AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બંગાળ પ્રચારમાં જનમેદની બાદ પાર્ટીઓને જનસેવાના અભરખા, આપી રહી છે ફ્રી વેક્સિનના વચનો

અત્યાર સુધી ચૂંટણી પ્રચારમાં અસંખ્ય લોકોની જનમેદની એકથી કર્યા બાદ બંગાળમાં રાજકીય પાર્ટીઓને અચાનક જન સેવાના અભરખા જાગ્યા છે. અને વેક્સિન ફ્રી આપવાના વચનો બાંધવા લાગ્યા છે.

બંગાળ પ્રચારમાં જનમેદની બાદ પાર્ટીઓને જનસેવાના અભરખા, આપી રહી છે ફ્રી વેક્સિનના વચનો
સાંકેતિક તસ્વીર
| Updated on: Apr 24, 2021 | 10:58 AM
Share

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના સાથે કોરોનાની બીજી લહેરનો અવાજ સંભળાયી રહ્યો છે. પરંતુ હવે ચૂંટણીના વચનોમાં, કોરોના અને તેની રસીની થવા લાગી છે. અત્યાર સુધી ચૂંટણીમાં માણસોના મોજા ભેગા કરતી પાર્ટીઓને હવે કરોનાના મોજાની ચિંતા થવા લાગી છે. TMC અને ભાજપને હવે કોરોનાની રસી ફ્રીમાં આપવાના વચનો આપીને જનતાની સેવા કરવાના અભરખા જાગ્યા હોય એમ લાગે છે.

ભારતીય જનતા પાર્ટીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે જો પશ્ચિમ બંગાળમાં જનતા તેમની સરકાર બનાવશે તો બંગાળના તમામ લોકોને નિ:શુલ્ક કોરોનાની વેક્સિન આપવામાં આવશે. ચાલો તમને જણાવી દઈએ કે આના એક દિવસ પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આવું જ એક ચૂંટણી વચન આપ્યું હતું. જો કે ટીએમસીએ ભાજપની ઘોષણા બાદ પલટવાર કરતા તેને ભાજપનો જુમલો ગણાવ્યો હતો.

26 મી એપ્રિલના રોજ 34 બેઠકો પર સાતમા તબક્કાના મતદાન પૂર્વે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપે મફત રસી આપવાનું વચન આપ્યું હતું. બંગાળ બીજેપીએ એક ટ્વિટમાં કહ્યું છે કે, જો પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર સત્તા પર આવે તો તમામ લોકોને નિ: શુલ્ક કોરોના રસી આપવામાં આવશે. જણાવી દઈએ કે 29 મી એપ્રિલે આઠમા તબક્કાના મતદાન છે અને તે પછી ચૂંટણીનું દંગલ સમાપ્ત થઈ જશે અને પરિણામ 2 મેના રોજ આવશે.

જો કે, ભાજપ દ્વારા નિ:શુલ્ક રસીની જાહેરાત કર્યા પછી તૃણમૂલ કોંગ્રેસે પલટવાર કરતાં કહ્યું હતું કે નવેમ્બર 2020 માં બિહારમાં સત્તા પર આવ્યા બાદ તરત જ ભાજપ સરકાર બિહારમાં નિ:શુલ્ક રસી આપવાનું વચન ભૂલી ગઈ હતી. જણાવી દઈએ કે બિહારની ચૂંટણી દરમિયાન ભાજપે વચન આપ્યું હતું કે જો એનડીએની સરકાર ફરીથી બનાવવામાં આવશે તો તે બિહારના તમામ લોકોને મફત રસી આપશે.

વીડિયો નિવેદનમાં ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયને કહ્યું કે નિ: શુલ્ક રસી આપવાનું ભાજપનું વચન જુમલો છે. યાદ છે બિહારમાં ભાજપે શું કર્યું? તેમણે ચૂંટણી દરમિયાન મફત રસી આપવાનું વચન આપ્યું હતું, પરંતુ ચૂંટણી પૂરી થઈ ગઈ અને તે ભૂલી ગયા. મફત રસી જુમલો છે, બંગાળમાં બધાને વેક્સિન અપાશે. ભાજપ પર વિશ્વાસ ન કરો.

આ પહેલા ગુરુવારે જાહેર સભામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 2 મેના રોજ આવશે. અમે 5 મે પછી બંગાળમાં 18 વર્ષથી વધુ ઉંમરના બધા લોકોને નિ: શુલ્ક કોરોના રસીકરણ આપીશું. ચાલો અમે તમને જણાવી દઈએ કે રાજ્યમાં વધતા કોરોના ચેપના પગલે આ નિવેદનો આવ્યા છે.

આ પણ વાંચો: Corona Duty: મહિલા કોન્સ્ટેબલને ન મળી રજા, પોલીસ સ્ટેશનમાં થઇ પીઠીની વિધિ

આ પણ વાંચો: ગર્ભવતી મહિલાઓ પર શું થાય છે કોરોના વેક્સિનની અસર? જાણો રિસર્ચ શું કહે છે

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">