AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acidityની સમસ્યામાં રાહત મેળવવા અજમાવો આ 5 આયુર્વેદિક ઘરગથ્થુ નુસખા, ચોક્કસ મળશે ફાયદો

Ayurvedic Home Remedies: ખરાબ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહારના કારણે ઘણા લોકો એસિડિટીની સમસ્યાથી પરેશાન છે. આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે ઘણા પ્રકારના આયુર્વેદિક ઘરેલું ઉપચાર પણ અજમાવી શકો છો.

Acidityની સમસ્યામાં રાહત મેળવવા અજમાવો આ 5 આયુર્વેદિક ઘરગથ્થુ નુસખા, ચોક્કસ મળશે ફાયદો
Image Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2023 | 8:06 PM
Share

આ દિવસોમાં અસ્વસ્થ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહારના કારણે ઘણા લોકો સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ સમસ્યાઓથી પરેશાન છે. આમાં એસિડિટીની સમસ્યા પણ સામેલ છે. ઘણી વખત ખોરાક ખાધા પછી વ્યક્તિને અપચો, ખાટા ઓડકાર અને ઉલ્ટીની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ બધા એસિડિટીના લક્ષણો છે. એસિડિટીની સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે ઘણા પ્રકારના આયુર્વેદિક ઉપાયો પણ અજમાવી શકો છો.

તુલસીનો છોડ

તુલસી પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તમે તુલસીના પાનનું સેવન કરી શકો છો. આ પેટની બળતરા ઘટાડવામાં મદદ કરશે. આ એસિડની સમસ્યામાંથી રાહત અપાવવાનું કામ કરશે. તેના માટે તુલસીના પાનને પાણીમાં ઉકાળો. હવે આ પાણીને ચાની જેમ પીવો.

એક ગ્લાસ હુંફાળું પાણી લો

આયુર્વેદમાં પાચનને સરળ બનાવવા માટે તમે એક ગ્લાસ નવશેકું પાણી લઈ શકો છો. તે એસિડ રિફ્લક્સના લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે. તમે સવારે ખાલી પેટે એક ગ્લાસ નવશેકું પાણી પી શકો છો.

ગોળ ખાઓ

ગોળમાં મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તમે ગોળના નાના ટુકડાનું સેવન કરી શકો છો. ગોળનું સેવન તમારા આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે પેટના ફૂલવાની સમસ્યામાં પણ રાહત આપે છે. તે ભૂખ ન લાગવાની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરે છે. શિયાળામાં ગોળનું સેવન તમારા શરીરને ગરમ રાખવામાં પણ મદદ કરે છે. આ સાથે તે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

છાશ

દહીંનો ઉપયોગ કરીને છાશ બનાવવામાં આવે છે. છાશમાં સારા બેક્ટેરિયા હોય છે. તેમાં લેક્ટિક એસિડ હોય છે. તે એસિડિટીના લક્ષણોમાંથી તાત્કાલિક રાહત આપવામાં મદદ કરે છે. આ એક ઉત્તમ પ્રોબાયોટિક છે. તેનો ઉપયોગ તમને ગેસ અને પેટ ફૂલવાની સમસ્યાથી પણ રાહત અપાવવાનું કામ કરે છે. તે તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. એટલા માટે તમે દરરોજ નિયમિતપણે છાશનું સેવન પણ કરી શકો છો.

વરિયાળી

વરિયાળીનોનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે પણ થાય છે. આ સિવાય ઘણી સ્વાદિષ્ટ વાનગીઓમાં પણ તેનો સમાવેશ થાય છે. એસિડિટીથી રાહત મેળવવા માટે તમે વરિયાળીનું સેવન પણ કરી શકો છો. તેનાથી ગેસ, અપચો અને પેટનું ફૂલવું જેવી સમસ્યામાં રાહત મળે છે. તે આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તમે વરિયાળીના પાણીનું પણ સેવન કરી શકો છો. આ માટે વરિયાળીના દાણાને પાણીમાં ઉકાળો. હવે તેને ગાળીને તેનું સેવન કરો.

નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Follow Us
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">