વેક્સિન લેતા પહેલા કોરોના હોય તો? પ્રથમ ડોઝ લીધા પછી કોરોના થાય તો બીજો ડોઝ ક્યારે લેવો?
વેક્સિનને લઈને લોકોના મનમાં હજી પણ ઘણા પ્રશ્નો છે. જેમ કે જો વેક્સિન લેતા પહેલા કોરોનાનાં લક્ષણો જોવા મળે તો શું કરવું. અથવા રસીનો પ્રથમ ડોઝ લીધા પછી કોરોના થાય તો શું કરવું?.
કોરોનાવાયરસને નિયંત્રિત કરવા માટે વેક્સિનને જરૂરી શસ્ત્ર માનવામાં આવે છે. આની જરૂરિયાત જોતા, ભારતમાં પણ 1 મેથી, 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે વેક્સિનને લઈને લોકોના મનમાં હજી પણ ઘણા પ્રશ્નો છે. ઉદાહરણ તરીકે જો વેક્સિન લેતા પહેલા કોરોનાનાં લક્ષણો જોવા મળે તો શું કરવું. અથવા જો રસીનો પ્રથમ ડોઝ લીધા પછી કોરોના થાય તો શું કરવું. તો ચાલો આવી સ્થિતિમાં શું કરવું.
એક ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર યુનાઇટેડ સ્ટેટ્સમાં જોન્સ હોપકિન્સ સેન્ટર ફોર હેલ્થ સિક્યુરિટીના ચેપી રોગના નિષ્ણાંત ડો.અમેશ અદલજાએ કહ્યું, ‘જો કોવિડ -19 હોય અથવા લક્ષણો દેખાય તો તમારે વેક્સિન ના લેવી જોઈએ. આનું કારણ એ છે કે તમે સેન્ટર પર વેક્સિન લેવા આવેલા અન્ય લોકોને ચેપ લગાડો નહીં.
રસીની લેતા પહેલાં સ્વાસ્થ્ય સંબંધિત ઘણા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. આ સિવાય, રસીકરણ કેન્દ્રની અંદર જતા પહેલા દરેક વ્યક્તિની તપાસ કરવામાં આવે છે. કોઈપણ પ્રકારનાં લક્ષણ જોતાં, ડોક્ટર જાતે જ તમારી અપોઈન્ટમેન્ટ કેન્સલ કરી શકે છે.
CDCની માર્ગદર્શિકા અનુસાર, COVID-19 ના દર્દીઓ સંપૂર્ણ રિકવર થાય ત્યાં સુધી અને અઈસોલેશનમાંથી બહાર ના આવે ત્યાં સુધીએ તેને વેક્સિન લેવા માટે રાહ જોવી જોઈએ. સારવાર પત્યા બાદ જ વેક્સિન લેવી જોઈએ.
જો તમને બે ડોઝ વચ્ચે ચેપ લાગ્યો હોય તો શું કરવું
ઘણા લોકોને વેક્સિનની એક માત્રા લીધા પછી પણ ચેપ લાગે છે. આવી સ્થિતિમાં, તમારે તમારી બીજી માત્રાની તારીખ 3-4 અઠવાડિયા માટે વધારવી જોઈએ. જો કે, તમારે ચોક્કસપણે આ વિશે તમારા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને ડોઝ વિશેની તેમની સલાહનું પાલન કરવું જોઈએ.
અધ્યયનો અનુસાર, જો કોઈ વ્યક્તિ રસીનો પ્રથમ ડોઝ લીધા પછી કોરોનાથી સંક્રમિત થાય છે, તો તેને સ્વસ્થ થયા પછી કેટલાક અઠવાડિયા સુધી બીજો ડોઝ ન લેવો જોઈએ. ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનના નવા અધ્યયનમાં, COVID-19 માંથી સ્વસ્થ થતા દર્દીઓને ઓછામાં ઓછી ત્રણ મહિના પછી રસી લેવી જોઈએ. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આને કારણે શરીરમાં એન્ટિબોડીઝ મજબૂત રહે છે અને લાંબા સમય સુધી રહે છે.
અધ્યયનો અનુસાર કુદરતી ચેપમાંથી સ્વસ્થ થવાની પ્રક્રિયામાં, શરીર દ્વારા બનાવવામાં આવતી ઇમ્યુનિટી વેક્સિનથી સારી પ્રતિરક્ષા આપે છે. તેથી, કોરોનામાંથી સ્વસ્થ થયા પછી, રસીકરણ માટે કેટલાક અઠવાડિયાની રાહ જોવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
આરોગ્ય નિષ્ણાતો કહે છે કે હંમેશાં ધ્યાનમાં રાખો કે તમે રસીકરણ દ્વારા પોતાને બચાવવાની પ્રક્રિયામાં અન્યને જોખમમાં ન મૂકો. તેથી જો તમને અંદરથી બરાબર લાગતું નથી અથવા જો તમને કોરોનાનાં કોઈ લક્ષણો છે, તો વેક્સિન ત્યારે ના લેશો.
આ પણ વાંચો: કોરોના કાળમાં ડોક્ટરની વાયરલ ચિટ્ઠી, દર્દીના પ્રિસ્ક્રિપ્શન પર લખી હૃદયને સ્પર્શી જાય તેવી વાત
આ પણ વાંચો: બંગાળ પ્રચારમાં જનમેદની બાદ પાર્ટીઓને જનસેવાના અભરખા, આપી રહી છે ફ્રી વેક્સિનના વચનો