી પીડિત હોવ તો તમારા આહારમાં વિટામિન Cથી ભરપૂર ખાટા ફળોનો સમાવેશ કરો. તમારે કીવી ખાવી જોઈએ જેમાં વિટામિન સી ભરપૂર હોય છે. ડેન્ગ્યુના દર્દીએ દરરોજ પપૈયાનું સેવન કરવું જોઈએ. પપૈયામાં પપૈન એન્ઝાઇમ હોય છે જે પ્લેટલેટ્સ વધારવામાં મદદ કરે છે. આ સિવાય બેરીને તમારા આહારનો એક ભાગ બનાવવાનું ધ્યાન રાખો. ડેન્ગ્યુના દર્દીઓ માટે પણ દાડમ ફાયદાકારક ફળ સાબિત થાય છે.

ડેન્ગ્યુમાં નારિયેળ પાણી પીવાના ફાયદા

જો તમે ડેન્ગ્યુ કે અન્ય વાઈરલ ઈન્ફેક્શનથી બચવા ઈચ્છો છો, તો વરસાદની ઋતુમાં શરીરને હાઈડ્રેટ રાખવું જરૂરી બની જાય છે. દરરોજ નારિયેળ પાણી પીવું જોઈએ. ડેન્ગ્યુના કિસ્સામાં પણ દર્દીને નાળિયેરનું પાણી પીવા માટે તાજુ નાળિયેર આપી શકાય છે. જેના કારણે શરીરમાં મિનરલ્સની ઉણપ રહેતી નથી. ડેન્ગ્યુમાં દર્દીને સ્વચ્છ અને ઉકાળેલું પાણી આપો. તમે ઘરે બનાવેલ તાજો રસ પણ આપી શકો છો.

આ પણ વાંચો: Health Tips: શ્રાવણ મહિનામાં મળે છે આ ફળ, ડાયાબિટીસ અને હૃદયના દર્દીઓ માટે છે અમૃત સમાન, જાણો તેના ફાયદા

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">