ગર્ભવતી મહિલાઓ પર શું થાય છે કોરોના વેક્સિનની અસર? જાણો રિસર્ચ શું કહે છે

મેસેંજર-આરએનએની તકનીક પર આધારિત કોરોના વેક્સિન પ્રારંભિક તબક્કે સગર્ભા સ્ત્રીઓ માટે સલામત હોવાનું જાણવા મળ્યું છે. અમેરિકામાં વેક્સિન પર સંશોધન કરવામાં આવ્યું હતું.

ગર્ભવતી મહિલાઓ પર શું થાય છે કોરોના વેક્સિનની અસર? જાણો રિસર્ચ શું કહે છે
File Image
Follow Us:
| Updated on: Apr 24, 2021 | 9:07 AM

કોરોના અને વેક્સિનેશનને લઈને ઘણા સવાલો થતા રહેતા હોય છે. તેમાંથી એક એ છે કે સગર્ભા સ્ત્રીઓ પર વેક્સિનની શું અસર થાય છે. જણાવી દઈએ કે આ આધારે એક રિસર્ચ કરવામાં આવ્યું હતું. આ અભ્યાસ અમેરિકામાં થયો હતો જેનો અહેવાલ બહાર આવ્યો છે.

મેસેંજર-આરએનએની તકનીક પર આધારિત કોરોના વેક્સિન પ્રારંભિક તબક્કે સગર્ભા સ્ત્રીઓ માટે સલામત હોવાનું જાણવા મળ્યું છે. એક અભ્યાસના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રારંભિક તારણોમાં એન્ટી-કોરોના વેક્સિન ગર્ભવતી મહિલાઓ અને સામાન્ય મહિલાઓ બંને માટે સમાન સલામત હોવાનું જણાયું છે. ધ ન્યૂ ઇંગ્લેંડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત અહેવાલમાં જણાવ્યા અનુસાર, કોરોના વેક્સિન લેનાર સગર્ભા સ્ત્રીઓ અને સામાન્ય મહિલાઓમાં પ્રતિક્રિયામાં કોઈ ખાસ તફાવત નહોતો. સગર્ભા સ્ત્રીઓએ કોઈ ગંભીર સમસ્યાની ફરિયાદ કરી ન હતી.

યુએસમાં આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં ઘણી સગર્ભા સ્ત્રીઓને રસી આપવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર કુલ 35,691 સગર્ભા સ્ત્રીઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમને એમ-આરએનએ આધારિત વેક્સિન આપવામાં આવી હતી. મોટાભાગની સ્ત્રીઓ 25 થી 34 વર્ષની વયની હતી અને તેમને ફાઇઝર-એન્બીયોટેક અથવા મોડર્નાની વેક્સિન આપવામાં આવી હતી. વેક્સિન લેનારી 3958 ગર્ભવતી મહિલાઓમાંથી ફક્ત 827એ ગર્ભધારણની અવધિ પૂર્ણ કરી હતી. પરંતુ આ 827 મહિલાઓમાંથી, 115 (13.9%)નો ગર્ભપાત થઇ ગયો અને તેઓ મા ના બની શક્યા. જ્યારે 712 (86%) એ જીવંત બાળકને જન્મ આપ્યો હતો. માતા બનેલી મોટાભાગની સ્ત્રીઓને ત્રીજા મહિનામાં વેક્સિન લીધાના અહેવાલ છે. બાળકના જન્મ પછી કોઈ માતા મૃત્યુ પામી ન હતી અને તમામ બાળકો સ્વસ્થ હોવાનું માલુમ પડ્યું હતું.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વધુ સંશોધન જરૂરી

પ્રારંભિક તારણો સગર્ભા સ્ત્રીઓમાં રસી સંપૂર્ણપણે સલામત રહેવાની બાંયધરી આપતા નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ મામલે કોઈ નિર્ણય લેવામાં આવે તે પહેલાં વધુ સગર્ભા સ્ત્રીઓ પર રસીના પ્રભાવનો અભ્યાસ કરવા સહિતના વિસ્તૃત સંશોધનની જરૂર છે.

તમને જણાવી દઈએ કે આ અભ્યાસ અમેરિકામાં કરવામાં આવ્યો હતો જેમાં ઘણી સગર્ભા સ્ત્રીઓ પર વેક્સિનની અસર નોંધવામાં આવી હતી. ઘણા સારા પરિણામ મળ્યા છતાં પ્રારંભિક તારણોના આધારે સગર્ભા સ્ત્રીઓમાં રસી સંપૂર્ણપણે સલામત રહેવાની બાંયધરી આપવામાં નથી આવી. આ મામલે હજુ વધુ રિસર્ચની વાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: Coronavirus Update : કોરોના વાયરસના બીજા અને ત્રીજા વેરિઅંટ પર રસી કારગર : વૈજ્ઞાનિક

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">