AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unhealthy foods: આ પ્રકારના કેન્સર થવાનું કારણ બની શકે છે આ ખોરાક

લાઈફસ્ટાઈલ અને ખાનપાનમાં થોડા બદલાવ દ્વારા કેન્સરથી બચી શકાય છે. ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે લગભગ 80 ટકા કેસોમાં કેન્સરનું કારણ બિનઆરોગ્યપ્રદ ખોરાક છે. અમે તમને એવા 3 ફૂડ્સ વિશે જણાવીશું, જેને દરેક પ્રકારના કેન્સરનું કારણ ગણી શકાય.

Unhealthy foods: આ પ્રકારના કેન્સર થવાનું કારણ બની શકે છે આ ખોરાક
These foods can become the cause of cancer (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 1:20 PM
Share

કેન્સર એક જીવલેણ રોગ છે, કારણ કે મોટાભાગના કિસ્સાઓમાં સારવાર દ્વારા તેમાંથી સ્વસ્થ થવુ શક્ય નથી. અહેવાલો અનુસાર, દેશમાં કેન્સરને કારણે દર વર્ષે હજારો લોકો મૃત્યુ પામે છે. કેન્સરના ઘણા પ્રકારો છે, જેમાં ગળાનું કેન્સર, પેટનું કેન્સર( Stomach cancer ) , મોંનું કેન્સર, હાડકાનું કેન્સર અને અન્યનો સમાવેશ થાય છે. એવું જોવામાં આવ્યું છે કે મોટાભાગના કિસ્સાઓમાં, વ્યક્તિને કેન્સર(Cancer ) ની જાણ ત્યારે થાય છે જ્યારે તે શરીરમાં ઘણું વધી ગયું હોય અને આવી સ્થિતિમાં કેન્સરની સારવાર પણ અસરકારક સાબિત થતી નથી. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ તજજ્ઞોના મતે, આનું કારણ આપણો આહાર પણ હોઈ શકે છે. આજકાલ લોકોને આવા ખોરાક ખાવાની આદત( Diet tips ) પડી ગઈ છે, જે શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે.

આનુવંશિક કારણોસર કેન્સર અટકાવી શકાતું નથી, પરંતુ જીવનશૈલી અને આહાર જેવા બાહ્ય પરિબળોમાં ફેરફાર કરીને તેને ટાળી શકાય છે. ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે લગભગ 80 ટકા કેસમાં કેન્સરનું કારણ બાહ્ય પરિબળો છે. અમે તમને એવા 3 ફૂડ્સ વિશે જણાવીશું, જેને દરેક પ્રકારના કેન્સરનું કારણ ગણી શકાય.

સોફ્ટ ડ્રિંક

લાંબા સમયથી સોફ્ટ ડ્રિંકનું સેવન કરવામાં આવે છે, પરંતુ આજકાલ તે ખૂબ જ ટ્રેન્ડમાં છે. લોકો તેનાથી થતા નુકસાનથી વાકેફ હોવા છતાં આવા પીણાં પીવે છે. એવું કહેવાય છે કે જો તે વધુ પ્રમાણમાં પીવામાં આવે તો સ્થૂળતા વધે છે. સ્થૂળતા પણ એક પ્રકારનો રોગ છે, જે પાછળથી કેન્સરનું કારણ બને છે.

ફાસ્ટ ફૂડ

પિઝા, બર્ગર અને અન્ય વસ્તુઓ જેવા ફાસ્ટ ફૂડ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે. લોકો જાણે છે કે તે શરીરને નુકસાન પહોંચાડશે, તેમ છતાં તેઓ તેનું સતત સેવન કરે છે. તેને જંક ફૂડ પણ કહેવામાં આવે છે અને નિષ્ણાતોના મતે તેને ખાવાથી શરીરમાં રાસાયણિક સંયોજનો બને છે. આ રાસાયણિક સંયોજનો શરીરમાં કેન્સર જેવા ગંભીર રોગોનું કારણ બને છે, સાથે જ તે લીવરને નુકસાન, વંધ્યત્વ જેવી ગંભીર સમસ્યાઓનું કારણ બને છે.

દારૂ

આલ્કોહોલને જીવલેણ રોગોની ઘટના માટે એક મહત્વપૂર્ણ કારણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો તેનું વધુ સેવન કરવામાં આવે તો તેનાથી પેટ, બ્રેસ્ટ, લીવર, મોં અને ગળામાં કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. ડોકટરોના મતે આલ્કોહોલનું સેવન જેટલું ઓછું કરવામાં આવે તેટલું સારું. લોકોને દારૂની લત પણ લાગી જાય છે, જે તેમના માટે ખૂબ જ જોખમી છે.

આ પણ વાંચો-

કચ્છ: વાગડમાં રાપર નજીક ભૂકંપનો આંચકો નોંધાયો, રિક્ટર સ્કેલ પર 3.2 ની તીવ્રતા નોંધાઈ

આ પણ વાંચો-

Rajkot: ધોરાજીના ખેડૂતે કરી ચંદનની સફળ ખેતી, સોશિયલ મીડિયાથી મેળવ્યુ માર્ગદર્શન

g clip-path="url(#clip0_868_265)">